ટંકારામાં માતા રમાબાઈ આંબેડકરનાં જન્મ દિવસ ની ઉજવણી કરવામાં આવી મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટેની ચૂંટણીમાં 6596 માંથી 2049 મત પડ્યા ટંકારા ઓવરબ્રિજ પાસે એસ.ટી. બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત સર્જાતા કન્ટેનર પલટી ગયુ: મોટી દુર્ઘટના સહેજમાં ટળી મોરબીમાં સમસ્ત કોળી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા સંચાલિત નવજીવન લાઈબ્રેરી એન્ડ એકેડમી સેન્ટરનું ઉદ્ઘાટન મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના હસ્તે કરાયું મોરબીના બરવાળા ગામે બહુચર અને શિકોતર માતાજીના મંદિરનુ શિલાપુજન કરાશે મોરબી નાગરિક સહકારી બેંકના 6 ડિરેક્ટરો માટે આજે ચૂંટણીનું મતદાન: મોડી રાત સુધીમાં ફેંસલો ટંકારાના મીતાણા ગામ નજીક સીએનજી રીક્ષામાં જઈ રહેલ મહિલાના ગળામાંથી સોનાના હારની ચીલ ઝડપ, હાર તૂટી જતા સવા બે તોલાનો હાર લઈને અજાણ્યો શખ્સ ફરાર મોરબી રાજકોટ હાઇવે રોડ ઉપર મજૂરી કામના પૈસા માંગતા યુવાન સહિત ત્રણ વ્યક્તિઓને આઠ જેટલા શખ્સોએ ધોકા અને પાઇપ વડે મારમાર્યો
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ગોર ખીજડીયાના પાટીયા પાસે રીક્ષા પલટી: ઇજા પામેલ 6 મહિલા સારવારમાં


SHARE













મોરબીના નવલખી રોડે ગોર ખીજડીયાના પાટીયા પાસે રીક્ષા પલટી: ઇજા પામેલ 6 મહિલા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામના પાટીયા પાસેથી રીક્ષા પસાર થઈ હતી ત્યારે રીક્ષા કોઈ કારણસર પલટી મારી ગઈ હતી જેથી રિક્ષામાં બેઠેલ છ મહિલાઓને નાના મોટી ઈજાઓ થયો હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામના પાટીયા પાસેથી રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે તે રીક્ષાની અંદર મોરબીના વનાળીયા ગામે રહેતા અમીનાબેન ગુલામહુસેન સુમારા (45), જીલુબેન તૈયાબભાઈ સુમરા (55), રૂખીબેન જગાભાઈ રાઠોડ (70), કુંવરબેન કેશવલાલ રાઠોડ (60) સારાબેન હનીફભાઈ સુમરા (56) અને મંજુલાબેન જેન્તીભાઈ રાઠોડ (40) બેઠેલા હતા દરમિયાન કોઈ કારણોસર રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી રિક્ષામાં બેઠેલા તમામ મહિલાઓને નાના મોટી ઈજાઓ થઈ હોવાથી હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધને મારમાર્યો

મોરબી તાલુકાના વાઘપર ગામે રહેતા મસરીભાઈ મેરૂભાઈ (70) નામના વૃદ્ધને મોરબીના પાવડીયારી બસ સ્ટેશન પાસે તથા વાઘપર ગામે મારામારીના બનાવમાં ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News