હળવદના સુંદરગઢ ગામેથી 500 લિટર દેશી દારૂ ભરેલ થાર-બોલેરો સહિત 15 લાખનો મુદામાલ કબ્જે: આરોપીઓની શોધખોળ મોરબીમાં વિહિપ માતૃશક્તિ દ્વારા બાલ સંસ્કાર અને સત્સંગ કેન્દ્રની શરૂઆત હળવદ ખાતે ૧૧ જુલાઈએ ઔદ્યોગિક ભરતી મેળો યોજાશે મોરબી: બાગાયત ખાતાની વિવિધ યોજનાઓ હેઠળ લાભ લેવા આઈ-ખેડૂત પોર્ટલ 19 મી સુધી ખુલ્લુ રહેશે ભાજપ-કોંગ્રેસમાં ભંગાણ: વાંકાનેર તાલુકામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો આપમાં જોડાયા મોરબી: આંગણવાડી વર્કર-હેલ્પરોને બીએલઓની કામગીરી ન સોંપવાની માંગ મોરબીમાં લાલા જાગા મોચી સમાજના વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો મોરબીમાં રાજપૂત સમાજની જુદીજુદી ત્રણ સંસ્થાએ કરી પી.ટી.જાડેજા સામે થયેલ પાસા હુકમ રદ કરવાની માંગ
Breaking news
Morbi Today

વાંકાનેર નજીક કારખાનામાં પહેલા માળેથી નીચે પડી ગયેલા આધેડનું સારવારમાં મોત


SHARE

















વાંકાનેર નજીક કારખાનામાં પહેલા માળેથી નીચે પડી ગયેલા આધેડનું સારવારમાં મોત

વાંકાનેર નજીક આવેલ કારખાનામાં પહેલા માળેથી નીચે પડી ગયેલા આધેડને સારવાર માટે વાંકાનેરથી રાજકોટ બાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જોકે અમદાવાદ ખાતે સારવાર કારગત નહીં નિવડતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની અમદાવાદ પોલીસ દ્વારા વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે

બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ બ્લીજાડ કારખાનાની અંદર રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા કરણસિંહ ધનાભાઈ ડામોર (ઉંમર ૫૦) મૂળ રહે શોભાપુરા એમપી વાળા કારખાનામાં પહેલા માળા ઉપરથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેઓને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી પ્રથમ વાંકાનેરમાં અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેઓને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેઓનું તા ૫/૧૧ ના રોજ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની અમદાવાદ પોલીસ દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે




Latest News