મોરબી તાલુકાના આમરણ પ્રખંડમાં ત્રિશુલ દિક્ષાનો કાર્યક્રમ યોજાયો
મોરબીમાં સંઘચાલક ડૉ.જયંતિભાઈ ભાડેસિઆનો જન્મદિવસ સામાજિક સમરસતા વિષયને અનુરૂપ ઉજવાયો
SHARE
મોરબીમાં સંઘચાલક ડૉ.જયંતિભાઈ ભાડેસિઆનો જન્મદિવસ સામાજિક સમરસતા વિષયને અનુરૂપ ઉજવાયો
આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉ.જયંતિભાઈ એસ.ભાડેસિઆનો ૬૬ મો જન્મદિવસ સામાજિક સમરસતા વિષયને અનુરૂપ ઉજવવામાં આવ્યો હતો. આરએસએસ પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ સંચાલિત વીર સાવરકર બાલ સંસ્કાર કેન્દ્ર જે રોહિદાસપરામાં આવેલું છે. બાલિકા પ્રીતિબેન ચાવડા દ્વારા કુમકુમ તિલક સાથે ડૉ. સાહેબ નું સ્વાગત તથા આ વિસ્તાર ના લોકો એ પ્રાર્થના,શ્લોક સાથે ૨૧ દીવડાઓ પ્રગટાવી ને ડૉ.જયંતિભાઈ એસ.ભાડેસિઆને શુભ કામનાઓ આપવામાં આવી હતી ત્યાર બાદ ડૉ.જયંતિભાઈ એસ.ભાડેસિઆ તરફથી બાલ સંસ્કાર કેન્દ્રના તમામ બાળકોને સ્કુલ બેગ તથા પરીક્ષા કીટ ભેટમાં આપવામાં આવી હતી. સામાજિક સમરસતાના ભાવ સાથે સ્થાનિક રહીશો દ્વારા ડૉ.જયંતિભાઈ એસ.ભાડેસિઆને ડૉ.બાબા સાહેબ આંબેડકરજીની સુંદર કૃતિ ભેટમાં આપવામાં આવી હતી. આ કાર્યક્રમની સફળતા માટે લાલજીભાઈ કુનપરા, હરિભાઈ સરડવા, મનસુખભાઇ કાવર તથા કેન્દ્ર સંચાલિકા સવિતાબેન હરેશભાઈ ચાવડાએ જહેમત ઉઠાવી હતી. અને સ્થાનિક અગ્રણીઓ અશોકભાઈ ચાવડા, વિઠ્ઠલભાઈ ચાવડા,પ્રવીણભાઈ સોલંકી, અશોકભાઈ રામાણી, જગદીશભાઈ ચાવડા, કિશોરભાઈ વાઘેલા તથા દિલીપભાઈ દલસાનીયા ઉપસ્થિત રહ્યા હતા.