મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુગારની બે રેડ: છ શખ્સ પકડાયા 


SHARE







મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુગારની બે રેડ: છ શખ્સ પકડાયા 

મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુદી જુદી બે જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને છ શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડ રકમ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 2 ગુના નોંધીને આગળની કાર્યવાહી કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ત્રાજપર નજીક ઓરીયન્ટલ બેન્ક વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા સુનિલ ગોરધનભાઈ સુરેલા (22), પીન્ટુભાઇ નારણભાઈ સનુરા (22) અને મહેશભાઈ વીરજીભાઈ પીપળીયા (50) રહે. બધા ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 6300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે ત્રાજપરમાં આવેલ અવેડા વાળી શેરીમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કિશન સવજીભાઈ કુંવરિયા (22), રામજીભાઈ સવસીભાઈ સનુરા (20) અને કિશોરભાઈ લાભુભાઈ પાટડીયા (26) રહે બધા ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 4200 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારના જુદા જુદા બે ગુના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા જગદીશભાઈ કેશુભાઈ ધંધુકિયા (40) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર મારામારીનો બનાવ બનેલ હતો જે બનાવમાં ગોપાલ કાનાભાઈ વાઘેલા (21) રહે. રામેશ્વર કારખાનું લીલાપર રોડ તથા હિતેશ પ્રવીણભાઈ વાઘાણી (22) રહે. ગોપાલ કારખાનામાં લીલાપર રોડ મોરબી વાળાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી






Latest News