ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીમાં સંઘચાલક ડૉ.જયંતિભાઈ ભાડેસિઆનો જન્મદિવસ સામાજિક સમરસતા વિષયને અનુરૂપ ઉજવાયો


SHARE













મોરબીમાં સંઘચાલક ડૉ.જયંતિભાઈ ભાડેસિઆનો જન્મદિવસ સામાજિક સમરસતા વિષયને અનુરૂપ ઉજવાયો

આરએસએસના પશ્ચિમ ક્ષેત્રના સંઘચાલક ડૉ.જયંતિભાઈ એસ.ભાડેસિઆનો ૬૬ મો જન્મદિવસ સામાજિક સમરસતા વિષયને અનુરૂપ ઉજવવામાં આવ્યો હતો. આરએસએસ પ્રેરિત ડૉ. હેડગેવાર સ્મારક સમિતિ સંચાલિત વીર સાવરકર બાલ સંસ્કાર કેન્દ્ર જે રોહિદાસપરામાં આવેલું છે. બાલિકા પ્રીતિબેન ચાવડા દ્વારા કુમકુમ તિલક સાથે ડૉ. સાહેબ નું સ્વાગત તથા આ વિસ્તાર ના લોકો એ પ્રાર્થના,શ્લોક સાથે ૨૧ દીવડાઓ પ્રગટાવી ને ડૉ.જયંતિભાઈ એસ.ભાડેસિઆને શુભ કામનાઓ આપવામાં આવી હતી ત્યાર બાદ ડૉ.જયંતિભાઈ એસ.ભાડેસિઆ તરફથી બાલ સંસ્કાર કેન્દ્રના તમામ બાળકોને સ્કુલ બેગ તથા પરીક્ષા કીટ ભેટમાં આપવામાં આવી હતી. સામાજિક સમરસતાના ભાવ સાથે સ્થાનિક રહીશો દ્વારા ડૉ.જયંતિભાઈ એસ.ભાડેસિઆને ડૉ.બાબા સાહેબ આંબેડકરજીની સુંદર કૃતિ ભેટમાં આપવામાં આવી હતી. આ કાર્યક્રમની સફળતા માટે લાલજીભાઈ કુનપરા, હરિભાઈ સરડવા, મનસુખભાઇ કાવર તથા કેન્દ્ર સંચાલિકા સવિતાબેન હરેશભાઈ ચાવડાએ જહેમત ઉઠાવી હતી. અને સ્થાનિક અગ્રણીઓ અશોકભાઈ ચાવડા, વિઠ્ઠલભાઈ ચાવડા,પ્રવીણભાઈ સોલંકી, અશોકભાઈ રામાણી, જગદીશભાઈ ચાવડા, કિશોરભાઈ વાઘેલા તથા દિલીપભાઈ દલસાનીયા ઉપસ્થિત રહ્યા હતા.






Latest News