મોરબી રામધન આશ્રમના રત્નેશ્વરીદેવીને મહાકુંભ પ્રયાગરાજ ખાતે મળી મહામંડલેશ્વરની પદવી
મોરબીના વનાળીયા ગામે ધો. 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ-કારકિર્દી માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો
SHARE
મોરબીના વનાળીયા ગામે ધો. 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ-કારકિર્દી માર્ગદર્શનનો કાર્યક્રમ યોજાયો
મોરબી તાલુકાની સરકારી માધ્યમિક શાળા વનાળીયા ખાતે ધો. 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ અને કારકિર્દી માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો આ કાર્યક્રમમાં ગામના સરપંચ, પંચાયત સભ્યો, વિદ્યાર્થીઓના વાલીઓ, શિક્ષકો તેમજ દરેક વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. આ કાર્યક્રમમાં સમગ્ર વર્ષ દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓમાં અગ્રેસર વિદ્યાર્થીઓને, શાળામાં 100 % હાજરી આપનાર વિદ્યાર્થીઓને, તેજસ્વી વિદ્યાર્થીઓને તેમજ શાળા સ્વયંસેવકોને પ્રમાણપત્ર તેમજ ઇનામ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ધો. 10 ની પરીક્ષા આપનાર દરેક વિદ્યાર્થીઓને ટ્રાન્સપરન્ટ પેડ તેમજ ટ્રાન્સપરન્ટ પાઉચ સાથે લેખન સામગ્રી આપવામાં આવી હતી. અને ધો.10 ના વિદ્યાર્થીઓ દ્વારા એકત્રિત કરવામાં આવેલ 2,300 અને ત્રણેય શિક્ષકો દ્વારા શાળાને આપેલ 14700 કુલ રૂપિયા 17000 ની રકમમાંથી શાળા માટે ભેટ સ્વરૂપે નવું વાઇફાઇ પ્રિન્ટર આપવામાં આવ્યું. ધો. 9 ના વિદ્યાર્થીઓએ શાળાનો ઓરડો શણગારી ધો. 10 ના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યાદગાર બનાવ્યો હતો.