મોરબીના ગ્રામ્ય વિસ્તારમાંથી સગીરાનું અપહરણ બનાવમાં મહિલા સહિત બે ની ધરપકડ
મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં ધારાસભ્યના હસ્તે પાંચ દિવસીય પુસ્તક મેળો ખુલ્લો મુકાયો
SHARE
મોરબીમાં મણીમંદિરના પટાંગણમાં ધારાસભ્યના હસ્તે પાંચ દિવસીય પુસ્તક મેળો ખુલ્લો મુકાયો
મોરબીના ઐતિહાસિક અને ધાર્મિક મહત્ત્વ ધરાવતા મણીમંદિરના પટાંગણમાં રાણી બાગ ખાતે મનપા દ્વારા પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આ મેળાને આજે ધારાસભ્યના હસ્તે ખુલ્લો મૂકવામાં આવ્યો હતો ત્યારે કમિશનર સહિતના અધિકારીઓ અને જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. અને મનપા દ્વારા આયોજિત આ પાંચ દિવસીય પુસ્તક મેળાનો વધુમાં વધુ લોકોને લાભ લેવા માટે આહ્વાન કર્યું છે.
મોરબી મનપા દ્વારા મણીમંદિરના પટાંગણમાં રાણી બાગ ખાતે પુસ્તક મેળાનું આયોજન કરવામાં આવ્યું છે અને આજે તા 7 થી આગમી તા 11 સુધી આ પુસ્તક મેળો ચાલુ રહેવાનો છે અને આ મેળાનું આજે ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરિયાના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું ત્યારે કમિશનર સ્વપ્નિલ ખરે તેમજ ડેપ્યુટી કમિશનર કુલદીપસિંહ વાળા સહિતના અધિકારીઓએ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા તે ઉપરાંત ત્યાં જુદીજુદી શાળાના વિદ્યાર્થીઓ પણ આવ્યા હતા.
વધુમાં અધિકારી જણાવ્યુ હતું કે, આ પુસ્તક મેળો સવારના 10 થી રાત્રિના 9 વાગ્યા સુધી ખુલ્લો રહેશે. અને ત્યાં બાળકોથી લઈને વૃદ્ધો સુધીના લોકો માટે વિવિધ વિષયોના અવનવા અને રસપ્રદ પુસ્તકો મૂકવામાં આવેલ છે. ખાસ કરીને સાહિત્ય, શિક્ષણ, પ્રેરણા, નવલકથા, બાળસાહિત્ય સહિત વિવિધ ક્ષેત્રોના પુસ્તકો અહી એક જ જગ્યાએ મળી રહેશે. આ પુસ્તક મેળામાં મોરબી શહેરના તમામ લોકોને તેમજ શાળા કોલેજના વિદ્યાર્થીઓને આવવા માટે મનપાના અધિકારી દ્વારા અનુરોધ કર્યો છે.









