મોરબીના લાલપર નજીક આઇસરે બાઇકને હડફેટે લેતા યુપીના બે યુવાનોના મોત
દેશમાં અમલમાં મૂકવામાં આવેલ ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાશે, ખેડૂત આંદોલનને પૂરું કરવા અનુરોધ: નરેન્દ્ર મોદી
SHARE
દેશમાં અમલમાં મૂકવામાં આવેલ ત્રણેય કૃષિ કાયદા પાછા લેવાશે, ખેડૂત આંદોલનને પૂરું કરવા અનુરોધ: નરેન્દ્ર મોદી
આજે નરેન્દ્ર મોદીએ રાષ્ટ્ર જોગ સંબોધન કર્યું હતું જેમાં તેઓએ કેન્દ્ર સરકારે બનાવેલા ત્રણેય કૃષિ કાયદાને પાછા લેવાની જાહેરાત કરેલ છે અને તેઓએ કહ્યું છે કે, દેશમાં અમલમાં મૂકવામાં આવેલ નવા ત્રણ કૃષિ કાનૂન પાછા લેવામાં આવશે અને તેઓએ આંદોલન કરતાં ખેડૂતને આંદોલનને પૂરું કરવા અનુરોધ કર્યો હતો વધુમાં તેઓ પ્રકૃતિક ખેતીને સમર્થન આપવા માટે, એમએસપીને પ્રભાવી કરવા માટે ભવિષ્યને ધ્યાનમાં રાખીને કમિટી બનાવવામાં આવશે જેમાં કેન્દ્ર અને રાજય સરકારના પ્રતિનિધિ સહિતના લોકોને રાખવામા આવશે અને આ સરકાર કયાં ખેડૂતોના હિતમાં જ કામ કરે છે, કરી રહી છે અને કરતી રહેશે તેવું પણ તેઓએ કહ્યું હતું