મોરબીમાં જાહેર માર્ગો ઉપરથી કતલખાના અને ઈંડાની લારી ખસેડવાની માંગ
વાંકાનેરમાં કોરોના કાળમાં અવસાન પામેલ સ્વજનોનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન
SHARE
વાંકાનેરમાં કોરોના કાળમાં અવસાન પામેલ સ્વજનોનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન
(કેતન ભટ્ટી દ્વારા) વાંકાનેરમાં કોરોના કાળ દરમ્યાન અવસાન પામેલા સ્વજનોનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે.
વાંકાનેરમાં કોરોના કાળ દરમ્યાન અનેક પરિવારો એ પોતાના સ્વજનો ગુમાવ્યા હતાં, ત્યારે અવસાન પામેલ સ્વજનો તથા અકસ્માતે પણ અવસાન પામેલા સદ્દગતોનાં મોક્ષ અર્થે શ્રી નિલકંઠ મહાદેવ સેવા સમિતિ વાંકાનેર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ " મોક્ષ કથા" નું આયોજન કરવામાં આવ્યું છે, તા. 20 થી 27 ડિસેમ્બર દરમ્યાન ભાગવત સપ્તાહ યોજાશે, જેમાં વક્તા શાસ્ત્રી અનિલ પ્રસાદ જોષી (ઝૂંડાળા વાળા) દ્વારા વ્યાસપીઠ પરથી કથા પાન કરવામાં આવશે, ગઢની રાંગ, નિલકંઠ મહાદેવ મંદિરનાં સાનિધ્યમાં નિત્ય બપોરે એક ટાઈમ 3-30 થી 6-30 દરમ્યાન કથા યોજાશે, આ સપ્તાહમાં પોતાના સ્વજનો માટે ભાગવત પોથીનો પાટલો નોંધાવવા માગતાં સદ્ગ્રહસ્થએ સમિતિનાં સભ્યો નો સંપર્ક કરવા શ્રી નિલકંઠ મહાદેવ સેવા સમિતિ વાંકાનેર દ્વારા જણાવાયું છે.