મોરબીના આમરણ ચોવીસે વિસ્તારમાંથી 100 જેટલા ટ્રેક્ટર સાથે ખેડૂતોએ જેતપર ગામે પહોંચીને આપ્યું સમર્થન, રાજ્યમંત્રીના નાના ભાઈ ભરતભાઈ અમૃતિયાએ આંદોલનને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો ઉંદર મારવાની દવા પી ગયેલ મહિલાનું સારવાર દરમિયાન મોરબી ખાતે મોત વધુ એક હત્યા: ટંકારાના નસીતપર-રાજપર રોડ ઉપર પાકીટ ચોરી બાબતે શેઠે માથાં બોથડ પદાર્થ મારતા યુવાનનું મોત મોરબીમાં હિન્દુ સામ્રાજ્ય દિવસ નિમિત્તે બાઇક-મશાલ રેલી યોજાઇ મોરબી નજીક કારખાનાના કવાર્ટરમાં મહિલાની હત્યા કરનારા આરોપીની ધરપકડ મોરબી એસપી રોડનો બનાવ : મોડી રાતે ઘરે આવેલા પતિએ પત્નીને ગળા-છાતીના ભાગે બચકાં ભરી લીધા મોરબીના જુના ઘૂટું રોડે કાર ચાલકે બાઇકને હડફેટે લેતા યુવાનના પગનો અંગુઠો કપાઈ ગયો, હાથ-પગમાં ગંભીર ઇજા મોરબી નજીક પોલીસ હેડ કવાર્ટર પાસેથી 2 લાખની કિંમતની રિક્ષાની ચોરી!
Breaking news
Morbi Today

મોરબીમાં મકાનની સબસિડી ચુકવવા ગ્રાહક અદાલતનો આદેશ


SHARE









મોરબીમાં મકાનની સબસિડી ચુકવવા ગ્રાહક અદાલતનો આદેશ

મોરબીના વતની હિમાંશુભાઈ ભગવાનજીભાઈ મકવાણાએ જેતપર રોડ પર આવેલી માનસધામ સોસાયટીમાં મકાન લીધું હતું અને મકાનની લોન એક્સીસ બેંક લોન સેન્ટરમાંથી લીધી હોય બેંકે મળવાપાત્ર સબસિડી આપવાની ના પડી હતી જેથી કરીને મકાન માલીક દ્વારા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા ગ્રાહક અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. જેમાં અદાલતે હિમાંશુભાઈને સબસિડીના રૂપિયા ચુકવી દેવા માટેનો આદેશ કર્યો છે.

આ કેસની લાલજીભાઇ મહેતાએ આપેલ માહિતી મુજબ ફરિયાદી હિમાંશુભાઈ મકવાણાએ મકાન પર 7.35 લાખની લોન એક્સીસ બેંક લોન સેન્ટરમાંથી લીધી હતી. અને સરકારના નિયમ મુજબ 2.67 લાખ રૂપિયા સબસિડી આ મકાન પર મળશે તેવું બેંકના કર્મચારી ચિરાગભાઈ ભોજાણીએ કહ્યું હતું. જેથી હિમાંશુભાઈએ તમામ પેપર સબમિટ કર્યા હતા. પરંતુ એક વર્ષ જેટલો સમય વીતી જવા છતાં સબસિડી આપવામાં આવેલ નથી જેથી કરીને ફરિયાદીએ હોમ લોન વિભાગના વડા નારણદાસનો સંપર્ક કર્યો હતો અને કહ્યું હતું કે સબસિડી માટે લોગઈન કરવાની પ્રક્રિયા બેંકે કરવાની હોય છે અને ગ્રાહકને સબસિડી માટે મદદ કરવાની હોય છે. પરંતુ બેંકની સેવામાં ખામી હોય સબસિડી મળેલ નથી જેથી કરીને હિમાંશુભાઈએ મોરબી ગ્રાહક સુરક્ષા મંડળનો સંપર્ક કર્યો હતો અને ત્યારે બાદ સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા મારફતે ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં કેસ દાખલ કર્યો હતો. જે કેસમાં અદાલતે એક્સીસ બેંકને રૂપિયા 2.67 લાખ રૂપિયા અને 10 હજાર માનસિક ત્રાસના આમ કુલ મળીને 2.77 લાખ રૂપિયા 9 ટકાના વ્યાજ સાથે ચુકવવા આદેશ કર્યો છે.






Latest News