મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

વાંકાનેરના પંચાસિયામાં ઘરની વસ્તુઓ લેવા માટે પૈસા માંગતી પત્નીને પતિએ માર માર્યો


SHARE











વાંકાનેરના પંચાસિયામાં ઘરની વસ્તુઓ લેવા માટે પૈસા માંગતી પત્નીને પતિએ માર માર્યો

વાંકાનેરના પંચાસિયા ગામે ચમારવાસમાં રહેતી મહિલાએ તેના પતિ પાસે ઘરની વસ્તુઓ લેવા માટે પૈસા માગ્યા હતા ત્યારે તેના પતિ દ્વારા તેને લાકડી વડે હાથે પગે અને કમરના ભાગે માર મારવામાં આવ્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી જેથી ભોગ બનેલ મહિલા દ્વારા સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવા આવતા પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે

જાણવા મળતી માહિતી મુજબ વાંકાનેર તાલુકાના પંચાસિયા ગામે ચમારવાસમાં રહેતા મનીષાબેન દિલીપભાઈ ચૌહાણ (29)હાલમાં વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે તેના પતિ દિલીપભાઈ પ્રેમજીભાઈ ચૌહાણની સામે ફરિયાદ નોંધાવેલ છે જેમાં તેને જણાવ્યું છે કે ફરિયાદીએ પોતાના ઘર માટે ચીજ વસ્તુઓ લેવા તેના પતિ પાસે પૈસા માંગ્યા હતા ત્યારે તેના પતિએ ફરિયાદીને લાકડી વડે હાથે પગે અને કમરના ભાગે માર માર્યો હતો અને ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી જેથી મહિલાએ સારવાર લીધા બાદ વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ હાથ ધરી છે.

અકસ્માતમાં ઇજા

મોરબીના પંચાસર રોડ ઉપર આવેલ સામતાણીની વાડીમાં રહેતા પ્રદીપભાઈ રમેશભાઈ (19) નામનો યુવાન બાઇક લઈને રાજપર ચોકડી પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે અજાણ્યા વાહન સાથે બાઈક આથડતા અકસ્માત થયો હતો જેમાં તેને ઈજા થવાથી યુવાનને સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની એ ડિવિઝન પોલીસને જાણ કરવામાં આવી હતી

ઝેરી દવા પી લેતા સારવારમાં

મોરબીના વણકરવાસ વિસ્તારમાં રહેતો મનોજ ચંદુભાઈ જાદવ (19) નામનો યુવાન પોતે પોતાના ઘરે હતો ત્યારે ત્યાં ઝેરી દવા પી ગયો હતો જેથી તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની પોલીસને જાણ કરતા યુવાને ક્યાં કારણોસર દવા પીધી હતી તે દિશામાં પોલીસ આગળની તપાસ હાથ ધરી છે






Latest News