મોરબીના નાનીવાવડી ગામે જીદિલા મામાદેવનો નવરંગો માંડવો અને સમુહલગ્ન યોજાશે
SHARE
મોરબીના નાનીવાવડી ગામે જીદિલા મામાદેવનો નવરંગો માંડવો અને સમુહલગ્ન યોજાશે
મોરબી નજીકના નાનીવાવડી ગામે ભક્તિનગર સોસાયટી ખાતે જીદિલા મામાદેવ મિત્ર મંડળ દ્વારા આગામી તા.૧૩ એપ્રિલને રવિવારેના રોજ જીદિલા મામાદેવનો નવરંગો માંડવો અને તા.૧૪ એપ્રિલને સોમવારે સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.
જેમા ૧૩ એપ્રિલને રવિવારેના રોજ સવારે ૯ કલાકે મામાદેવનું મહાપૂજન થશે.૧૦ કલાકે શોભાયાત્રા,સાંજે ૭ કલાકે મહાઆરતી, ૮ કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે અને રાત્રે ૯ કલાકે ડાક ડમરુનો કાર્યક્રમ યોજાશે.આ કાર્યક્રમમાં રાવળદેવ દેવાભાઇ મેવાડા તથા સાથી ગ્રુપ આ નવરંગા માંડવાની શોભા વધારશે.આ નવરંગા માંડવામાં કલમના ભુવા ઉપેન્દ્રસિંહ પરમાર અને વિવિધ પંચના ભુવા પણ હાજરી આપશે.આ નવરંગા માંડવામાં પધારવા માટે સૌને જાહેર આમંત્રણ પાઠવવામાં આવેલ છે.જયારે તા.૧૪ એપ્રિલને સોમવારે સવારે સમુહલગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.જેમા માં-બાપ વગરની દિકરીઓને પ્રથમ પ્રાધાન્ય આપવામાં આવશે.જે વર-કન્યા આ સમુહલગ્નમાં જોડાવા માંગતા હોય તેઓના વાલીએ તાત્કાલિક તેમના નામ નોંધાવી લેવા નામ નોંધાવા તેમજ વધુ જાણકારી માટે કાનભા (મો.૮૮૬૬૫ ૦૦૦૦૮), જનકભાઈ રાજા (મો.૮૩૨૦૮ ૮૭૦૧૩ ) અથવા નિકુંજ ગોસાઈ (મો.૯૦૩૩૩ ૦૯૯૦૮) નો સંપર્ક કરવો તેમ જીદિલા મામાદેવ મિત્ર મંડળે યાદીમાં જણાવેલ છે.