ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબી મહાપાલિકા દ્વારા કાલે પુસ્તક પ્રદર્શન કમ ડોનેશન કાર્યક્રમ યોજાશે


SHARE













મોરબી મહાપાલિકા દ્વારા કાલે પુસ્તક પ્રદર્શન કમ ડોનેશન કાર્યક્રમ યોજાશે

મોરબી મહાનગરપાલિકા અને પુસ્તક પરબ-મોરબી દ્વારા આવતીકાલ તા. ૧૬ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકથી ૧૧:૦૦ કલાક સુધી પુસ્તક પ્રદર્શન કમ ડોનેશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.

મોરબીના નગરવાસીઓમાં પુસ્તકોના વાંચન પ્રત્યે જાગૃતિ વધે તેવા ઉમદા હેતુથી કેસરબાગ-મોરબી ખાતે સમગ્ર કાર્યક્રમનું આયોજન કરાશે. આ ઉપરાંત કાર્યક્રમમાં પુસ્તક પરિચય-બુક ટોક કાર્યક્રમ યોજવામાં આવશે. જેમાં મોરબીના પ્રસિદ્ધ કવિ જલરૂપ રૂપેશ પરમાર અને રાજ્યકક્ષાની વાર્તા સ્પર્ધામાં મોરબીનું પ્રતિનિધિત્વ કરનાર કાવ્યા પૈજા દ્વારા પુસ્તક પરિચય આપવામાં આવશે. આ પ્રદર્શન મોરબી મહાપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર સ્વપ્નિલ ખરેના હસ્તે ખુલ્લું મુકવામાં આવશે. મોરબીની જાહેર જનતાને આ પ્રદર્શન નિહાળવા અને પોતાના પુસ્તકો લાયબ્રેરીને દાન કરવા અંગે અપીલ કરવામાં આવે છે. તેમ ડેપ્યુટી કમિશ્નર, મોરબી મહાપાલિકાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.






Latest News