મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને મહિલાએ પાંચમા માળેથી ઝંપલાવીને જીવન ટુંકાવ્યુ


SHARE







મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને મહિલાએ પાંચમા માળેથી ઝંપલાવીને જીવન ટુંકાવ્યુ

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ વૃષભ સોસાયટીમાં ઉમા ટાવરના પાંચમા માળે રહેતી મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે પાંચમાં માળે ધાબા ઉપરથી નીચે પડતું મૂક્યું હતું જેથી તે મહિલાને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ આ આપઘાતના બનાવની મૃતક મહિલાના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર મુનનગર ચોક પાસે આવેલ વૃષભ સોસાયટીમાં ઉમા ટાવરના પાંચમા માળે 501 નંબરના ફ્લેટમાં રહેતા ઉર્મિલાબેન નીતિનભાઈ અઘારા (45એ ફ્લેટના પાંચમા માળના ધાબા ઉપરથી નીચે પડતું મૂક્યું હતું જેથી કરીને તેને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે મહિલાનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પરિવારજન આશિષભાઈ મગનભાઈ દેથરીયા (35) રહે. પંચાસર રોડ સીતારામ પેલેસ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ હતી વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાને માનસિક બીમારી હોય તેનાથી કંટાળીને પોતે પોતાની જાતે ફ્લેટના પાંચમા માળના ધાબા ઉપરથી નીચે પડતું મૂક્યું હતું અને આપઘાત કર્યો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News