મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ બે શખ્સ પાસે હેઠળ જેલલ હવાલે: હળવદ તાલુકાના દારૂના ગુનામાં આરોપી 13 વર્ષે ઝડપાયો વાંકાનેર પાલિકાની ચૂંટણી પહેલા જ કોંગ્રેસને ત્રણ બેઠક બિન હરીફ !, ભાજપ વર્ષોથી વોર્ડ 4 માં ઉમેદવાર ઉભા રાખતી જ નથી મોરબી મહાપાલિકાની ચૂંટણી લડવા માટે કોણે કોણે ભર્યા ઉમેદવારી પત્રો: પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબી મહાનગરપાલિકાની 52 બેઠકો પક્ષ-અપક્ષ સહિત કુલ 204 ઉમેદવારોએ ફોર્મ ભર્યા મોરબીમાં 3 સંતાન હોય આપના મહિલા ઉમેદવારનું ફોર્મ ન ભરાઈ તે સ્થિતિ સર્જાતા તાત્કાલિક ઉમેદવાર બદલાવ્યા: હવે 52 ઉમેદવારો ચૂંટણીના જંગમાં તૈયાર ભારે કરી: મોરબી મહાપાલિકામાં 52 પૈકી 3 બેઠક ઉપર કોંગ્રોસના ઉમેદવારી પત્ર ભરાયા જ નહી ! વિનેબલ નવા ચહેરા ન મળ્યા ?: મોરબીમાં સુપરસીડ કરાયેલ પાલિકાના 7 સભ્યો મનપામાં રિપીટ, 5 સભ્યોના પરિવારજનને ટિકિટ ! મોરબી મહાપાલિકાની ચૂંટણીમાં ઉમેવદારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ: કોણ-કોણ પક્ષ અને અપક્ષમાંથી ઉમેદવાર કરશે તેના ઉપર સહુની નજર
Breaking news
Morbi Today

મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીને મહાકુંભ પ્રયાગરાજ ખાતે મળી મહામંડલેશ્વરની પદવી


SHARE













મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીને મહાકુંભ પ્રયાગરાજ ખાતે મળી મહામંડલેશ્વરની પદવી

મહાકુંભ પ્રયાગરાજ ખાતે જગતગુરૂ મહામંડલેશ્વર શ્રીશ્રી 1008 વાસુદેવાઆચાર્યજી મહારાજના સાનિધ્યમાં કથાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે અખિલ ભારતીય અનીઅખાડા હનુમાનજી ગઢી અયોધ્યા કુબાજી પીઠ દ્વારા જીથરા (રાજસ્થાન) સંતો મહંતો દ્વારા રત્નેશ્વરીદેવીને શ્રી શ્રી 1008  મહામંડલેશ્વર પદવી અર્પણ કરવામાં આવી હતી. 

મહાકુંભ પ્રયાગરાજ ખાતે કથાનું અયોજન કરવામાં આવ્યું હતું ત્યાર બાદ મહામંડલેશ્વર પદવીદાન સમયે હાજર રહેલાં મહંતોમાં ભરતદાજીબાપુ, મુકેશબાપુ, ચંદ્રકાંતબાપુ તેમજ રમેશભાઈ, ચંદુભાઈ, ગણેશભાઈ, જગદીશભાઈ, ઘનશ્યામભાઈ, ત્રિભોવનભાઈ, દિલીપભાઈ, ક્રાંતિજયોત મહિલા મંડળ- ટંકારાના ભકતોનો સમાવેશ થાય છે અને મોરબીના રામધન આશ્રમ ખાતે ભક્તો દ્વારા ભવ્ય સામૈયા કરવામાં આવ્યા હતાં ત્યારે બાદ આશ્રમ ખાતે સંતો મહંતો ભકતોની હાજરીમાં સન્માન સમારોહ યોજાયો હતો અને વાંકાનેર વઢવાણ સીતાપુર કાગદડી સાદુરકા બગથળા તેમજ મોરબી મંડળના સંતો મહંતો ત્યાં આવ્યા હતા સાથે જ બ્રહ્મ સમાજ, ક્ષત્રિય સમાજ, ઠાકોર સમાજ,પટેલ સમાજ, પ્રજાપતિ સમાજ, રામાનંદ સાધુ સમાજ, ગોસ્વામી સાધુ સમાજ, તેમજ દરેક જ્ઞાતિ દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું અને આ તકે મહાપ્રસાદની વ્યવસ્થા  ગોર ખીજડીયા અલધણી ગૌશાળા ચેરીટેબલ ટ્રસ્ટ કરવામાં આવી હતી. અને મોરબી જલારામ મંદિરના અગ્રણી ગીરીશભાઈ ઘેલાણી,  હસરાજબાપા,  કાંતિભાઈ, બજરંગભાઈ,  ચુનીભાઈ, હસુભાઈ પંડ્યા, અનીલભાઈ મહેતા,   પ્રવિણભાઈ,  રેવાબેન ધોરીયાણી, જયંતીભાઈ, કેતનભાઈ, મુકેશભાઈ, ધનજીભાઈ સહિતના હાજર રહ્યા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જગ્યાના સેવકોએ જહેમત ઉઠાવી હતી. મહામંડલેશ્વર રત્નેશ્વરીદેવી  બનતા સાધુ સમાજ તેમજ મોરબીનું ગૌરવ વધાર્યું છે.






Latest News