મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલ મહિલાનો જામીન ઉપર છુટકારો


SHARE











મોરબીમાં યુવાનને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલ મહિલાનો જામીન ઉપર છુટકારો

મોરબી નજીકના લાલપર પાસે સીરામિક સિટીમાં સ્પામા કામ કરતી મહિલાની સાથે ફ્લેટમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી મૃતક યુવાનની પ્રેમિકા સહિતનાઓની સામે ગુનો નોંધાયો હતો. જેના આધારે પોલીસે કાર્યવાહી કરીને આરોપીઓને પકડીને જે તે સમયે જેલ હવાલે કરેલ હતા જે ગુનામાં પકડાયેલ મહિલાની મોરબી સેશન્સ કોર્ટમાં વકીલ મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવતા મહિલાનો જામીન ઉપર છુટકારો થયેલ છે.

આ કેસની મળી રહેલ માહિતી મુજબ લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીના ફ્લેટમાં તેની સ્પામાં કામ કરતી પ્રેમિકા મારીયા સાથે રહેતા ધ્રુવ નટવરભાઈ મકવાણા (25) નામના યુવાને ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યાંથી પોલીસે એક સ્યૂસાઇટ નોટ પણ કબ્જે કરી હતી જેના આધારે મૃતક યુવાનના મોટા ભાઈ મુકુંદભાઈ નટવરભાઈ મકવાણાની ફરીયાદ લઈને પોલીસે આરોપી પ્રેમિકા લાલમોનપોઇ ઉર્ફે મારીયાબેન સહિતનાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને ત્યાર બાદ આરોપીના વકીલ ગોપાલભાઈ ઓઝા (મનીષભાઈ ઓઝા) અને અને મેનાઝબેન એ. પરમાર મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટેની અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ તેમજ સુપ્રીમ અને હાઇકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને સેશન્સ કોર્ટના જજ કે.આર.પંડ્યા દ્વારા આરોપી લાલમોનપોઇ ઉર્ફે મારીયાબેન ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે સિનિયર વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) અને મેનાઝબેન એ. પરમાર રોકાયેલ હતા.






Latest News