વાંકાનેરના લુણસર ગામે મનદુખનો ખાર રાખીને યુવાનને ત્રણ શખ્સોએ માર માર્યો
માળીયા તાલુકામાથી સગીરાનું અપહરણ: રાજકોટના શખ્સની સામે નોંધાયો ગુનો
SHARE
માળીયા તાલુકામાથી સગીરાનું અપહરણ: રાજકોટના શખ્સની સામે નોંધાયો ગુનો
માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર વયની દીકરીને લલચાવી ફોસલાવીને તેનું અપહરણ કરવામાં આવ્યું છે જેથી હાલમાં ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ, દુષ્કર્મ અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટેની કવાયત શરૂ કરેલ છે
બનાવની જાણવા મળતી વિગત મુજબ માળીયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની અંદર રહેતા પરિવારની સગીર વયની દિકરીનું અપહરણ કરવામાં આવી છે જેથી કરીને હાલમાં ભોગ બનનાર સગીરાના પિતા દ્વારા માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રાજકોટના કુવાડવા રોડ પર મણીનગર ચોકડી પાસે રહેતા દિલીપભાઈ ગોવિંદભાઈ ગોહેલ નામના શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે જેને પોલીસે હાલમાં અપહરણ, દુષ્કર્મ અને પોકસો સહિતની કલમ હેઠળ ગુનો નોંધીને આરોપીને પકડવા માટે અને સગીરાને શોધવા માટે કવાયત શરૂ કરેલ છે