મોરબીના વીરપરડા ગામના કુવાને લઈને ચાલતી અફવાઓથી દૂર રહેવા જિલ્લા કલેકટર સ્વપ્નિલ ખરે એ કરી અપીલ ભારતના ખેડૂત નેતા રાકેશ ટીકેતની હાજરીમાં મોરબીના રવાપર ગામે યોજાશે કિસાન મહાસભા મોરબી રવાપર ચોકડી પાસેથી રોકડ રકમ મળી, જેની હોય તેણે સંપર્ક કરવો મોરબીમાં ઘરેથી ઝેરોક્ષ કરાવવા જવાનું કહીને નિકળેલ યુવતી ગુમ વાંકાનેરમાં મુખ્ય માર્ગો ઉપરના દબાણો હટાવતી પાલિકા વાંકાનેરના ચંદ્રપુરમાં સ્ટાર પ્લાઝાની 240 દુકાનો સીલ : વેપારીઓમાં રોષ,ફાયર સેફટીના અભાવે કાર્યવાહી વાંકાનેરમાં દેવદયા ટ્રસ્ટ દ્વારા ત્રાંસી આંખ માટે નિદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. હેડગેવાર સ્મારક સમિતિના સીવણ કેન્દ્રમાં બહેનોને પ્રમાણપત્ર એનાયત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગરમાં યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE







મોરબીના પ્રેમજીનગરમાં યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીમાં મકનસર પાસેના પ્રેમજીનગરમાં માવાના બાકી પૈસા બાબતે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા યુવાનનું સારવાર  દરમ્યાન રાજકોટ ખાતે મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટયો હતો અને હત્યાના આ બનાવમાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના મકનસર ગામ પાસે આવેલા પ્રેમજીનગર વિસ્તારમાં માવાના બાકી પૈસાના મુદદે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ગુલાબ વેલજીભાઇ શેખવા, જયેશ વેલજીભાઇ સેખવા સહિત કુલ મળીને છ વ્યક્તિને બંને પક્ષે ઇજાઓ થઈ હતી જેમાં વેલજીભાઇ નથુભાઇ શેખવા (૫૫) રહે.પ્રેમજીનગર હનુમાન મંદિરની પાસે વાળાએ મારામારીની અગાઉ ચુનીલાલ વધોરા, કાન્તાબેન ચુનીલાલ વઘોરા, સુરેશ ચુનીલાલ વઘોરા, રાકેશ ચુનીલાલ વઘોરા, મોહન રવજીભાઈ વઘોરા, હસમુખભાઈ મોહનભાઈ વઘોરા રહે. બધા પ્રેમજીનગર મોરબી સામે ફરીયાદ નોંધાવી હતી ત્યાર બાદ રાજકોટ ખાતે ઇજા પામેલ ગુલાબભાઈ વેલજીભાઇ શેખવા (૨૯)નું મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટયો હતો આ ગુનામાં પોલીસે અગાઉ ચુનીલાલ ક્માભાઈ વધોરા, કાન્તાબેન ચુનીલાલ વઘોરા અને રાકેશ ચુનીલાલ વઘોરાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારે આરોપી સુરેશ ચુનીલાલ વધોરાને કોરોના પોઝિટિવ હોવાથી તેને પકડવામાં આવેલ ન હતો જો કે, હાલમાં આરોપી સુરેશ ચુનીલાલ વધોરાની ધરપકડ કરવામાં આવી છે






Latest News