મોરબી જિલ્લામાં ખેતીના પાકોને 88 ટકાથી વધુ નુકશાન: ખેડૂતોનું સંપૂર્ણ દેવું માફ કરવાની સરપંચો-ખેડૂતોની માંગ બોટાદના બરવાળામાંથી ગુમ થયેલી સગીરા મોરબીથી મળી વાંકાનેરના રાણેકપર ગામે ખેતરમાં માલઢોર ચરાવીને ભેલાણ કર્યા બાદ યુવાન સહિતનાઓની ઉપર ધારિયા, પાઇપ તથા ધોકા વડે હુમલો: 17 સામે ફરિયાદ પહેલા ડિટેકશન પછી ફરિયાદ !: વાંકાનેર તાલુકામાંથી થયેલ બે બાઇકની ચોરીમાં હવે ગુનો નોંધાયો હળવદના કવાડિયા ગામે સોલાર પ્લાન્ટમાંથી 4 લાખના કોપર વાયરની ચોરી મોરબીમાં આઇસર પાછળ કાર અથડાતાં મૃત્યુ પામેલ મહિલાના પતિ સામે ગુનો નોંધાયો મોરબીના યુવાને વ્હોટ્સએપમાં આવેલ એપીકે ફાઇલ ઓપન કરતાની સાથે મોબાઈલ હેક: બેંકમાંથી 3.33 લાખ ઉપાડી ગયા મોરબીના આમરણ નજીક પોલીસે પીછો કરતાં અકસ્માત થયેલ કારમાંથી દારૂની 186 બોટલ નીકળી!: કાર ચાલક ફરાર
Breaking news
Morbi Today

મોરબીમાં મહેન્દ્રનગરથી માળિયા ફાટક ચોકડી સુધી ભારે વાહનોની અવરજવર બંધ કરવા આપની માંગ


SHARE



























મોરબીમાં મહેન્દ્રનગરથી માળિયા ફાટક ચોકડી સુધી ભારે વાહનોની અવરજવર બંધ કરવા આપની માંગ

મોરબી મહાપાલિકા ઝોન-2 ના મહેન્દ્રનગર ચોકડીથી માળિયા ફાટક સુધી ભારે વાહન ચાલતા હોય છે જેથી કરીને ટ્રાફિકજામ સહિતના પ્રશ્નો ઊભા થાય છે જેથી કરીને ભારે વાહનોને ત્યાંથી દિવસ દરમ્યાન બંધ કરવામાં આવે તેવી માંગ આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી દ્વારા કરવામાં આવેલ છે.

આમ આદમી પાર્ટીના જીલ્લા મહામંત્રી પંકજભાઈ આદ્રોજામોરબી સામાકાંઠા વિસ્તારમાં આવેલા સૌથી વધુ ટ્રાફિક ધરાવતા પોસ વિસ્તાર મહેન્દ્રનગર ચોકડીથી માળિયા ફાટક સુધીનો જે રસ્તો છે ત્યાથી ફેક્ટરીએ અપડાઉન કરતા લોકોની મોટા પ્રમાણમા અવરજવર હોય છે આટલું જ નહીં ત્યાં રહેણાક વિસ્તાર પણ આવેલ છે જેથી ભારે વાહનના લીધે ટ્રાફિકજામ થાય છે અને અક્સ્માતનો પણ સતત ભય રહે છે જેથી આ રસ્તા ઉપરથી ભારે વાહનોની અવર જવર બંધ કરવામાં આવે તેવી માંગ કરેલ છે. અને ભારે વાહનોને નેશનલ હાઈવે પર ડાઈવર્ટ કરવામાં આવે તેમજ મહેન્દ્રનગર ચોકડીએ જે બ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે તેને વહેલી તકે પૂરું કરવામાં આવે તેવી માંગ કરેલ છે.












Latest News