મોરબીના ઘોડાધ્રોય ડેમમાંથી માટી કાઢવાનો કોન્ટ્રાક્ટ રાખનારા વૃદ્ધને ધોકા વડે માર માર્યો મોરબીના ખાનપર ગામે રહેતા યુવાનને 30 ટકાના ઊંચા વ્યાજે રૂપિયા આપીને પઠાણી ઉઘરાણી કરનારા બે વ્યાજખોર સામે ફરિયાદ મોરબીના નવા જાંબુડિયા ગામે માવતરના ઘરે રિસામણે બેઠેલ પરિણીતાએ કર્યો આપઘાત મોરબી નજીક કારખાનાની કોલોનીમાં ફાંસો ખાઈને યુવાનનો આપઘાત: બીમારી સબબ આધેડનું સારવારમાં મોત મોરબીના સામાકાંઠા વિસ્તારમાંથી મહિલા ગુમ, શોધખોળ ચાલુ મોરબી મનપા વર્ષ ૨૦૨૫ માં અસ્તિત્વમાં આવી તો ગ્રામ્ય વિસ્તારના મિલકત ધારકો પાસેથી વર્ષ ૨૦૧૫થી ટેક્સની ઉઘરાણી કેમ: ગ્રાહક સુરક્ષા મંડળ મોરબી સિવિલ હોસ્પિટલમાં બંધ મશીનો-લિફ્ટને તાત્કાલિક ચાલુ કરવા કલેકટર સ્વપ્નિલ ખરેનો આદેશ મોરબીમાં વિકસિત ભારત સંકલ્પ સંમેલનની તૈયારીની સમીક્ષા માટે બેઠક યોજાઇ
Breaking news
Morbi Today

મોરબીમાં મીત્ર સાથે છેતરપીંડીના ગુનામાં બે આરોપીને નિર્દોષ છોડવા કોર્ટનો હુકમ


SHARE











મોરબીમાં મીત્ર સાથે છેતરપીંડીના ગુનામાં બે આરોપીને નિર્દોષ છોડવા કોર્ટનો હુકમ

મોરબીની કોર્ટમાં મિત્ર સાથે છેતરપિંડીનો કેસ ચાલી ગયો હતો જેમાં આરોપીઓના વકીલે કરેલ દલીલો અને રજૂ કરેલા પુરાવા તેમજ ચુકાદાઓને ધ્યાને લઈને કોર્ટે બંને આરોપીઓને નિર્દોષ છોડવા માટેનો કોર્ટે હુકમ કરેલ છે.

મોરબી સીટી બી ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આરોપી સદામ હબીબભાઈ મોવર અને લલીતભાઈ નારાયણભાઈ રાઠોડે તેના મીત્ર સાથે છેતરપીડી કરી હોવાની ફરીયાદ નોંધાઈ હતી જેથી કરીને આરોપી સદામ હબીબભાઈ મોવર અને લલીતભાઈ નારાયણભાઈ રાઠોડ વિરુધ્ધ મોરબીની ચીફ કોર્ટમાં ચાર્જશીટ કરવામાં આવેલ હતી. ત્યાર બાદ મોરબી ચીફ કોર્ટમાં કેસ ચાલી જતાં આ ગુનામાં આરોપીઓને નિર્દોષ છોડવા માટેનો કોર્ટે હુકમ કરેલ છે. આ કેસમાં આરોપી સદામ હબીબભાઈ મોવર તરફે મોરબીના યુવા વકીલ સુરેશ આર.વાધાણી અને મીતરાજસિંહ જાડેજા તથા આરોપી લલીતભાઈ નારાયણભાઈ રાઠોડ તરફે યુવા વકીલ આશિષ ડી.ચાવડા રોકાયેલ હતાં. અને બંન્ને આરોપીઓના વકીલો દ્વારા ધારદાર દલીલો કરવામાં આવી હતી તથા હાઈકોર્ટ તથા સુપ્રીમ કોર્ટ ના જજમેન્ટો રજૂ કરતાં મોરબીની ચીફ કોર્ટ દ્રારા આરોપીને નિદોર્ષ છોડવાનો હુકમ કરેલ છે. આ કામમાં આરોપીઓ તરફે મોરબીના વકીલ આશિષ ડી.ચાવડા, મીતરાજસિંહ કે જાડેજા, સુરેશ આર.વાધાણી તથા બી.સી.વૈષ્નાણી રોકાયેલ હતાં.






Latest News