મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું  મોરબીમાં મિત્ર સાથેના જૂના ઝઘડાનો ખાર રાખીને છરી, ધોકા અને પાઈપ વડે હુમલો: યુવાનને છરીના ઘા ઝીકયા, 5 સામે ફરિયાદ વાંકાનેરના માટેલ રોડે કારખાનામાં અને મોરબીના રાજપર ગામે ઇલેક્ટ્રીક શૉટ લાગતાં એક-એક યુવાનનું મોત મોરબીના સનાળા ગામે જાહેરમાં જુગાર રમતા 1 મહિલા સહિત 6 વ્યક્તિ 51,600 ની રોકડ સાથે પકડાયા વાંકાનેરના સરતાનપર રોડે બંધ પડેલા ટ્રકને રીપેર કરતાં સમયે માથા ઉપર જોઇન્ટ પડતાં ઇજા પામેલા યુવાનનું મોત સરકાર કયારે જાગશે?: મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતોના આમરણાંત ઉપવાસ આંદોલનમાં બે મહિલા ઉપવાસની તબિયત લથડી ગાંધીનગર ખાતે સરકાર સાથે ચર્ચા કરવા જવાનો મોરબીના જેતપર ગામના ખેડૂતોનો ઇનકાર: યોગ્ય વળતર માટે 6 સ્પષ્ટ માંગણી ખેડૂતોએ મોકલવી દીધી મોરબીના પીપળીયા ચાર રસ્તા પાસે ડમ્પર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનનું મોત
Breaking news
Morbi Today

મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ગેસનો ચૂલો ચાલુ કરવા જતાં દાઝી ગયેલ યુવાનનું સારવારમાં મોત


SHARE











મોરબીના પીપળીયા ચાર રસ્તા નજીક ગેસનો ચૂલો ચાલુ કરવા જતાં દાઝી ગયેલ યુવાનનું સારવારમાં મોત

મોરબી તાલુકાના પીપળીયા ચાર રસ્તાથી નવલખી રોડ ઉપર બાલા નામની બેકરીમાં ગેસ લીકેજના કારણે રૂમમાં ચૂલો ચાલુ કરતાંની સાથે જ આગ લાગી હતી જે ઘટનામાં યુવાન ગંભીર રીતે દાજી ગયો હતો જેથી તેને સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું  મોત નીપજયું હતું જેથી આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના નવલખી રોડ ઉપર પીપળીયા ચાર રસ્તાથી નવલખી તરફ જવાના રસ્તા ઉપર આવેલ બાલા બેકરીની ઓરણીમાં રહેતા અને મજૂરી કામ કરતા મૂળ યુપીના રહેવાસી પલ્લુરામ તોતારામ નિશાદ (19) નામનો યુવાન ગત તા. 19/12 ના વહેલી સવારે 5:30 વાગ્યાના સુમારે કામ પૂરું કરીને કિચનમાં ચા બનાવવા માટે થઈને ગયો હતો ત્યારે કિચનમાં ગેસના ચૂલાનો વાલ્વ ખુલ્લો રહી ગયો હોવાથી કે પછી ગેસ લીકેજના કારણે ચૂલો ચાલુ કરવા જતાની સાથે લાઇટર કરતા જ ત્યાં આગ લાગી હતી જે આગમાં યુવાન આખા શરીરને ગંભીર ટીતે દાજી ગયો હતો જેથી તેને પ્રથમ સારવાર માટે મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે તેને અમદાવાદની સરકારી હોસ્પિટલ સુધી લઈ ગયા હતા અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તેનું મોત નીપજયું છે જેથી કરીને આ બનાવની ચિરાગભાઈ દામજીભાઈ ભોરણીયા (33) રહે. સીતારામ પેલેસ પંચાસર રોડ મોરબી વાળાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News