મોરબીના થોરાળા ગામે વાડીએ કુવામાં પડી જવાથી શ્રમિક યુવાનનું મોત
SHARE
મોરબીના થોરાળા ગામે વાડીએ કુવામાં પડી જવાથી શ્રમિક યુવાનનું મોત
મોરબી તાલુકાના થોરાળા ગામે વાડીએ રહીને મજૂરી કામ કરતો યુવાનો કોઈ કારણોસર વાડીએ આવેલ કુવામાં પડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક 108 મારફતે સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.
જાણવા મળતી વિગત પ્રમાણે મોરબી તાલુકાના થોરાળા ગામની સીમમાં બલૂભાઈની વાડીએ રહેતો અને મજૂરી કામ કરતો વિનુભાઈ જયંતીભાઈ નાયક (30) નામનો યુવાન વાડીએ હતો ત્યારે કોઈ કારણોસર સાંજના સાતેક વાગ્યાના અરસામાં તે વાડીએ આવેલ કુવામાં પડી ગયો હતો જેથી કરીને તેને તાત્કાલિક બહાર કાઢીને 108 મારફતે સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં ફરજ પરના ડોક્ટરે તે યુવાનને જોઈ તપાસીને મૃત જાહેર કર્યો હતો અને ત્યારબાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે