મોરબીના ખાખરાળા ગામે યુવાનની નિર્મમ હત્યા કરનાર આરોપીના પાંચ દિવસના રીમાન્ડ મંજુર મોરબી સેશન્સ કોર્ટે હળવદના ચકચારી પોકસો, અપહરણ, બળાત્કારના કેસમાં આરોપીને નિર્દોષ જાહેર કર્યો મોરબીમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાના ખાલી પડેલ કવાર્ટર લાભાર્થીઓ ફાળવવા માટે કવાયત મોરબી મહાપાલિકાના અગ્નિશમન વિભાગના સ્ટાફે હોસ્પિટલ, શાળા અને હોટલના સ્ટાફને આપી તાલીમ વાંકાનેરના જોધપર ગામે માલ ઢોર રોડ સાઇડમાં લેવા માટે યુવાને ટ્રેક્ટરનું હોર્ન વગાડતા ત્રણ શખ્સોએ કર્યો ધારિયા, લાકડી અને પાઇપ વડે હુમલો ટંકારાની કોર્ટમાં ચાલી ગયેલ રસ્તા માટેનો દાવો કોર્ટે નામંજૂર કર્યો ટંકારા તાલુકાનાં મિતાણા પાસેથી કારની ચોરી કરનાર રાજસ્થાની રીઢો ચોર પકડાયો: 6.35  લાખનો મુદામાલ કબ્જે મોરબી જિલ્લાની કોલેજમાં પ્રવેશ લેતા પહેલા હેલ્પ સેન્ટર જી.જે.શેઠ કોમર્સ કોલેજનો સંપર્ક કરો
Breaking news
Morbi Today

વાંકાનેરના રાતાવિરડા નજીક તલાવડામાં ડૂબી જવાથી યુવાનનું મોત


SHARE















વાંકાનેરના રાતાવિડા નજીક તલાવડામાં ડૂબી જવાથી યુવાનનું મોત

વાંકાનેર તાલુકાના રાતાવિડા ગામની સીમમાં આવેલ સીરામીક કારખાની બાજુમાં પાણીના તલાવડામાં યુવાન ડૂબી ગયો હતો જેથી ફાયર બ્રિગેડની ટીમને ઘટના સ્થળે બોલાવીને તેના મૃતદેહ બહાર કાઢીને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને આ બનાવની વાંકાનેર તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ગઈ છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મૂળ સાબરકાંઠા જિલ્લાના રહેવાસી અને હાલ રાતાવિરડા ગામની સીમા આવેલ લોનિક સિરામિક કારખાનામાં રહેતા અને મજૂરી કામ કરતા વિનુસંગ ભવાનસંગ ખાટ (44) નામનો યુવાન કારખાનાની બાજુમાં આવેલ પાણીના તલાવડામાં કોઈ કારણોસર ડૂબી જતા તેનું ઘટના સ્થળે મોત નીપજયું હતું ત્યારબાદ ફાયર બ્રિગેડની ટીમને બોલાવીને તેના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો અને વાંકાનેરની સરકારી હોસ્પિટલ ખાતે તેના મૃતદેને લઈ જવામાં આવેલ છે આ બનાવની જસ્મીનભાઈ જયંતીભાઈ કાલરીયા (44)એ હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરતા પોલીસે અકસ્માત મૃત્યુના બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે






Latest News