મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબીના નવલખી રોડે ગોર ખીજડીયાના પાટીયા પાસે રીક્ષા પલટી: ઇજા પામેલ 6 મહિલા સારવારમાં


SHARE







મોરબીના નવલખી રોડે ગોર ખીજડીયાના પાટીયા પાસે રીક્ષા પલટી: ઇજા પામેલ 6 મહિલા સારવારમાં

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામના પાટીયા પાસેથી રીક્ષા પસાર થઈ હતી ત્યારે રીક્ષા કોઈ કારણસર પલટી મારી ગઈ હતી જેથી રિક્ષામાં બેઠેલ છ મહિલાઓને નાના મોટી ઈજાઓ થયો હોવાથી તેઓને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

મોરબીના નવલખી રોડ ઉપર આવેલ ગોર ખીજડીયા ગામના પાટીયા પાસેથી રીક્ષા પસાર થઇ રહી હતી ત્યારે તે રીક્ષાની અંદર મોરબીના વનાળીયા ગામે રહેતા અમીનાબેન ગુલામહુસેન સુમારા (45), જીલુબેન તૈયાબભાઈ સુમરા (55), રૂખીબેન જગાભાઈ રાઠોડ (70), કુંવરબેન કેશવલાલ રાઠોડ (60) સારાબેન હનીફભાઈ સુમરા (56) અને મંજુલાબેન જેન્તીભાઈ રાઠોડ (40) બેઠેલા હતા દરમિયાન કોઈ કારણોસર રીક્ષા પલટી મારી ગઈ હતી જેથી રિક્ષામાં બેઠેલા તમામ મહિલાઓને નાના મોટી ઈજાઓ થઈ હોવાથી હાલતમાં તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે

વૃદ્ધને મારમાર્યો

મોરબી તાલુકાના વાઘપર ગામે રહેતા મસરીભાઈ મેરૂભાઈ (70) નામના વૃદ્ધને મોરબીના પાવડીયારી બસ સ્ટેશન પાસે તથા વાઘપર ગામે મારામારીના બનાવમાં ઇજા થયેલ હોવાથી તેને સારવાર માટે મોરબીની સિવિલ હોસ્પિટલ ખાતે લાવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપ્યા બાદ આ બનાવની હોસ્પિટલ મારફતે મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






Latest News