મોરબીના મેયર, ડેપ્યુટી મેયર અને દંડકે કુબેરનગર નવલખી ફાટક પાસે પ્રી-મોન્સૂન કામગીરીનું ચેકિંગ કર્યું મોરબી જિલ્લા આપત્તિ વ્યવસ્થાપન કેન્દ્ર ખાતે ૧૧ માસના કરાર આધારિત ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસરની જગ્યા માટે અરજીઓ મંગાવાઈ મોરબીમાં બીજા માળની છત ઉપરથી નીચે પડી જતા મહિલાનું મોત મોરબીમાં કાલે શ્રી સનાતન યુવા ગ્રુપ દ્વારા રાહત દરે ફુલસ્કેપ નોટબુકનું વિતરણ મોરબીની સિરામિક ટાઇલ્સના ભાવમાં 1 જૂનથી પ્રતિ સ્ક્વેર ફૂટે 5 રૂપિયાનો ભાવ વધારો: એડવાન્સ પેમેન્ટ પછી ગ્રાહકોને માલની ડિલિવરીનો સામૂહિક નિર્ણય મોરબીના માધાપરવાડી વિસ્તારમાં મંત્રીશ્રી કાંતિભાઈ અમૃતિયા તેમજ ધારાસભ્યશ્રી દુર્લભજીભાઈ દેથરીયાના પ્રયાસોથી માધ્યમિક શાળા મંજુર મોરબીના ફડસર ગામે બોલાવીને રાજકોટના યુવાન પાસે વ્યાજના પૈસાની પઠાણી ઉઘરાણી કરીને આપી જાનથી મારી નાખવાની ધમકી મોરબીમાં આઇપીએલની મેચ ઉપર સટ્ટો રમતા એક પકડાયો-બેની શોધખોળ
Breaking news
Morbi Today

મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં ધારાસભ્યના હસ્તે પાંચ દિવસીય પુસ્તક મેળો ખુલ્લો મુકાયો


SHARE











મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં ધારાસભ્યના હસ્તે પાંચ દિવસીય પુસ્તક મેળો ખુલ્લો મુકાયો

મોરબીના ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા મણીમંદિરના પટાંગણમાં રાણી બાગ ખાતે મનપા દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મેળાને આજે ધારાસભ્યના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે કમિશનર સહિતના અધિકારીઓ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને મનપા દ્વારા આયોજિત આ પાંચ દિવસીય પુસ્તક મેળાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે આહ્વાન કર્યું છે.

મોરબી મનપા દ્વારા મણીમંદિરના પટાંગણમાં રાણી બાગ ખાતે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે તા 7 થી આગમી તા 11 સુધી આ પુસ્તક મેળો ચાલુ રહેવાનો છે અને આ મેળાનું આજે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે કમિશનર સ્વપ્નિલ ખરે તેમજ ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા તે ઉપરાંત ત્યાં જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા.

વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, આ પુસ્તક મેળો સવારના 10 થી રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. અને ત્યાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો માટે વિવિધ વિષયોના અવનવા અને રસપ્રદ પુસ્તકો મૂકવામાં આવેલ છે. ખાસ કરીને સાહિત્યશિક્ષણપ્રેરણાનવલકથાબાળસાહિત્ય સહિત વિવિધ ક્ષેત્રોના પુસ્તકો અહી એક જ જગ્યાએ મળી રહેશે. આ પુસ્તક મેળામાં મોરબી શહેરના તમામ લોકોને તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓને આવવા માટે મનપાના અધિકારી દ્વારા અનુરોધ કર્યો છે.






Latest News