વાંકાનેરમાં પ્રસંગમાં થયેલ બોલોચાલીનો ખાર રાખીને યુવાન ઉપર છરી વડે હુમલો
મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને મહિલાએ પાંચમા માળેથી ઝંપલાવીને જીવન ટુંકાવ્યુ
SHARE
મોરબીમાં માનસિક બીમારીથી કંટાળીને મહિલાએ પાંચમા માળેથી ઝંપલાવીને જીવન ટુંકાવ્યુ
મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ વૃષભ સોસાયટીમાં ઉમા ટાવરના પાંચમા માળે રહેતી મહિલાએ માનસિક બીમારીથી કંટાળીને પોતે પોતાની જાતે પાંચમાં માળે ધાબા ઉપરથી નીચે પડતું મૂક્યું હતું જેથી તે મહિલાને માથા અને શરીરે ગંભીર ઇજાઓ થયેલ હતી જેથી કરીને તેનું મોત નીપજયું હતું અને ત્યાર બાદ આ આપઘાતના બનાવની મૃતક મહિલાના પરિવારજન દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
જાણવા મળતી માહિતી મુજબ મોરબીના પંચાસર રોડ ઉપર મુનનગર ચોક પાસે આવેલ વૃષભ સોસાયટીમાં ઉમા ટાવરના પાંચમા માળે 501 નંબરના ફ્લેટમાં રહેતા ઉર્મિલાબેન નીતિનભાઈ અઘારા (45) એ ફ્લેટના પાંચમા માળના ધાબા ઉપરથી નીચે પડતું મૂક્યું હતું જેથી કરીને તેને માથા અને શરીરે ગંભીર ઇજા થયેલ હતી જેથી કરીને તે મહિલાનું મોત નીપજ્યું હતું અને ત્યારબાદ તેના મૃતદેહને પીએમ માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની મૃતક મહિલાના પરિવારજન આશિષભાઈ મગનભાઈ દેથરીયા (35) રહે. પંચાસર રોડ સીતારામ પેલેસ મોરબી વાળાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી કરેલ હતી વધુમાં પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક મહિલાને માનસિક બીમારી હોય તેનાથી કંટાળીને પોતે પોતાની જાતે ફ્લેટના પાંચમા માળના ધાબા ઉપરથી નીચે પડતું મૂક્યું હતું અને આપઘાત કર્યો હતો જે અંગેની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.