મોરબીમાં સિલિકોસિસ પીડિત શ્રમિકોને વળતર અપાવવામાં DISH કચેરીની આડોડાઈ, કેસ દાખલ કરવા ૭ દિવસનું અલ્ટિમેટમ મોરબી જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને ૧૭ જુલાઈના રોજ જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક, જિલ્લા સ્વાગત કાર્યક્રમ તા. ૨૩ જુલાઈએ મોરબી જિલ્લામાં ૫૩ નવનિયુક્ત મહેસૂલી તલાટીઓને કલેક્ટરશ્રી સ્વપ્નિલ ખરેના હસ્તે નિમણૂક પત્રો એનાયત મોરબીના જેતપર ગામે ચાલતા ખેડૂતો આંદોલનની અસર, વીજપોલ માટે 6.11 લાખના બદલે હવે 27.02 લાખ અને કોરિડોરના 12.74 લાખના હવે 37.25 લાખ મળશે: કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી ૧૬મી જુલાઈ, અષાઢી બીજ નિમિત્તે ભુજના હૃદયસમા હમીરસર તળાવ કાંઠે કચ્છની કળા, સંસ્કૃતિ અને પરંપરાના સુંદર અને અદભુત સમન્વય સાથે યોજાશે સાંસદ કચ્છ કાર્નિવલ-૨૦૨૬ મોરબીના માળીયા મિયાણામાં બાઈક સાથે કાર અથડાવી બે યુવકોને ઢોર માર માર્યો, બંદૂકથી ફાયરિંગ કરતા એકને પગમાં ઈજા વાંકાનેરમાં પૂ.ભાવચંદ્રજી સ્વામી આદિની 16 દિવસની સ્થિરતા : વિવિધ અનુષ્ઠાનો યોજાયા, સાંસદ કેસરીદેવસિંહ જાડેજાએ પૂજ્ય આચાર્ય ગુરુદેવશ્રીને શાલ અર્પણ કરી મોરબી : મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા સમાજના ચોથા સ્તંભ સમાન પત્રકારોનું સન્માન
Breaking news
Morbi Today

વાંકાનેરના દારૂના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી પકડાયો


SHARE









વાંકાનેરના દારૂના ગુનામાં ત્રણ વર્ષથી ફરાર આરોપી પકડાયો

વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ત્રણ વર્ષ પહેલાં નોંધાયેલ દારૂના ગુનામાં છેલ્લા ત્રણ વર્ષથી ફરાર આરોપીને પોલીસ સ્ટાફે બાતમીના આધારે પકડી પાડ્યો છે.

રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ દ્વારા નાસતા ફરતા આરોપીઓને પકડવા સૂચના કરવામાં આવેલી હોય મોરબી જિલ્લા પોલીસવડા રાહુલ ત્રિપાઠીએ આ બાબતે સ્ટાફને વોચમાં રહેવા જણાવ્યું હોય તે અન્વયે ડીવાયએસપી સારડાના માર્ગદર્શન હેઠળ વાંકાનેર ડીવીઝનમાં દાખલ થયેલ ગુનાઓમાં ફરાર આરોપીઓને પકડીને કાયદેસરની કાર્યવાહી કરવા સુચના કરેલ હતી.વાંકાનેર તાલુકા પોલીસ મથકે વર્ષ ૨૦૨૧ માં દાખલ થયેલ દારૂના ગુનામાં ફરાર આરોપી વિનોદકુમાર મુસારામ ગુજ્જર રહે.પુરનનગર તા.કોટપુતલી જી.જયપુર રાજસ્થાન અંગે પોકેટકોપમા સર્ચ કરતા આ આરોપી દારૂના ગુનામાં અમીરગઢ પોલીસ સ્ટેશન જી.બનાસકાંઠામાં પકડાયેલ હોય ત્યાંથી તેનો ટ્રાંન્સફર વોરંટ આધારે કબ્જો મેળવીને અત્રેના ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી.આ કામગીરી પીએસઆઇ એલ.એ.ભરગા તેમજ સ્ટાફના ભરતભાઈ બાવળીયા અને હંસાબેન પાપોદરાએ કરી હતી.

મારામારીના ગુનામાં ધરપકડ

મોરબીના વાવડી રોડ ઉપર દિવાળી સમયે ફટાકડાની દુકાને બોલાચાલી ઝઘડો થયો હતો.ત્યારે જયરાજ અવાડીયા સાથે માથાકૂટ કરવામાં આવી હતી અને બાદમાં હુમલો કરવામાં આવ્યો હોય ફરિયાદ નોંધાવવામાં આવી હતી.જેમાં અમુકને પકડવામાં આવ્યા હતા અને દરમિયાનમાં એ ડિવિઝન પોલીસ મથકના પીએસઆઇ સી.એમ.કરકર તથા રાયટર ધ્રુવરાજસિંહ દ્વારા તે બાબતમાં સંડોવાયેલા પ્રકાશ દીપકભાઇ પરમાર રજપૂત (૨૨) રહે.મોચીચોક મોરબી વિરુદ્ધ અટકાયતી પગલા લેવામાં આવ્યા હતા.

વાહન અકસ્માતમાં ઈજા

હળવદના રાતાભેર ગામે રહેતા નવનીતભાઈ રમેશભાઈ શર્મા, રોહિણીબેન નવનીતભાઈ શર્મા અને રિયા નવનીતભાઇ શર્માને અકસ્માત બનાવમાં ઇજાઓ થઈ હતી.જેથી મોરબીની ખાનગી હોસ્પિટલએ સારવાર માટે લાવવામાં આવ્યા હતા.તેઓ ચોટીલાથી પરત રાતાભેર ગામ જતા હતા ત્યારે રસ્તામાં હળવદ હાઇવે ઉપર રાતાભેર અને નીચી માંડલ વચ્ચે અજાણ્યા વાહન સાથે અકસ્માત બનાવ સર્જાયો હતો જેથી ઇજાગ્રસ્ત થતા તેઓને સારવારમાં લવાયા હોવાનું જાણવા મળેલ છે.






Latest News