મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી અમરેલીના બગસરામાંથી ઝડપાયો


SHARE













હળવદમાંથી સગીરાનું અપહરણ કરનાર આરોપી અમરેલીના બગસરામાંથી ઝડપાયો

હળવદ પોલીસ સ્ટેશનમાં મહિના પહેલા અપહરણનો ગુનો નોંધાયો હતો જે ગુન્હામાં ભોગ બનનાર તથા આરોપીને અમરેલી જીલ્લાના બગસરા ખાતે હોવાની હક્કિત મળી હતી જેના આધારે મોરબી જીલ્લા એએચટીયુ ની ટીમે બંનેને ત્યાંથી પકડી પાડેલ છે.

મોરબી જીલ્લા એએચટીયુના પીઆઇ કે.કે. દરબાદ અને તેની ટીમના કર્મચારીઓ ગુમ થયેલ વ્યક્તિને શોધવા માટે કામગીરી કરી રહ્યા હતા તેવામાં નંદલાલ વરમોરા અને અરવિંદસિંહ પરમારને ખાનગી રાહે માહીતી મળેલ હતી કે, હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં આરોપી નિખીલ રામલાલ ભીલ રહે. ગામ સાગૌની કલા,રાયસેન રોડ તાલુકો કોલુઆ જીલ્લો ભોપાલ મધ્યપ્રદેશ વાળો ફરીયાદીની સગીર વયની દિકરીનું અપહરણ કરી ભગાડી ગયેલ છે જે આરોપી નિખીલ રામલાલ ભીલ અમરેલી જીલ્લાના બગસરા ગામે નદીપરા વિસ્તાર ધારી રોડ ઉપર આવેલ ઇટોના ભઠ્ઠામાં કામ કરતો હોવાની માહીતી હતી જેથી મોરબી જીલ્લા એએચટીયુ ટીમ બગસરા ગામે નદીપરા વિસ્તાર ધારી રોડ ઉપર આવેલ ઇટોના ભઠ્ઠામાં પહોચી હતી અને ત્યથી આરોપી તથા ભોગ બનનાર મળી આવ્યા હતા જેથી તેને હસ્તગત કરી હળવદ પોલીસ સ્ટેશન હવાલે કરેલ છે. આ કામગીરી એચટીયુ શાખાના ઇન્ચાર્જ પીઆઇ કે.કે.દરબાર તથા ફુલીબેન ઠાકોર, નંદલાલ વરમોરા, અરવિંદસિંહ પરમાર, બકુલભાઇ કાસુન્દ્રા દ્વારા કરવામાં આવી હતી.




Latest News