મોરબીના જેતપર ગામે આમરણાંત ઉપવાસ કરી રહેલા નેહુલ અમૃતિયાની તબિયત લથડી, સોમવારે તમામ ઉપવાસીઓના પારણા કરાવવાનું એલાન, આંદોલન પાર્ટ 3 માટે થશે મોટી જાહેરત મોરબીમાં 13 વર્ષ પહેલાં તુલસીપાર્કમાં જમીન કબ્જા બાબતે નોંધાયેલ બે ફરિયાદમાં આરોપીની ધરપકડ, વૃદ્ધાને આપઘાત માટે દુષ્પ્રેરણાના ગુનામાં ત્રણ સામે કાર્યવાહી મોરબીમાં સોમવારથી ઓપન ગુજરાત અંડર-૧૪ જુનિયર ગર્લ્સ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ, ૧૨ જિલ્લાની ટીમો વચ્ચે જામશે ટક્કર માળીયા (મી)માં પોલીસનું મેગા કોમ્બિંગ: 70 ધારદાર હથિયાર, 1 કટ્ટો, 3 એરગન અને મોટા પ્રમાણમાં ડુપ્લીકેટ સોનાના બિસ્કીટ કબજે: 1 પેરોલ જમ્પ અને 2 વોન્ટેડ આરોપી ઝડપાયા સરકારના પરિપત્રની સોશિયલ મીડિયામાંથી કોપી મળી, અભ્યાસ કરવાનો બાકી: જેતપર આંદોલન સમિતિ મોરબીના પીપળી ગામ નજીક ટ્રેક્ટરની હાઇડ્રોલિકની લારી માથે પડતા યુવાનનું મોત: જાંબુડીયા તળાવમાં ડૂબી જવાથી અજાણ્યા યુવાનનુ મોત સાવધાન: મોરબીમાં ખાનગી શાળાનું વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને મહિલાના સબંધીઓ પાસેથી 30 હજાર મેળવી લીધા, 10 લાખની ખંડણી માંગીને ભડાકે દેવાની ધમકી મોરબીની રવાપર ચોકડીએ પગપાળા જતા યુવાનને ટ્રક ચાલકે હડફેટે લેતા બંને પગના પંજામાં ટાંકા આવ્યા
Breaking news
Morbi Today

મોરબીના નાનીવાવડી ગામે જીદિલા મામાદેવનો નવરંગો માંડવો અને સમુહલગ્ન યોજાશે


SHARE









મોરબીના નાનીવાવડી ગામે જીદિલા મામાદેવનો નવરંગો માંડવો અને સમુહલગ્ન યોજાશે

મોરબી નજીકના નાનીવાવડી ગામે ભક્તિનગર સોસાયટી ખાતે જીદિલા મામાદેવ મિત્ર મંડળ દ્વારા આગામી તા.૧૩ એપ્રિલને રવિવારેના રોજ જીદિલા મામાદેવનો નવરંગો માંડવો અને તા.૧૪ એપ્રિલને સોમવારે સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.

જેમા ૧૩ એપ્રિલને રવિવારેના રોજ સવારે ૯ કલાકે મામાદેવનું મહાપૂજન થશે.૧૦ કલાકે શોભાયાત્રા,સાંજે ૭ કલાકે મહાઆરતી, ૮ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને રાત્રે ૯ કલાકે ડાક ડમરુનો કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં રાવળદેવ દેવાભાઇ મેવાડા તથા સાથી ગ્રુપ આ નવરંગા માંડવાની શોભા વધારશે.આ નવરંગા માંડવામાં કલમના ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર અને વિવિધ પંચના ભુવા પણ હાજરી આપશે.આ નવરંગા માંડવામાં પધારવા માટે સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.જયારે તા.૧૪ એપ્રિલને સોમવારે સવારે સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.જેમા માં-બાપ વગરની દિકરીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.જે વર-કન્યા આ સમુહલગ્નમાં જોડાવા માંગતા હોય તેઓના વાલીએ તાત્કાલિક તેમના નામ નોંધાવી લેવા નામ નોંધાવા તેમજ વધુ જાણકારી માટે કાનભા (મો.૮૮૬૬૫ ૦૦૦૦૮), જનકભાઈ રાજા (મો.૮૩૨૦૮ ૮૭૦૧૩ ) અથવા નિકુંજ ગોસાઈ (મો.૯૦૩૩૩ ૦૯૯૦૮) નો સંપર્ક કરવો તેમ જીદિલા મામાદેવ મિત્ર મંડળે યાદીમાં જણાવેલ છે.






Latest News