મોરબીના યુવાનની હત્યા મામલે તપાસ હોથલ ફાયનાન્સ સુધી પહોચી: આરોપી પાસે ઘટનાનું રી-કન્સ્ટ્રકશન કરાવ્યુ મોરબીના નવયુગ શૈક્ષણિક સંકુલના વાર્ષિકોત્સવમાં સંસ્કૃતિ, સંસ્કાર અને સન્માનનો અનોખો મેળાપ મોરબીમાં સાઈબર ક્રાઈમના ગુનામાં પડકાયેલ આરોપીના જામીન મંજૂર વોર્ડ નં-3 માં કોંગ્રેસના સ્થાનિક ઉમેદવારોને પેનલ ટુ પેનલ મત આપીને વિજયી બનાવો: મોરબીની ઉમા ટાઉનશિપમાં કોંગ્રેસના આગેવાનોએ સભા ગજવી જામનગરથી કચ્છ જતા ભાનુશાળી પરિવારની રિક્ષાનો મોરબી નજીક અકસ્માત, મહિલાનું મોત બે બાળકો ઇજાગ્રસ્ત મોરબીના વોર્ડ નં.1 માં મતદારો માત્ર કમળનું નિશાન જોઈને બટન દબાવીને ચારેય ઉમેદવારો વિજયી બનાવે: રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયાનું આહ્વાન મોરબીમાં હાઇવેના કામમાં બાળ કીશોરને કામે રાખનાર કોન્ટ્રાક્ટર સામે ગુનો નોધાયો મોરબીના બોડકી ગામ પાસે યુવાનને બે શખ્સોએ ક્રિકેટ રમવાના બેટ વડે માર માર્યો
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ખાતે કારકિર્દીલક્ષી 12 સેમીનાર યોજાયા


SHARE













મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ખાતે કારકિર્દીલક્ષી 12 સેમીનાર યોજાયા

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે ભણતા ધો. 9થી 12 ના વિદ્યાર્થીઓએ માટે છેલ્લા દોઢ માસના જુદાજુદા શૈક્ષણિક કારકિર્દીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને 12 જેટલા વિદ્યાર્થીઓએ માટે ઉપયોગી સેમિનારમાં તેઓને જરૂરી માર્ગદર્શન નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યું હતું. જે સેમિનારો યોજવામાં આવેલ છે તેમાં સેવ વુમન ફોર સાયલન્ટ કીલર સેમિનારમાં સિંધવ શોભનાબેન અને પરમાર બીનાબેનએ માર્ગદર્શન આપ્યું હતું, તાલુકા પોલીસ સ્ટેશન વિઝીટ કરી હતી ત્યારે પીઆઇ એન.આર. મકવાણાએ માર્ગદર્શન આપ્યું હતું, ફાયર સેફટી ટ્રેનિંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેમિનારમાં શાળાના આચાર્ય દ્વારા માર્ગદર્શન આપ્યું હતું, ટ્રાફિક જાગૃતિ અંગે અને વાહન સેફ્ટી સેમિનારમાં બી ડિવિઝનના પીએસઆઈ એસ.વી.સમાણી અને બી.એ.ગઢવી દ્વારા માર્ગદર્શન આપ્યું હતું, મિશન માર્ચ-2025 સેમિનારમાં શાળાના સંચાલક કિશોરભાઈ શુકલે માર્ગદર્શન આપ્યું હતું, ફેશન ડિઝાઇન માટેના સેમિનારમાં હેતલબેન જોશીએ માર્ગદર્શન આપ્યું હતું, એરફોર્સ સેમિનારમાં દિવ્યરાજસિંહ રાણા (સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ, નોન ટેકનિકલ વિભાગ)એ માર્ગદર્શન આપ્યું હતું, ITI સેમીનારમાં મનોજભાઈ પરમારએ માર્ગદર્શન આપ્યું હતું, C.A. સેમિનારમાં CA મૌલિકભાઈ ટોલિયાએ માર્ગદર્શન આપ્યું હતું, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટના સેમીનારમાં CA હાર્દિકભાઈ વ્યાસએ માર્ગદર્શન આપ્યું હતું, SSIP  Seminarમાં હર્ષદભાઈ સંતોક તેમજ શક્તિભાઈ ગોહિલ અને આરોગ્ય અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમમાં ડોલીબેન વડાવિયાએ માર્ગદર્શન આપ્યું હતું, તેવી માહિતી શાળાના સંચાલકે આપેલ છે.






Latest News