મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદના ચરાડવા નજીક ડબલ સવારી બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ બે પૈકીના એક યુવાનનું મોત


SHARE













હળવદના ચરાડવા નજીક ડબલ સવારી બાઇક સ્લીપ થતાં ઇજા પામેલ બે પૈકીના એક યુવાનનું મોત

હળવદના ચરાડવા ગામ પાસેથી ડબલ સવારી બાઇક પસાર થઇ રહ્યું હતું ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં ઇજા પામેલા બે યુવાન પૈકી એક યુવાનનું મોત નીપજ્યું છે જેથી અકસ્માત મૃત્યુના બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી મુજબ હળવદના ચરાડવા ગામે રહેતા સમરજીતસિં ચંદ્રેશવરસિંગ (18) અને અંકિતસિંગ રામેશ્વરસિંગ (17) નામના બે યુવાનો ચરડવા ગામ પાસેથી બાઈક લઈને પસાર થઈ રહ્યા હતા ત્યારે તેઓનું ડબલ સવારી બાઈક ચરડવા ગામ નજીક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જે બનાવમાં બંને યુવાનોને ઇજા થઈ હતી જેમાં સમરજીતસિંગને વધુ ઇજા થઈ હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે મોરબીની સરકારી હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા જોકે સારવાર કારગત ન નિવડતા તે યુવાનનું મોત નીપજ્યું હતું જેથી અકસ્માતના બનાવની હોસ્પિટલ મારફતે હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે અકસ્માતના બનાવની નોંધ કરી આગળની રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

વૃદ્ધ સારવારમાં

મોરબીના રવાપર રોડ પર નિર્મલ વિદ્યાલયની સામેના ભાગમાં રહેતા જયંતીભાઈ નાનજીભાઈ અમૃતિયા (63) નામના વૃદ્ધ યદુનંદન ગૌશાળા તરફ જતા હતા ત્યારે રસ્તામાં તેઓનું બાઇક સ્લીપ થયું હતું અને અકસ્માત થયો હતો જેમાં ઇજા પામેલ વૃદ્ધને સારવાર માટે મોરબીની ખાનગી હોસ્પિટલમાં લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી એ ડિવિઝન પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે




Latest News