મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ગેસનો ચૂલો ચાલુ કરવા જતાં દાઝી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE







મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ગેસનો ચૂલો ચાલુ કરવા જતાં દાઝી ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી નવલખી રોડ ઉપર બાલા નામની બેકરીમાં ગેસ લીકેજના કારણે રૂમમાં ચૂલો ચાલુ કરતાંની સાથે જ આગ લાગી હતી જે ઘટનામાં યુવાન ગંભીર રીતે દાજી ગયો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું  મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર પીપળીયા ચાર રસ્તાથી નવલખી તરફ જવાના રસ્તા ઉપર આવેલ બાલા બેકરીની ઓરણીમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ યુપીના રહેવાસી પલ્લુરામ તોતારામ નિશાદ (19) નામનો યુવાન ગત તા. 19/12 ના વહેલી સવારે 5:30 વાગ્યાના સુમારે કામ પૂરું કરીને કિચનમાં ચા બનાવવા માટે થઈને ગયો હતો ત્યારે કિચનમાં ગેસના ચૂલાનો વાલ્વ ખુલ્લો રહી ગયો હોવાથી કે પછી ગેસ લીકેજના કારણે ચૂલો ચાલુ કરવા જતાની સાથે લાઇટર કરતા જ ત્યાં આગ લાગી હતી જે આગમાં યુવાન આખા શરીરને ગંભીર ટીતે દાજી ગયો હતો જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તેને અમદાવાદની સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની ચિરાગભાઈ દામજીભાઈ ભોરણીયા (33) રહે. સીતારામ પેલેસ પંચાસર રોડ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News