મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

કાલે મોરબી જિલ્લાની હળવદ-વાંકાનેર પાલિકાનું ચિત્ર સ્પષ્ટ: સવારે 9 વાગ્યાથી મતગણતરી


SHARE















કાલે મોરબી જિલ્લાની હળવદ-વાંકાનેર પાલિકાનું ચિત્ર સ્પષ્ટ: સવારે 9 વાગ્યાથી મતગણતરી

મોરબી જિલ્લાની હળવદ તથા વાંકાનેર નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી કાલે થવાની છે ત્યારે સવારે 9:00 વાગ્યાથી પોસ્ટલ બેલેટ તથા ઇવીએમમાં પડેલા મતોની ગણતરી શરૂ કરવામાં આવશે અને લગભગ બપોર સુધીમાં આ બંને નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ કરીને તંત્ર દ્વારા વિજેતાઓના નામ જાહેર કરી દેવામાં આવશે.

મોરબી જિલ્લામાં આવેલ હળવદ નગરપાલિકાની સામાન્ય ચૂંટણી માટેનું રવિવારે મતદાન થયું હતું અને 63.61 ટકા મતદાન મતદારો દ્વારા કરવામાં આવ્યું હતું આ નગરપાલિકાના સાત બોર્ડની 28 બેઠકો માટે કુલ મળીને 70 જેટલા ઉમેદવારો ચૂંટણીના જંગમાં હતા અને તેના માટે કરવામાં આવેલ મતદાન ઇવીએમમાં કેદ થયેલ છે ત્યારે કાલે સવારે 9:00 વાગ્યે હળવદમાં આવેલ મોર્ડન સ્કૂલ ખાતે આ મતોની ગણતરી શરૂ થવાની છે અને પોસ્ટલ બેલેટ તથા ઇવીએમમાં પડેલા મતોની ગણતરી એક સાથે શરૂ કરવામાં આવશે કુલ મળીને પાંચ ટેબલ ઉપર ઇવીએમ મશીનને ક્રમશઃ લઇ આવીને એક વોર્ડનો એક રાઉન્ડ તે રીતે મતગણતરી થશે જેના માટે થઈને કુલ મળીને 35 જેટલા અધિકારી અને કર્મચારીઓને ફરજ ઉપર રાખવામાં આવ્યા છે

આવી જ રીતે વાંકાનેર નગરપાલિકાની મધ્યસત્ર ચૂંટણી જાહેર કરવામાં આવી હતી અને સાત બોર્ડની 28 બેઠકો પૈકી ભાજપને 11, કોંગ્રેસને 1 અને બસપાને 1 કુલ મળીને 13 બેઠકો બિનહરીફ થઈ ગયેલ છે જોકે 15 બેઠકો માટે 32 જેટલા ઉમેદવારો ચૂંટણીના જંગ હતા અને તેના માટે રવિવારે મતદારો દ્વારા મતદાન કરવામાં આવ્યું હતુ જે મત ગણતરી કાલે સવારે 9:00 વાગ્યે વાંકાનેરમાં આવેલ અમરસિંહજી હાઇસ્કુલ ખાતે કરવામાં આવનાર છે અને ત્યારે પાંચ ટેબલ ઉપર ક્રમશઃ ઇવીએમ મશીન લાવીને મતોની ગણતરી કરવામાં આવશે તેમજ 17 પોસ્ટલ બેલેટ તથા ઇવીએમમાં પડેલા મતોની એક સાથે જ ગણતરી કરવામાં આવશે અને આ મતગણતરી માટે થઈને 40 થી વધુ કર્મચારીઓને ફરજ પર રાખવામાં આવ્યા છે. આમ મોરબી જિલ્લાની આ બંને નગરપાલિકાની મતગણતરી નવ વાગ્યાથી શરૂ કરવામાં આવશે અને લગભગ બપોર પહેલા આ બંને નગરપાલિકાનું ચિત્ર સ્પષ્ટ થઈ જશે અને વિજેતાઓના નામ પણ જાહેર કરી દેવામાં આવશે.






Latest News