મોરબી પંથકમાં માનસિક અસ્વસ્થ સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચર્યું, ગુનો નોંધાયો મોરબીના દેવળીયા ખાતેથી પગના દુખાવાની સારવાર માટે આવેલ વૃદ્ધનું શ્વાસ ઉપડતા મોત મોરબી જિલ્લા પંચાયતની 2 બેઠક ઉપર ભાજપ-કોંગ્રેસ આમને સામને: 15 બેઠક ઉપર ત્રિપાંખીયો જંગ, 7 બેઠક ઉપર 3 થી વધુ ઉમેદવાર મોરબીના જેતપર રોડેથી સગીરાનું અપહરણ કરીને દુષ્કર્મ આચરનાર આરોપીની ધરપકડ મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા પાંચમુ બ્યુટી પાર્લર સામાન્ય પરિસ્થિતિ અને વંચિત પરિવારની બહેનો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું મોરબીના જેતપર રોડ ઉપરથી ચોરાઉ બાઇક સાથે એક શખ્સ પકડાયો વાંકાનેરના રાતવીરડા રોડ ઉપર કારખાના નજીક દર્દીઓની સારવાર કરતો ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપાયો મોરબીમાં ટીંબડીના પાટીયે રિક્ષામાંથી પડી ગયેલા મહિલાનું સારવારમાં રાજકોટ ખાતે મોત
Breaking news
Morbi Today

મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ પદે ભુપતભાઈ પંડ્યા યથાવત


SHARE













મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ પદે ભુપતભાઈ પંડ્યા યથાવત

મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળની સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં પ્રમુખ પદે ભુપતભાઈ પંડ્યાને યથાવત રાખવામા આવેલ છે અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ભટ્ટ અને સેક્રેટરી તરીકે કાંતિભાઇ ઠાકરની નિયુક્તિ કરવામાં આવેલ છે.

ઔદિચ્ય વિદ્યોતેજક મંડળની સામાન્ય સભા દવે પંચોલી વિદ્યાર્થી ભવન ખાતે મળેલ હતી જેમાં આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ સાથે વર્તમાન પ્રમુખ ભુપતભાઈ પંડ્યાને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ભટ્ટ અને સેક્રેટરી તરીકે કાંતિભાઇ ઠાકરની નિયુક્તિ કરવામાં આવેલ છે અને આ સાથે વધુ 3 વ્યક્તિઓ ડો,રવિન્દ્રભાઈ ભટ્ટ, અનિલભાઈ વ્યાસ અને નરેન્દ્રભાઈ મેહતાનો ટ્રસ્ટી મંડળમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અને આ મિટિંગમાં કાંતિભાઈ ઠાકર દ્વારા અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો અને સમગ્ર માહિતી પુરી પાડવામાં આવી હતી.






Latest News