મોરબી જિલ્લામાં દારૂની હેરાફેરીમાં સંડોવાયેલ રાજસ્થાનના શખ્સને પાસા હેઠળ ઝડપી લઈને સાબરમતી જેલ હવાલે કરાયો મોરબી સમસ્ત બ્રહ્મસમાજના તેજસ્વિ વિદ્યાર્થીઓનું રાજ્ય મંત્રી કાંતિભાઈ અમૃતિયા અને કનકેશ્વરી માતાજીના હસ્તે કરાયું સન્માન મોરબીના સનાળા રોડ ઓફિસ અને રવાપર ગમે ફ્લેટમાં જુગારની 2 રેડમાં કુલ 15 શખ્સો 4.67 લાખના મુદ્દામાલ સાથે ઝડપાયા ટંકારા નજીક આવેલ ધર્મજીવન કોટનની ઓફીસમાં જુગાર રમતા 19 શખ્સો 3.10 લાખનો મુદામાલ કબ્જે મોરબીના ખારચિયા ગામે કુવામાં ડૂબી જતા તરૂણ અને ટંકારાના બંગાવડી ગામે વાડીએ કુંડીમાં ડૂબી જવાથી બાળકનું મોત માળીયા (મી)ના નાના દહીસરા ગામ પાસે રેલવે ટ્રેક ઉપર એન્જિનની હડફેટે ચડી જતા આધેડનું મોત: વાંકાનેર બાઉન્ડ્રી પાસે હોટલની રૂમમાં બેભાન અવસ્થામાં યુવાનનું મોત ટંકારાના લજાઈ અને વાંકાનેરના સિંધાવદર ગામ પાસે જુગારની રેડમાં કુલ 11 શખ્સો ઝડપાયા હળવદના સુંદરગઢ ગામના પુલ પાસે ટ્રક ટ્રેલરના ચાલકે ઇકો અને ટ્રકને હડફેટે લીધા બાદ રાહદારી આધેડે કચડી નાખતા ઘટના સ્થળે જ મોત
Breaking news
Morbi Today

મોરબીના અમરનગર ગામેથી ગાયોને હાંકીને લઈ જતાં સગીર સહિતના બે વ્યક્તિને પકડીને ગામના લોકોએ પોલીસ હવાલે કર્યા​​​​​​​ 


SHARE







મોરબીના અમરનગર ગામેથી ગાયોને હાંકીને લઈ જતાં સગીર સહિતના બે વ્યક્તિને પકડીને ગામના લોકોએ પોલીસ હવાલે કર્યા 

મોરબીના અમરનગર ગામેથી ગાયોને હાંકી જતાં બે વ્યક્તિને ગામના લોકો દ્વારા પકડવામાં આવ્યા હતા અને તેની ગામના લોકોએ પૂછપરછ કરી હતી ત્યારે તે બંને અગાઉ ત્રણ ગાયોને હાંકી ગયા હોવાનું કબૂલ્યું હતું જેથી કરીને ગામના લોકોએ આ અંગેની મોરબી તાલુકા પોલીસને જાણ કરી હતી જેથી પોલીસ દ્વારા તપાસ કરવામાં આવતા બે પૈકીનો એક વ્યક્તિ સગીર હોય તેની પૂછપરછ કરીને તેને તેના વાલીને હવાલે કરવામાં આવેલ છે અને આ બાબતે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબી જિલ્લામાં થોડા સમય પહેલા માલધારીઓએ ચરાવવા માટે થઈને આપેલી ગાયોમાંથી મોટી સંખ્યામાં ગાયોની કતલ કરવામાં આવી હોય તેવી વિગતો સામે આવી હતી અને ત્યારબાદ માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બે અને હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે એક આમ કુલ મળીને ત્રણ ફરિયાદો નોંધાઈ હતી તેવામાં મોરબી તાલુકાના અમરનગર ગામે બે વ્યક્તિ ગાયોને હાંકી જતા હતા ત્યારે ગામના લોકો દ્વારા તે બંનેને પકડવામાં આવ્યા હતા અને તેની આગવી ઢબે ગામના લોકોપૂછપરછ કરી હતી ત્યારે અગાઉ ત્રણ ગાયોને પકડાયેલા બે વ્યક્તિ હાકી ગયા હોવાનું તેમણે ગામના લોકોની સમક્ષ કબુલ કયું હતું અને બીજી વખત તેઓ ગાયોને હાંકી જવા માટે થઈને આવેલ હતા ત્યારે ગામના લોકોએ તેને પકડીને પોલીસને આ અંગેની જાણ કરી હતી જેથી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લોકોએ પકડેલા બે વ્યક્તિને સાથે લઈ ગઈ હતી અને પૂછપરછ દરમિયાન બે પૈકીનો એક વ્યક્તિ સગીર હોવાનું સામે આવતા તેની પૂછપરછ કરીને તેને તેના વાલી હવાલે સોંપવામાં આવેલ છે અને પોલીસ દ્વારા આ બનાવ અંગે આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જોકે, આ બનાવ સંદર્ભે હજુ સુધી મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે કોઈ પોલીસ ફરિયાદ નોંધાયેલ નથી.

ફિનાઇલ પી લેતા સારવારમાં

મકનસર પાસે આવેલ ગોકુલનગરમાં રહેતા પરમાર મુકેશભાઈ ડાયાભાઈ (45) નામના યુવાને જીઆઇડીસી પાસે આવેલ શીતળા માતાના મંદિર નજીક ફિનાઇલ પી લીધું હતું જેથી તેને તાત્કાલિક સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઈને આવ્યા હતા અને આ બનાવની તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News