મોરબીમાં મિત્રના લગ્નમાં ગયેલ યુવાનને કાતરૂ કેમ મારતો હતો તેવું કહીને વાસા-બેઠકના ભાગે છરીના ઘા ઝીંકી દીધા વાંકાનેર તાલુકામાં તળાવ ઊંડા કરવા અને પાળ મજબૂત કરવા કામનું જિજ્ઞાશબેન મેરે ખાતમહૂર્ત કર્યું મોરબી મનપાની ફાયર શાખામાં ૨૧ ઓપરેટરોની કોન્ટ્રાક્ટ બેઇઝ ભરતી કરાઇ મોરબી મનપા દ્વારા ડોગ સેલ્ટર બનાવવાની કામગીરી ચાલુ, વેક્સિનેશન પણ શરૂ કરાશે મોરબીના સરદાર રોડ, શનાળા રોડ સહિતના વિસ્તારોમાંથી ગેરકાયદે દબાણો દુર કરાયા મોરબી મહાનગરપાલિકા આશ્રયગૃહ ખાતે આશ્રીતો માટે ઈ-નિર્માણ યોજના કેમ્પ યોજાયો મોરબીના પંચાસર રોડે 300 મકાનનું ડિમોલેશન કરતાં પહેલા સ્થાનિકોને વૈકલ્પિક વ્યવસ્થા આપવાની માંગ: કમિશનરને આવેદન પાઠવ્યું હળવદ તાલુકામાં સગીરા સાથે દુષ્કર્મના કેસમાં આરોપીને 20 વર્ષની સખ્ત કેદની સજા, 25000 નો દંડ
Breaking news
Morbi Today

મોરબીના પ્રેમજીનગરમાં યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ


SHARE













મોરબીના પ્રેમજીનગરમાં યુવાનની હત્યાના ગુનામાં વધુ એક આરોપીની ધરપકડ

મોરબીમાં મકનસર પાસેના પ્રેમજીનગરમાં માવાના બાકી પૈસા બાબતે બોલાચાલી થયા બાદ મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ઇજા પામેલા યુવાનનું સારવાર  દરમ્યાન રાજકોટ ખાતે મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટયો હતો અને હત્યાના આ બનાવમાં પોલીસે હાલમાં વધુ એક આરોપીની ધરપકડ કરેલ છે

મોરબીના મકનસર ગામ પાસે આવેલા પ્રેમજીનગર વિસ્તારમાં માવાના બાકી પૈસાના મુદદે મારામારીનો બનાવ બન્યો હતો જેમાં ગુલાબ વેલજીભાઇ શેખવા, જયેશ વેલજીભાઇ સેખવા સહિત કુલ મળીને છ વ્યક્તિને બંને પક્ષે ઇજાઓ થઈ હતી જેમાં વેલજીભાઇ નથુભાઇ શેખવા (૫૫) રહે.પ્રેમજીનગર હનુમાન મંદિરની પાસે વાળાએ મારામારીની અગાઉ ચુનીલાલ વધોરા, કાન્તાબેન ચુનીલાલ વઘોરા, સુરેશ ચુનીલાલ વઘોરા, રાકેશ ચુનીલાલ વઘોરા, મોહન રવજીભાઈ વઘોરા, હસમુખભાઈ મોહનભાઈ વઘોરા રહે. બધા પ્રેમજીનગર મોરબી સામે ફરીયાદ નોંધાવી હતી ત્યાર બાદ રાજકોટ ખાતે ઇજા પામેલ ગુલાબભાઈ વેલજીભાઇ શેખવા (૨૯)નું મોત નીપજયું હતું જેથી કરીને બનાવ હત્યામાં પલટયો હતો આ ગુનામાં પોલીસે અગાઉ ચુનીલાલ ક્માભાઈ વધોરા, કાન્તાબેન ચુનીલાલ વઘોરા અને રાકેશ ચુનીલાલ વઘોરાની ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારે આરોપી સુરેશ ચુનીલાલ વધોરાને કોરોના પોઝિટિવ હોવાથી તેને પકડવામાં આવેલ ન હતો જો કે, હાલમાં આરોપી સુરેશ ચુનીલાલ વધોરાની ધરપકડ કરવામાં આવી છે






Latest News