વાંકાનેર નજીક છકડો રિક્ષામાંથી નીચે પડતાં માથામાં ઇજા પામેલ બાળકનું સારવારમાં મોત મોરબીની સેવાકીય સંસ્થાને અમદાવાદ ખાતે મહિલાઓના ઉત્કર્ષ કાર્યો માટે સન્માનિત કરવામાં આવી મોરબી જિલ્લા ભાજપના નવનિયુક્ત પ્રમુખને શ્રીફળ, સાકરના પળાથી વધાઈ આપતા પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજા મોરબીના ઘૂટું ગામે રોડના કામમાં નડતરરૂપ બાપા સીતારામની મઢૂલી સહિતના દબાણોને તોડી પાડ્યા વાંકાનેર સીટી પોલીસે જુદાજુદા અરજદારોના ૨.૯૪ લાખના ૧૧ મોબાઈલ શોધીને પરત આપ્યા હળવદના ઇસનપુર પાસે આઈ.ઓ.સી.એલ. દ્વારા ઑફ સાઈટ મોક ડ્રિલ યોજાઇ મોરબી જિલ્લામાં ધૂળેટીના દિવસે જાહેર રસ્તાઓ ઉપર રંગો ઉડાડવા સહિતના કૃત્યો પર પ્રતિબંધ મોરબી જિલ્લામાં આકરા તાપમાનમાં લૂ લાગવાથી બચવા માટે આરોગ્ય વિભાગ દ્વારા માર્ગદર્શિકા જાહેર
Breaking news
Morbi Today

મોરબીમાં યુવાનને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલ મહિલાનો જામીન ઉપર છુટકારો


SHARE











મોરબીમાં યુવાનને આપઘાત કરવા મજબૂર કરવાના ગુનામાં પકડાયેલ મહિલાનો જામીન ઉપર છુટકારો

મોરબી નજીકના લાલપર પાસે સીરામિક સિટીમાં સ્પામા કામ કરતી મહિલાની સાથે ફ્લેટમાં રહેતા યુવાને ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો જેથી મૃતક યુવાનની પ્રેમિકા સહિતનાઓની સામે ગુનો નોંધાયો હતો. જેના આધારે પોલીસે કાર્યવાહી કરીને આરોપીઓને પકડીને જે તે સમયે જેલ હવાલે કરેલ હતા જે ગુનામાં પકડાયેલ મહિલાની મોરબી સેશન્સ કોર્ટમાં વકીલ મારફતે જામીન અરજી મૂકવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવતા મહિલાનો જામીન ઉપર છુટકારો થયેલ છે.

આ કેસની મળી રહેલ માહિતી મુજબ લાલપર ગામ પાસે આવેલ સિરામિક સિટીના ફ્લેટમાં તેની સ્પામાં કામ કરતી પ્રેમિકા મારીયા સાથે રહેતા ધ્રુવ નટવરભાઈ મકવાણા (25) નામના યુવાને ફ્લેટમાં ગળાફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. ત્યાંથી પોલીસે એક સ્યૂસાઇટ નોટ પણ કબ્જે કરી હતી જેના આધારે મૃતક યુવાનના મોટા ભાઈ મુકુંદભાઈ નટવરભાઈ મકવાણાની ફરીયાદ લઈને પોલીસે આરોપી પ્રેમિકા લાલમોનપોઇ ઉર્ફે મારીયાબેન સહિતનાઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરી હતી અને ત્યાર બાદ આરોપીના વકીલ ગોપાલભાઈ ઓઝા (મનીષભાઈ ઓઝા) અને અને મેનાઝબેન એ. પરમાર મારફતે મોરબીની સેશન્સ કોર્ટમાં રેગ્યુલર જામીન માટેની અરજી મૂકવામાં આવી હતી જેમાં આરોપીના વકીલે કરેલ દલીલ તેમજ સુપ્રીમ અને હાઇકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈને સેશન્સ કોર્ટના જજ કે.આર.પંડ્યા દ્વારા આરોપી લાલમોનપોઇ ઉર્ફે મારીયાબેન ના શરતોને આધીન રેગ્યુલર જામીન મંજૂર કરેલ છે આ કેસમાં આરોપીના વકીલ તરીકે સિનિયર વકીલ મનીષભાઈ ઓઝા (ગોપાલભાઈ ઓઝા) અને મેનાઝબેન એ. પરમાર રોકાયેલ હતા.








Latest News