મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

વાંકાનેરમાં કોરોના કાળમાં અવસાન પામેલ સ્વજનોનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન


SHARE







વાંકાનેરમાં કોરોના કાળમાં અવસાન પામેલ સ્વજનોનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન

(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં કોરોના કાળ દરમ્યાન અવસાન પામેલા સ્વજનોનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.

વાંકાનેરમાં કોરોના કાળ દરમ્યાન અનેક પરિવારો એ પોતાના સ્વજનો ગુમાવ્યા હતાં, ત્યારે અવસાન પામેલ સ્વજનો તથા અકસ્માતે પણ અવસાન પામેલા સદ્દગતોનાં મોક્ષ અર્થે શ્રી નિલકંઠ મહાદેવ સેવા સમિતિ વાંકાનેર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ " મોક્ષ કથા" નું આયોજન કરવામાં આવ્યું છે, તા. 20 થી 27 ડિસેમ્બર દરમ્યાન ભાગવત સપ્તાહ યોજાશે, જેમાં વક્તા શાસ્ત્રી અનિલ પ્રસાદ જોષી (ઝૂંડાળા વાળા) દ્વારા વ્યાસપીઠ પરથી કથા પાન કરવામાં આવશે, ગઢની રાંગ, નિલકંઠ મહાદેવ મંદિરનાં સાનિધ્યમાં નિત્ય બપોરે એક ટાઈમ 3-30 થી 6-30 દરમ્યાન કથા યોજાશે, આ સપ્તાહમાં પોતાના સ્વજનો માટે ભાગવત પોથીનો પાટલો નોંધાવવા માગતાં સદ્ગ્રહસ્થએ સમિતિનાં સભ્યો નો સંપર્ક કરવા શ્રી નિલકંઠ મહાદેવ સેવા સમિતિ વાંકાનેર દ્વારા જણાવાયું છે.






Latest News