ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં કાર અકસ્માતનો વીમો વ્યાજ સાથે ચુકાવવા ગ્રાહક કોર્ટનો આદેશ


SHARE













મોરબીમાં કાર અકસ્માતનો વીમો વ્યાજ સાથે ચુકાવવા ગ્રાહક કોર્ટનો આદેશ

મોરબીના રહેવાસીને વિમા કંપની રોયલ સુંદરમ જનરલ ઈન્સ્યુરન્સએ વિમો આપવાની ના પડી હતી જેથી મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતાની જહેમતથી ૪,૮૬,૦૧૬ છ ટકાના વ્યાજ સાથે આપવાનો ગ્રાહક અદાલતે હુકમ કરેલ છે.

આ કેસની વિગત એવી છે કે, મોરબીના વતની ધવલકુમાર મનસુખભાઈ હદવાણી પોતાની મોટર કાર લઈ સુલતાનપર રોડ ઉપર રાત્રે જતા હતા ત્યારે રોડ પર આગળ પથ્થર પડેલ જેની સાથે ગાડી અથડાતા કારમાંથી ઓઈલ બહાર નીકળેલ અને ગીયર બોકસ ચેમ્બરને નુકશાન થયેલ હતું અને અધિકૃત સર્વિસ મેન સાથે ચેક કરાવતા કારને ૫,૦૫,૯૦૧ નું નુકશાન થયેલ છે જેની વિમા કંપની રોયલ સુંદરમ પાસે માંગણી કરતા વિમા કંપનીએ એવુ બહાનુ બતાવેલ કે કારને થયેલ નુકશાન તેમજ ગીયર બોકસને થયેલ નુકશાન તે કલેઈમ સાથે સુસંગત નથી અને થયેલ અકસ્માત અને થયેલ નુકશાન વચ્ચે કોઈ સબંધ નથી માટે ગ્રાહકને વિમો મળે નહી. જેથી ધવલભાઈ હદવાણીએ લાલજીભાઈ મહેતાનો સંપર્ક કરીને ગ્રાહક સુરક્ષા મંડળ મારફત મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં ફરિયાદ દાખલ કરેલ હતી જેમાં ગ્રાહક અદાલતે કહેલ કે ગ્રાહકે તમામ આધાર પુરાવા રજુ કરેલ છે તેમજ તેણે વિમો ભરેલ છે આથી વિમા કંપની વિમો આપવા બંધાયેલ છે. પરંતુ રોયલ સુંદરમ જનરલ ઈન્સ્યુરન્સની કોઈ વાત માન્ય ન રાખી અને વિમા કંપનીને ગ્રાહકને રૂપીયા ૪,૮૬,૦૧૬ અને ૫૦૦૦ અન્ય ખર્ચના મળી કુલ ૪,૯૧,૦૧૬ રૂપીયા ૬ ટકાના વ્યાજ સાથે ચુકવવાનો આદેશ કરેલ છે.






Latest News