મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ખાતે કારકિર્દીલક્ષી 12 સેમીનાર યોજાયા


SHARE







મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ખાતે કારકિર્દીલક્ષી 12 સેમીનાર યોજાયા

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે ભણતા ધો. 9થી 12 ના વિદ્યાર્થીઓએ માટે છેલ્લા દોઢ માસના જુદાજુદા શૈક્ષણિક કારકિર્દીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને 12 જેટલા વિદ્યાર્થીઓએ માટે ઉપયોગી સેમિનારમાં તેઓને જરૂરી માર્ગદર્શન નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યું હતું. જે સેમિનારો યોજવામાં આવેલ છે તેમાં સેવ વુમન ફોર સાયલન્ટ કીલર સેમિનારમાં સિંધવ શોભનાબેન અને પરમાર બીનાબેનએ માર્ગદર્શન આપ્યું હતું, તાલુકા પોલીસ સ્ટેશન વિઝીટ કરી હતી ત્યારે પીઆઇ એન.આર. મકવાણાએ માર્ગદર્શન આપ્યું હતું, ફાયર સેફટી ટ્રેનિંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેમિનારમાં શાળાના આચાર્ય દ્વારા માર્ગદર્શન આપ્યું હતું, ટ્રાફિક જાગૃતિ અંગે અને વાહન સેફ્ટી સેમિનારમાં બી ડિવિઝનના પીએસઆઈ એસ.વી.સમાણી અને બી.એ.ગઢવી દ્વારા માર્ગદર્શન આપ્યું હતું, મિશન માર્ચ-2025 સેમિનારમાં શાળાના સંચાલક કિશોરભાઈ શુકલે માર્ગદર્શન આપ્યું હતું, ફેશન ડિઝાઇન માટેના સેમિનારમાં હેતલબેન જોશીએ માર્ગદર્શન આપ્યું હતું, એરફોર્સ સેમિનારમાં દિવ્યરાજસિંહ રાણા (સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ, નોન ટેકનિકલ વિભાગ)એ માર્ગદર્શન આપ્યું હતું, ITI સેમીનારમાં મનોજભાઈ પરમારએ માર્ગદર્શન આપ્યું હતું, C.A. સેમિનારમાં CA મૌલિકભાઈ ટોલિયાએ માર્ગદર્શન આપ્યું હતું, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટના સેમીનારમાં CA હાર્દિકભાઈ વ્યાસએ માર્ગદર્શન આપ્યું હતું, SSIP  Seminarમાં હર્ષદભાઈ સંતોક તેમજ શક્તિભાઈ ગોહિલ અને આરોગ્ય અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમમાં ડોલીબેન વડાવિયાએ માર્ગદર્શન આપ્યું હતું, તેવી માહિતી શાળાના સંચાલકે આપેલ છે.






Latest News