મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપની પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા


SHARE







મોરબી જિલ્લામાં નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપની પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરના વિસ્તારમાં પ્રતિબંધાત્મક હુકમ જાહેર કરાયા

મોરબી જિલ્લામાં નેશનલ મીન્સ કમ મેરીટ સ્કોલરશીપ ૨૦૨૪-૨૫ પરીક્ષાઓ યોજાશે.જે અંતર્ગત આગામી તા.૨૨-૨ ના રોજ આયોજિત પરીક્ષા સત્રમાં ચોરીના દુષણને કારણે તેજસ્વી વિદ્યાર્થીઓને નિયમોનુસાર પરીક્ષા આપવામાં અડચણ થવાની સંભાવના રહે છે.જેને ધ્યાનમાં રાખતા મોરબી જિલ્લામાં નિયત કરાયેલા પરિશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની આજુબાજુના ૧૦૦ મીટર વિસ્તારની હદમાં આગામી તા.૨૨-૨ ના રોજ બપોરના ૧૨ થી ૩ દરમિયાન લાઉડ સ્પીકર વગાડી શકાશે નહીં અને પરીક્ષા કેન્દ્રોના ૧૦૦ મીટરની અંદરમાં આવેલા ઝેરોક્ષ સેન્ટર્સ ઉપર પ્રતિબંધ મૂકવામાં આવે છે.


તેમજ પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોમાં કોઈપણ વ્યક્તિ મોબાઈલ ફોન, સ્માર્ટ વોચ, કેલ્ક્યુલેટર, અન્ય ઈલેક્ટ્રોનિક ઉપકરણો અને અનધિકૃત સાહિત્ય સાથે પ્રવેશ કરવા પર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટશ્રી એસ.જે.ખાચર, મોરબી દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.આ ઉપરાંત પરીક્ષા કેન્દ્રોની અંદર ગેરરીતિ આચરવાના, અન્ય કોઈપણ હેતુથી કોપી કરાવી શકાશે નહીં, અનિયમિતતા ઊભી કરવાના, પરીક્ષા કાર્યમાં ખલેલ પાડવાના ઇરાદાથી તેમજ ચાર કરતા વધુ વ્યક્તિઓએ પ્રવેશ કરી શકાશે નહીં. તેમજ કોઇપણ પ્રકારનું સરઘસ કાઢી શકાશે નહીં અને ઝેરોક્સ મશીન દ્વારા કે અન્ય કોઈપણ રીતે પરીક્ષાલક્ષી સાહિત્ય કે લીથો લઈ-જઈ શકાશે નહીં. પરીક્ષા કેન્દ્રોની અંદર કોઈપણ વ્યક્તિ કે વિદ્યાર્થી મોબાઈલ ફોન લઈને પ્રવેશ કરી શકશે નહીં.
ઉક્ત પ્રતિબંધાત્મક હુકમનો ભંગ કરનારી વ્યક્તિ નિયમ અનુસાર સજાને પાત્ર થશે. આ હુકમ સ્થાનિક સત્તાવાળાઓ પાસેથી જરૂરી પરવાનગી મળેલી હોય તેવી વ્યક્તિ કે વ્યક્તિઓનો સમૂહ, પરીક્ષાનું ઓળખપત્ર ધરાવતા વિદ્યાર્થીઓ, પરીક્ષા કાર્યમાં રોકાયેલા તમામ વ્યક્તિઓ, સ્મશાન યાત્રા, સરકારી નોકરીમાં અને અન્ય નોકરીમાં હાજર હોય તેવી વ્યક્તિ, લગ્નના વરઘોડા, ફરજ ઉપર હાજર હોય તેવા ગૃહ રક્ષક દળના વ્યક્તિઓને લાગુ પડશે નહીં. પરીક્ષાર્થીઓ પરીક્ષા કેન્દ્રોની અંદર મોબાઈલ કે અન્ય કોઈપણ પ્રકારના ડીવાઈસ સાથે લઈ-જઈ શકશે નહીં.

જિલ્લામાં નિયત કરાયેલા પરીશિષ્ટ મુજબના પરીક્ષા કેન્દ્રોની યાદી

હળવદમાં નાલંદા વિદ્યાલય, શ્રી ઉમા કન્યા વિદ્યાલય, વિદ્યાદર્શન શૈક્ષણિક સંકૂલ, તક્ષશિલા વિદ્યાપીઠ, માળીયા મિયાણામાં શ્રી સત્યસાંઇ વિદ્યા મંદિર અંગ્રેજી માધ્યમ, વિનય વિદ્યા મંદિર, મોરબીમાં એસ.વી.પી. કન્યા વિદ્યાલય, શ્રીમતી ડી.જે.પટેલ કન્યા વિદ્યાલય, સાર્થક વિદ્યાલય, શ્રીમતી એમ.પી.શેઠ ગર્લ્સ હાઇસ્કૂલ, એમ.એસ.દોશી હાઇસ્કૂલ, ટંકારામાં એમ.પી.દોશી વિદ્યાલય, શ્રી મહર્ષિ દયાનંદ વી. વિદ્યાલય, વાંકાનેર ખાતે શ્રી અમરસિંહજી હાઇસ્કૂલ, શ્રી કે.કે.શાહ માધ્યમિક વિદ્યાલય, શ્રી એમ.એચ.જે.એસ.એસ. મુનિ ગર્લ્સ હાઇસ્કૂલ, શ્રી મંદિર માધ્યમિક વિદ્યાલય, ધી મોડર્ન હાઇસ્કૂલ વાંકાનેર






Latest News