મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂા.એક લાખ અને ખર્ચની રકમ વ્યાજ સહીત મળી


SHARE











મોરબી ગ્રાહક સુરક્ષા મંડળની જહેમતથી વિમેદારને રૂા.એક લાખ અને ખર્ચની રકમ વ્યાજ સહીત મળી

મોરબીની હદાણીની વાડીમાં રહેતા કંઝારીયા રૂડીબેન ડાયાભાઈએ સ્ટાર મલ્ટીપરપઝ કો.ઓ.સોસાયટી અને સહારા ઈન્ડીયા પરીવારમાં રકમ રોકેલ હતી.પરંતુ મુદત પાકેલ છતાં રકમ ન મળતા તેઓએ મોરબી શહેર-જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા મોરબી જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમીશનમાં કેઈસ દાખલ કરલ હતો.જેમાં ગ્રાહક અદાલતે રૂડીબેનને રૂપીયા ૧,૦૦,૦૦૦ (એક લાખ) પુરા ૬ ટકાના વ્યાજ અને રૂા.૫,૦૦૦ (પાંચ હજાર) ખર્ચના મળી કુલ રૂા.૧,૦૫,૦૦૦ (એક લાખ પાંચ હજાર) પુરા તા.૩-૮-૨૩ ના રોજથી ચુકવવાનો આદેશ કરેલ છે.

આમ મુદત પુરી થતા રૂડીબેનએ રકમ પરત આપવા રજુઆત કરેલ પરંતુ સહારા ઈન્ડીયા પરિવારે રકમ આપેલ નહી.જેથી તેઓએ મોરબી શહેર જિલ્લા ગ્રાહક સુરક્ષા મંડળના પ્રમુખ લાલજીભાઈ મહેતા દ્વારા  ફરિયાદ દાખલ કરેલ.અદાલતે કંપનીની સેવામાં ખામી હોઈ રૂડીબેનને રૂા.એક લાખ પુરા ૬ ટકાના વ્યાજ સાથે અને રૂા.પાંચ હજાર ખર્ચના મળીને કુલ રૂા.એક લાખ પાંચ હજાર પુરા તા.૩-૮-૨૩ ના રોજથી ચુકવવાનો આદેશ ફરમાવેલ છે.સહારામાં ઘણા લોકોએ રકમ રોકેલ છે.તેને સમયસર રકમ પરત મળતી નથી.તો ગ્રાહકે કોઈપણ જગ્યાએ રકમ રોકતા પહેલા તપાસ કરી જાણકારી મેળવી લેવી જરૂરી છે.છતાં કોઈપણ ગ્રાહકને અન્યાય થાય તો સંસ્થાના પ્રમુખ લાલજીભાઈ મહેતા (મો.૯૮૨૫૭ ૯૦૪૧૨), બળવંતભાઈ ભટ્ટ (મો.૯૩૨૭૪ ૯૯૧૮૫) અથવા રામ મહેતા (મો.૯૯૦૪૭ ૯૮૦૪૮) નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયેલ છે.






Latest News