મોરબીમાં સુભાષ રોડે દુકાનની પાછળ ટીખળખોરે કચરો સળગાવતા વિકરાળ આગ: ફાયરની ટિમ દોડતી મોરબીના મહેન્દ્રનગર  પાસે ભક્તિનગર-2 સોસાયટીમાં ચાલુ વીજવાયર તૂટીને પડતાં બે વાહન બળીને ખાખ મોરબીમાં ઉમિયાથી દલવાડી સર્કલ જવાના કેનાલની બીજી બાજુના રોડને સીસી રોડ બનાવવા માટે સીએમને કરી રજૂઆત મોરબીમાં મહાશિવરાત્રીના દિવસે સિદ્ધનાથ મહાદેવની ભવ્ય શોભાયાત્રાનું આયોજન વલ્લભીપુરના પચ્છેગામ ગામે આયોજિત ત્રિવેણી કાર્યક્રમમાં મોરબી સહિત 20 જિલ્લાના ધર્મપ્રેમી લોકોને જોડાવા ગાયત્રી આશ્રમના સંત લાલબાપુનું જાહેર આમંત્રણ હળવદના વેગડવાવ ફાટક પાસે ટ્રાફિક સહિતની સમસ્યા ઉકેલવાની દિશામાં આગળ વધતું તંત્ર બાટલો ફાટયો: મોરબીમાં ફરીયાદ નિવારણના કાર્યક્રમ 30 અરજી કરી તો પણ કામ ન થતાં હવે કચેરીને તાળાબંધીની ચીમકી ઉચ્ચારી મોરબીના સોખડા ગામના પાટીયા પાસે ટેન્કર ચાલકે બેદરકારીપૂર્વક લેતા ટ્રક સાથે અકસ્માત થતા વાહનમાં નુકસાન, કોઈ જાનહાનિ નહીં
Breaking news
Morbi Today

મોરબીમાં રખડતાં ઢોરની સમસ્યા દુર કરવા કોંગ્રેસના મહામંત્રીએ કરી કમિશનરને રજૂઆત


SHARE















મોરબીમાં રખડતાં ઢોરની સમસ્યા દુર કરવા કોંગ્રેસના મહામંત્રીએ કરી કમિશનરને રજૂઆત

મોરબીમાં આવેલ સોઓરડી વિસ્તારમાં રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે અને જાનહાનિ થાય તેવી પણ શ્ક્યતા રહે છે જેથી કરીને આ સમસ્યામાંથી સ્થાનિક લોકોને કાયમી મુક્તિ મળે તેના મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રીએ કમિશનરને લેખિતમાં રજૂઆત કરેલ છે.

મોરબી શહેર કોંગ્રેસના મહામંત્રી વસીમભાઈ મનસુરીએ મહાપાલિકાના કમિશનરને જે રજૂઆત કરેલ છે તેમાં જણાવ્યું છે કે, મોરબીમાં ઢોર પકડવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી પરંતુ હજુ પણ ઘણા વિસ્તારમાં આજની તારીખે રખડતા ઢોરની સમસ્યા યથાવત છે ત્યારે મોરબીના સોઓરડી વિસ્તારમાં શ્રમજીવી પરિવાર રહે છે અને તેના બાળકો ઘરની બહાર રમતા હોય છે અને ઘણા લોકોના વાહનો પણ ઘરની બાહર હોય છે ત્યારે આ રખડતાં ઢોરના કારણે જાનહાનિ થાય કે પછી કોઈ માલ મિકલતને નુકશાન થાય તો તેના માટે જવાબદાર કોણ તે પ્રશ્ન ઉઠી રહ્યો છે અત્રે ઉલેખનીય છે કે, અગાઉ મોરબીમાં ઘણી દુર્ઘટના બનેલ છે ત્યારે ભવિષ્યમાં આવી ઘટના ન બને તેના માટે રખડતા ઢોર મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરેલ છે.






Latest News