મોરબી મનપામાં મિલ્કત વેરો ન ભરનારા 37 આસામીઓની મિલ્કત સીલ મોરબીના કલ્સટર-4 માં સફાઈ સહિતના કામની વિઝિટ કરતાં નાયબ કમિશનર મોરબીની મહેન્દ્રનગર ચોકડીએ અચાનક આગ લાગતા કાર બળીને ખાખ મોરબી જિલ્લા કલેક્ટર કચેરી ખાતે જિલ્લા બાળ સુરક્ષા સમિતિ તથા બાળ કલ્યાણ સમિતિની સમીક્ષા બેઠક યોજાઈ મોરબીમાં આવેલ ગાયત્રી ચેતના કેન્દ્ર ખાતે ગુરુવારે બૌદ્ધિક સત્રનું આયોજન મોરબીના પાનેલી ગામે આવેલ આયુષ્યમાન આરોગ્ય મંદિર દ્વારા રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરાઇ વાંકાનેર–મીતાણા રોડ પર આસોઈ નદી પર મેજર બ્રિજનું નિર્માણ કાર્ય શરૂ: કેશરીદેવસિંહજી ઝાલાની સફળ રજૂઆત મોરબીના રિપેરિંગ કામ માટે 45 દિવસ સુધી બંધ રહેશે પાડાપુલ, 1.5 કરોડના ખર્ચે થશે સમારકામ: પ્રાંત અધિકારી પ્રવિણસિંહ જેતાવત
Breaking news
Morbi Today

મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ખાતે કારકિર્દીલક્ષી 12 સેમીનાર યોજાયા


SHARE















મોરબી સાર્થક વિદ્યામંદિરમાં ખાતે કારકિર્દીલક્ષી 12 સેમીનાર યોજાયા

મોરબીમાં આવેલ સાર્થક વિદ્યામંદિર ખાતે ભણતા ધો. 9થી 12 ના વિદ્યાર્થીઓએ માટે છેલ્લા દોઢ માસના જુદાજુદા શૈક્ષણિક કારકિર્દીલક્ષી સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું અને 12 જેટલા વિદ્યાર્થીઓએ માટે ઉપયોગી સેમિનારમાં તેઓને જરૂરી માર્ગદર્શન નિષ્ણાંતો દ્વારા આપવામાં આવ્યું હતું. જે સેમિનારો યોજવામાં આવેલ છે તેમાં સેવ વુમન ફોર સાયલન્ટ કીલર સેમિનારમાં સિંધવ શોભનાબેન અને પરમાર બીનાબેનએ માર્ગદર્શન આપ્યું હતું, તાલુકા પોલીસ સ્ટેશન વિઝીટ કરી હતી ત્યારે પીઆઇ એન.આર. મકવાણાએ માર્ગદર્શન આપ્યું હતું, ફાયર સેફટી ટ્રેનિંગ તેમજ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સેમિનારમાં શાળાના આચાર્ય દ્વારા માર્ગદર્શન આપ્યું હતું, ટ્રાફિક જાગૃતિ અંગે અને વાહન સેફ્ટી સેમિનારમાં બી ડિવિઝનના પીએસઆઈ એસ.વી.સમાણી અને બી.એ.ગઢવી દ્વારા માર્ગદર્શન આપ્યું હતું, મિશન માર્ચ-2025 સેમિનારમાં શાળાના સંચાલક કિશોરભાઈ શુકલે માર્ગદર્શન આપ્યું હતું, ફેશન ડિઝાઇન માટેના સેમિનારમાં હેતલબેન જોશીએ માર્ગદર્શન આપ્યું હતું, એરફોર્સ સેમિનારમાં દિવ્યરાજસિંહ રાણા (સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટ, નોન ટેકનિકલ વિભાગ)એ માર્ગદર્શન આપ્યું હતું, ITI સેમીનારમાં મનોજભાઈ પરમારએ માર્ગદર્શન આપ્યું હતું, C.A. સેમિનારમાં CA મૌલિકભાઈ ટોલિયાએ માર્ગદર્શન આપ્યું હતું, ફાઇનાન્સિયલ મેનેજમેન્ટના સેમીનારમાં CA હાર્દિકભાઈ વ્યાસએ માર્ગદર્શન આપ્યું હતું, SSIP  Seminarમાં હર્ષદભાઈ સંતોક તેમજ શક્તિભાઈ ગોહિલ અને આરોગ્ય અને સ્વચ્છતા જાગૃતિ કાર્યક્રમમાં ડોલીબેન વડાવિયાએ માર્ગદર્શન આપ્યું હતું, તેવી માહિતી શાળાના સંચાલકે આપેલ છે.






Latest News