મોરબીના રવાપર ગામના માજી સરપંચ દ્વારા ત્રીદિવસીય વિષ્ણુયાગ મહાયજ્ઞનું આયોજન
મોરબીના યુવાને ડો. હેડગેવાર સ્મારક સમિતિને દોઢ કરોડની જમીન દાનમાં આપી
SHARE
મોરબીના યુવાને ડો. હેડગેવાર સ્મારક સમિતિને દોઢ કરોડની જમીન દાનમાં આપી
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સેવા ભારતી ટ્રસ્ટ તથા ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટ, સમાજ સેવા માટે સતત કાર્યશીલ છે. સંઘના સેવા કાર્યથી પ્રેરાઈને મોરબી લોહાણા સમાજના આગેવાન ઉદ્યોગપતિ અશોકભાઈ કાથરાણીએ સમાજ માટે કંઇક સેવા કાર્ય માટે કરી છૂટવું છે તેવો નિરધાર મોરબીના સંઘ કાર્યકર્તાઓ પાસે વ્યક્ત કર્યો હતો અને તેનો અમલ ગત મકરસંક્રાંતિના દિવસે કર્યો છે.
મોરબીના શનાળા ગામ પાસે આવેલ કેવિન અશોકભાઈ કાથરાણીએ પોતાની માલિકીની જમીન જે સર્વે નંબરમાં અંદાજે ૮૮૦૦ ચો.ફૂટ જમીન છે. આ જમીનની અંદાજિત બજાર કિંમત દોઢ કરોડ જેવી થાય છે તે જમીન ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટને સમાજ સેવા કાર્યની પ્રવૃતિઓ માટે આપવાનો નિર્ણય કર્યો છે તેમના નિર્ણય મુજબ આ જમીન કેવિનભાઈ અશોકભાઈ કાથરાણીએ ડો. હેડગેવાર સ્મારક સમિતિ રાજકોટને બક્ષિસ દસ્તાવેજ ટ્રસ્ટના નામનો કરી આપેલ છે અને સેવા ભારતીના લોકાર્પણ કાર્યક્રમમાં રાજકોટ મુકામે સર કાર્યવાહ દત્તાત્રેયજી હોસબોલેના વરદ હસ્તે તેમનું તથા પરિવારનું શિલ્ડ થતા શાલ આપીને યથાયોગ્ય સન્માન કરવામાં આવ્યું હતું.