ટંકારાના હીરાપર ગામ પાસે રીક્ષાને કાર ચાલકે હડફેટે લેતા બે મહિલા સહિત ત્રણને ઇજા: ગુનો નોંધાયો મોરબીના રંગપર પાસે બાઈક સ્લીપ થતાં ઇજાગ્રસ્ત થયેલા બે પૈકી એક યુવાનનું મોત: એક સારવારમાં વાંકાનેરના મહિકા ગામે આયુષ્યમાન આરોગ્ય કેન્દ્ર ખાતે ડિઝીટલ એક્ષ રે કેમ્પ યોજાયો મોરબી નાગરિક સહકારી બેંકના ડિરેક્ટરોની ચૂંટણીનું પરિણામ જાહેર, ફૂલના નિશાન ઉપર 5 - સિંહના નિશાન ઉપર 1 ઉમેદવારનો વિજય ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું
Breaking news
Morbi Today

મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુગારની બે રેડ: છ શખ્સ પકડાયા 


SHARE













મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુગારની બે રેડ: છ શખ્સ પકડાયા 

મોરબીના ત્રાજપર વિસ્તારમાં જુદી જુદી બે જગ્યા ઉપર જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે કુલ મળીને છ શખ્સ જુગાર રમતા મળી આવ્યા હતા જેથી કરીને પોલીસે તેની પાસેથી રોકડ રકમ કબજે કરી હતી અને બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે 2 ગુના નોંધીને આગળની કાર્યવાહી કરી છે

જાણવા મળતી માહિતી મુજબ મોરબીમાં ત્રાજપર નજીક ઓરીયન્ટલ બેન્ક વાળી શેરીમાં જાહેરમાં જુગાર રમતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં જુગારની રેડ કરી હતી ત્યારે જાહેરમાં જુગાર રમતા સુનિલ ગોરધનભાઈ સુરેલા (22), પીન્ટુભાઇ નારણભાઈ સનુરા (22) અને મહેશભાઈ વીરજીભાઈ પીપળીયા (50) રહે. બધા ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હોય પોલીસે 6300 ની રોકડ સાથે તેની ધરપકડ કરી હતી આવી જ રીતે ત્રાજપરમાં આવેલ અવેડા વાળી શેરીમાં જાહેરમાં જુગારની રેડ કરવામાં આવી હતી ત્યારે સ્થળ ઉપરથી જુગાર રમતા કિશન સવજીભાઈ કુંવરિયા (22), રામજીભાઈ સવસીભાઈ સનુરા (20) અને કિશોરભાઈ લાભુભાઈ પાટડીયા (26) રહે બધા ત્રાજપર વાળા જુગાર રમતા મળી આવ્યા હતા જેથી પોલીસે 4200 રૂપિયાની રોકડ કબજે કરી હતી અને જુગારના જુદા જુદા બે ગુના બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

મારામારીમાં ઇજા

મોરબીના રણછોડનગર વિસ્તારમાં રહેતા જગદીશભાઈ કેશુભાઈ ધંધુકિયા (40) નામના યુવાનને મારામારીના બનાવમાં ઈજા થઈ હતી જેથી કરીને ઇજા પામેલ યુવાનને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાર બાદ આ બનાવની બી ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મારામારીમાં ઇજા

મોરબીના લીલાપર રોડ ઉપર મારામારીનો બનાવ બનેલ હતો જે બનાવમાં ગોપાલ કાનાભાઈ વાઘેલા (21) રહે. રામેશ્વર કારખાનું લીલાપર રોડ તથા હિતેશ પ્રવીણભાઈ વાઘાણી (22) રહે. ગોપાલ કારખાનામાં લીલાપર રોડ મોરબી વાળાને ઇજાઓ થઈ હોવાથી તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલે લાવ્યા હતા અને આ બનાવની મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરી હતી






Latest News