વાંકાનેર BSNL ની ઓફિસમાં ઝેરી દવા પી ગયેલ જુનિયર ટેલિકોમ ઓફિસરનું સારવારમાં મોત
SHARE






વાંકાનેર BSNL ની ઓફિસમાં ઝેરી દવા પી ગયેલ જુનિયર ટેલિકોમ ઓફિસરનું સારવારમાં મોત
વાંકાનેરમાં આવેલ બીએસએનએલની ઓફિસમાં ફરજ બજાવતા કર્મચારીએ કોઈ કારણોસર ઓફિસે ઝેરી દવા પી લીધી હતી જેથી તેને બેભાન હાલતમાં સારવાર માટે પ્રથમ મોરબી અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાતે લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ચાલુ સારવાર દરમિયાન તે યુવાનનું મોત નીપજયું હતું જેથી આ બનાવની હોસ્પિટલ મારફતે વાંકાનેર સિટી પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે
જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર શહેરમાં આવેલ બીએસએનએલની ઓફિસમાં જુનિયર ટેલિકોમ ઓફિસર તરીકે ફરજ બજાવતા મહમદઇરફાન ઇસ્માઇલ માથકીયા (42)એ ગત તા. 24 ના રોજ કોઈ અગમ્ય કારણોસર બીએસએનએલની ઓફિસમાં ઝેરી દવા પી લીધી હતી જેથી તેને બેભાન અવસ્થામાં સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને તે યુવાનને વધુ સારવાર માટે મોરબી અને ત્યાંથી રાજકોટ સુધી લઈ ગયા હતા જોકે, સારવાર કારગત ન નિવડતા યુવાનનું મોત નિપજ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે, આ કર્મચારીએ પહેલા કચ્છમાં ફરજ બજાવી હતી અને થોડા મહિના પહેલા જ તેને વાંકાનેરમાં જેટીઓ તરીકે કાર્યભાર સંભાળ્યો હતો પરંતુ કોઈ અગમ્ય કારણોસર તેણે બીએસએનએલની ઓફિસમાં ઝેરી દવા પી લેતા તે યુવાનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે જેની વાંકનર સિટી પોલીસે નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.
વરલી જુગાર
માળીયા મીયાણામાં મામલતદાર ઓફિસની સામેના ભાગમાં વરલી જુગાર આંકડા લેવામાં આવતા હોવાની હકીકત મળી હતી જેના આધારે પોલીસે ત્યાં રેડ કરી હતી ત્યારે સ્થળ ઉપરથી ભરતભાઈ જગજીવનભાઈ કૈલા (47) રહે. ખાખરેચી તાલુકો માળીયા મીયાણા વાળો વરલી જુગાર આંકડા લેતા મળી આવ્યો હતો જેથી પોલીસે તેની પાસેથી 330 ની રોકડ કબજે કરી હતી અને માળિયા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે


