માળીયા તાલુકામાથી સગીરાનું અપહરણ: રાજકોટના શખ્સની સામે નોંધાયો ગુનો
વાંકાનેર નજીક કારખાનામાં પહેલા માળેથી નીચે પડી ગયેલા આધેડનું સારવારમાં મોત
SHARE
વાંકાનેર નજીક કારખાનામાં પહેલા માળેથી નીચે પડી ગયેલા આધેડનું સારવારમાં મોત
વાંકાનેર નજીક આવેલ કારખાનામાં પહેલા માળેથી નીચે પડી ગયેલા આધેડને સારવાર માટે વાંકાનેરથી રાજકોટ બાદ અમદાવાદ ખસેડવામાં આવ્યા હતા જોકે અમદાવાદ ખાતે સારવાર કારગત નહીં નિવડતા તેનું મોત નીપજયું હતું જેથી કરીને આ બનાવની અમદાવાદ પોલીસ દ્વારા વાંકાનેર સીટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરેલ છે
બનાવની જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર નજીક આવેલ બ્લીજાડ કારખાનાની અંદર રહેતા અને ત્યાં મજૂરી કામ કરતા કરણસિંહ ધનાભાઈ ડામોર (ઉંમર ૫૦) મૂળ રહે શોભાપુરા એમપી વાળા કારખાનામાં પહેલા માળા ઉપરથી નીચે પડી ગયા હતા જેથી કરીને તેઓને શરીરે ગંભીર ઇજાઓ થઇ હોવાથી પ્રથમ વાંકાનેરમાં અને ત્યારબાદ ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ લઇ જવામાં આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તેઓને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે લઇ ગયા હતા અને ત્યાં સારવાર દરમ્યાન તેઓનું તા ૫/૧૧ ના રોજ મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની અમદાવાદ પોલીસ દ્વારા વાંકાનેર સિટી પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે બનાવની નોંધ કરીને આગળ રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે