મોરબીમાં મંદિરની દાન પેટીમાંથી 50 હજારની ચોરી કરનારા બે આરોપીની ધરપકડ મોરબીમાં કોપર વાયરની ચોરીના ગુનામાં પકડાયેલ 4 આરોપીના 2 દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના મચ્છી પીઠ વિસ્તારમાં મહાપાલિકાની ટીમે પરચુરણ ડિમોલેશન કર્યું ! મોરબીના પીપળીયા ચાર રસ્તે સમાધાન માટે બોલાવીને યુવાનની હત્યા કરવાના ગુનામાં પકડાયેલ બંને આરોપીના બે દિવસના રિમાન્ડ મંજૂર મોરબીના બિલિયા-અણીયારી આયુષ્માન આરોગ્ય મંદિરને મળ્યું રાષ્ટ્રીય કક્ષાનું NQAS પ્રમાણપત્ર મોરબી જિલ્લા સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠક 16 મેએ યોજાશે મોરબીના નવા સાદુળકા ગામ પાસે ખેત તલાવડીના પાણીમાં ડૂબી જવાથી કાકા-ભત્રીજા સહિત 3 ના મોત મોરબીના સનાળા રોડ ઉપર આવેલ વીઆઇ ના સ્ટોરમાં સર્વર રૂમમાં લાગી આગ, મોટું નુકસાન
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા નજીક તલાવડામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE











વાંકાનેરના રાતાવિડા નજીક તલાવડામાં ડૂબી જવાથી યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવિડા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાની બાજુમાં પાણીના તલાવડામાં યુવાન ડૂબી ગયો હતો જેથી ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે બોલાવીને તેના મૃતદેહ બહાર કાઢીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ગઈ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ સાબરકાંઠા જિલ્લાના રહેવાસી અને હાલ રાતાવિરડા ગામની સીમા આવેલ લોનિક સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા વિનુસંગ ભવાનસંગ ખાટ (44) નામનો યુવાન કારખાનાની બાજુમાં આવેલ પાણીના તલાવડામાં કોઈ કારણોસર ડૂબી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમને બોલાવીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે તેના મૃતદેને લઈ જવામાં આવેલ છે આ બનાવની જસ્મીનભાઈ જયંતીભાઈ કાલરીયા (44)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News