વાંકાનેરમાં કોરોના કાળમાં અવસાન પામેલ સ્વજનોનાં મોક્ષાર્થે શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન
મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કિસાન શિબિર યોજાઇ
SHARE
મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે કિસાન શિબિર યોજાઇ
મોરબી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે વન વિભાગ ટંકારા રેન્જ તથા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મોરબીના સંયુક્ત ઉપક્રમે એક કિસાન શિબિરનું આયોજન કરવામાં આવેલ હતું આ શિબિર માં હાજર રહેલ ખેડૂતોને જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના શાકભાજી વિભાગના ડો. કે.બી. આંસોદરિયાએ ખેડૂતોને શિયાળુ પાકમાં ડુંગળી અને લસણ બાબતે માર્ગદર્શન આપ્યું હતું જ્યારે આ કેન્દ્રના વૈજ્ઞાનિક ડી.એ. સરડવાએ એગ્રો ફોરેસ્ટ્રીનું ખેતીમાં મહત્વ સમજાવ્યું હતું અને વનવિભાગના ઓફિસર સંઘાણીએ સામાજિક વનીકરણ યોજના અંગે ખેડૂતોને માહિતગાર કર્યા હતા આ શિબિરના અંતે આ કેન્દ્રના વડા ડો.એલ.એલ. જીવાણીએ આભાર વિધિ કરી હતી