મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ પદે ભુપતભાઈ પંડ્યા યથાવત
SHARE
મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળના પ્રમુખ પદે ભુપતભાઈ પંડ્યા યથાવત
મોરબી ઔદિચ્ય વિદ્યોતેજક મંડળની સામાન્ય સભાની બેઠક મળી હતી જેમાં પ્રમુખ પદે ભુપતભાઈ પંડ્યાને યથાવત રાખવામા આવેલ છે અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ભટ્ટ અને સેક્રેટરી તરીકે કાંતિભાઇ ઠાકરની નિયુક્તિ કરવામાં આવેલ છે.
ઔદિચ્ય વિદ્યોતેજક મંડળની સામાન્ય સભા દવે પંચોલી વિદ્યાર્થી ભવન ખાતે મળેલ હતી જેમાં આગામી કાર્યક્રમ અંગે ચર્ચા કરવામાં આવી હતી આ સાથે વર્તમાન પ્રમુખ ભુપતભાઈ પંડ્યાને પ્રમુખની જવાબદારી સોંપવામાં આવી હતી અને ઉપપ્રમુખ તરીકે જગદીશભાઈ ભટ્ટ અને સેક્રેટરી તરીકે કાંતિભાઇ ઠાકરની નિયુક્તિ કરવામાં આવેલ છે અને આ સાથે વધુ 3 વ્યક્તિઓ ડો,રવિન્દ્રભાઈ ભટ્ટ, અનિલભાઈ વ્યાસ અને નરેન્દ્રભાઈ મેહતાનો ટ્રસ્ટી મંડળમાં પણ સમાવેશ કરવામાં આવ્યો હતો. અને આ મિટિંગમાં કાંતિભાઈ ઠાકર દ્વારા અહેવાલ રજુ કરવામાં આવ્યો હતો અને સમગ્ર માહિતી પુરી પાડવામાં આવી હતી.