મોરબીના જેતપર ગામે ચાલતા ખેડુત આંદોલનના સમર્થનમાં મહિલાઓ દ્વારા સ્કૂટર રેલી યોજાઇ મોરબીના ઢુવા પાસે સગાઇ થયેલ યુવતી પસંદ ન હોય ગળેફાંસો ખાઈ જતા યુવાનનું મોત, મહેન્દ્રનગર ગામે બીમારી સબબ યુવાનનું મોત મોરબીના જુના પિપળી ગામે કોમન પ્લોટની સફાઇ મામલે કુહાડી બતાવી ધમકી, ગુનો નોંધાયો, માળિયાના ખીરઈ ગામે દારૂની ચાલુ ભઠ્ઠી સાથે એક પકડાયો, ત્રણની શોધખોળ ચાલુ મેજર અપસેટ: સરકાર દ્વારા મંત્રણા માટે મોકલવામાં આવેલ આમંત્રણ મોરબીના જેતપર ગામે આંદોલન ચલાવતા ખેડૂતોએ સ્વીકારવાનો કર્યો ઇન્કાર મોરબી નાની બજારના બંધ મકાનમાંથી ૫૮૮ બોટલ દારૂ પકડાયો, બે ની શોધખોળ ચાલુ ; ઢુવા પીએચસી પાસેથી ચોરાયેલ બાઈક સાથે બાળકિશોર ઝડપાયો શ્રી પરશુરામ યુવા ગ્રુપ-મોરબી દ્વારા ગરમી અને તડકામાં રાહત માટે સરબત વિતરણનો સેવાયજ્ઞ મોરબી: માળીયાના વવાણીયા ગામે રૂપીયાની લેતી દેતી મુદદે દંપતી ઉપર હુમલો મોરબીના ઢુવા પાસે પગપાળા જતા મહિલાનું ડમ્પર હડફેટે મોત, હળવદમાં જાહેરનામા ભંગ સબબ કાર્યવાહી
Breaking news
Morbi Today

મોરબી તાલુકાનાં કોયલી ગામે આહીર સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાયો: ૨૩ યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા


SHARE









મોરબી તાલુકાનાં કોયલી ગામે આહીર સમાજનો સમૂહલગ્નોત્સવ યોજાયો: ૨૩ યુગલોએ પ્રભુતામાં ડગ માંડ્યા

આમરણ ચોવીસી પંથકના કોયલી ગામે આહીર સમાજનો ૧૭ મો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. આ તકે સમાજના ૨૩ યુગલો લગ્નગ્રંથીએ જોડાઈને પ્રભુતામાં પગલા માંડ્યા હતા. ત્યારે આયોજકો દ્વારા દાતાઓ તેમજ સમાજના નવનિયુક્ત સરકારી કર્મચારી અને અધિકારીઓનું જાહેર સન્માન કરવામાં આવ્યું હતું.

સોરઠના પૂર્વ સાંસદ સ્વ.જશુભાઈ બારડ તેમજ આમરણ ચોવીસી પંથકના સ્વ.આયદાનભાઈ શામળાભાઈ કુંભરવાડીયાને સમર્પિત આ લગ્નોત્સવ પ્રસંગના મુખ્ય મહેમાનપદે જામજોધપુરના ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ હાજરી આપી હતી. આ પ્રસંગે સમૂહલગ્ન સમિતિના અધ્યક્ષ જીવણભાઈ કુંભરવાડીયા, અગ્રણીઓમાં અમુભાઈ હુંબલ, દેવદાનભાઈ જારીયા, આહીર સેના મોરબી જીલ્લા પ્રમુખ ભરતભાઈ ડાવેરા, આહીર સેના મોરબી શહેર પ્રમુખ દ્વારકેશભાઈ કુંભરવાડીયા, આહીર સેના ગુજરાત પ્રદેશ કોર કમિટી મેમ્બર મહેશભાઈ મકવાણા, આહીર સેના મોરબી જીલ્લા ઉપપ્રમુખ રાજુભાઈ જીલરીયા, રાજુભાઈ જારીયાના હસ્તે દાતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું.

ત્યારે ધારાસભ્ય હેમંતભાઈ ખવાએ જણાવ્યું હતું કે સમૂહલગ્ન જેવા માધ્યમથી સમાજ એક તાંતણે બંધાય છે. આવા પ્રસંગોથી કુરિવાજો, વ્યસનમુક્તિના અભિયાનને વેગ આપી તિલાંજલી આપવા માધ્યમ બને છે. હાલ બચતના પૈસા સમાજ સેવામાં વપરાય તો ભાવિ પેઢીને આર્થિક મજબૂરી સહન નહી કરવી પડે, સામાજીક માધ્યમથી કારકિર્દી ઘડતરએ જ સામાજીક વિકાસનું પગથિયું છે.

અધિક કલેકટર જયશ્રીબેન જરૂએ જણાવ્યું હતું કે આજના સમયમાં બાળકને મોબાઈલ વળગણથી દૂર રાખવાની મોટી સમસ્યા ઉભી થઈ છે. મોબાઇલ દૂષણનું સામાજીક ચિંતન થવું જરૂરી છે. વર-કન્યાને ઉદ્દેશીને શીખ આપતા જણાવ્યું કે તમારી ભાવિ પેઢીને આરંભથી જ બાળકને ખોળામાં બેસાડી આહીરકુળના વીર મહાપુરુષોના ઇતિહાસ ઉજાગર કરી આહીર સંસ્કૃતિનું સિંચન કરવું તે જરૂરી છે.






Latest News