મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૯૪ લોકોએ લાભ લીધો
SHARE
મોરબીની માળિયા વનાળીયા સોસાયટીમાં યોજાયેલ મેડિકલ કેમ્પનો ૯૪ લોકોએ લાભ લીધો
મોરબીના નાની વાવડી ગામે આવેલ સુમતિનાથ સોસાયટીમાં આવેલી ગુજરાત હોસ્પિટલના ડો.પાર્થ બીપીનભાઈ વ્યાસ દ્વારા શહેરના સામાકાંઠે આવેલ સોઓરડી પાછળ માળિયા-વનાળીયા સોસાયટી ખાતે આ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું અને આ કેમ્પનો ૯૪ જેટલા લોકોએ લાભ લીધો હતો.કેમ્પમાં આવેલા લોકોને ચાર દિવસ માટેની દવા ફ્રી આપવામાં આવી હતી અને તેઓને તપાસીને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.આ કેમ્પને સફળ બનાવવા માટે સંગઠન એકતા ગ્રુપ તથા ગણેશભાઈ સોલંકી, ખાનાભાઈ ચાવડા, ખીમજીભાઇ તેમજ મોરબી પાલિકાના પૂર્વ કાઉન્સિલર ગૌતમભાઈ સોલંકી સહિતનાઓએ જહેમત ઉઠાવી હતી અને આ કેમ્પમાં સહકાર આપવા બદલ તેઓએ ડો.પાર્થ બીપીનભાઈ વ્યાસનો આભાર વ્યક્ત કર્યો હતો.