મોરબીમાં કામ ધંધો ચાલતો ન હોય પૈસાના ટેન્શનમાં ઘરેથી ચાલ્યો ગયેલ યુવાન મળી આવ્યો, માનસિક અસ્થિર યુવાનની પણ ભાળ મળી મોરબીના પેપર મિલ ઉદ્યોગ ઉપર 36 કરોડનું ભારણ વધ્યું, 45 હજાર ટન ઉત્પાદન ઘટ્યું: પ્રમુખ મોરબીમાં સ્વ. શાંતાબેન બરાસરાના સ્મરણાર્થે 17 એપ્રિલે મહા રક્તદાન કેમ્પ યોજાશે મોરબીમાં ડો. બાબાસાહેબ આંબેડકરની જન્મ જયંતી નિમિત્તે ભવ્ય રેલી યોજાઇ મોરબી મહાપાલિકાની ચૂંટણી: 8 દિવસમાં અંદાજે 10 કિલો મીટર વિસ્તારમાં પ્રચાર કરીને મત માટે ઉમેદવારે સરેરાશ 17 હજારથી વધુ મતદારોનો કરવાનો જનસંપર્ક ! મોરબીમાં બાળ કિશોર દારૂ ભરેલ કાર લઈને નીકળ્યો !: 5.15 લાખનો મુદામાલ કબ્જે: મહિલા સહિત 3 ની શોધખોળ વાંકાનેરમાં છકડો રિક્ષાના ચાલકે બાઇકને હડફેટે લેતા દંપતીને ગંભીર ઇજા મોરબી નજીક રિક્ષામાંથી પડી જતાં ઇજા પામેલ મહિલાના મોત મામલે રિક્ષા ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા AICCના ઓબ્ઝર્વરની હાજરીમાં સંવિધાન બચાવો યાત્રા યોજાઇ


SHARE













મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા AICCના ઓબ્ઝર્વરની હાજરીમાં સંવિધાન બચાવો યાત્રા યોજાઇ

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે સંવિધાન બચાવો યાત્રાનું મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું જે યાત્રામાં AICCના ઓબ્ઝર્વર બી.વી. શ્રીનિવાસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઈસ પ્રેસિડેન્ટ અને મોરબી જિલ્લા કોંગ્રેસના સહ ઓબ્ઝર્વર ડો. દિનેશ પરમાર, વાલજીભાઈ, ઝાકીર હુસૈન ચૌહાણ અને હિતેશભાઈ વોરા સહિતના હાજર રહ્યા હતા. આ તકે ડો. દિનેશભાઈ પરમારે કહ્યું હતું કે, વર્તમાન સરકાર લોકોને ગુમરાહ કરી રહી છે અને તેને ગરીબી, બેરોજગારી, મોંઘવારી સહિતના કોઈ મુદા દેખાતા નથી. આટલું જ નહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજ્યમાં કથળી ગયેલ છે. અને લોકો હેરાન છે ત્યારે સરકાર મંદિર-મસ્જિદમાંથી બહાર આવતી નથી. તેમજ દેશના સૈનિકો અને નિર્દોષ લોકોને હુમલા કરીને મારી નાખવામાં આવી રહ્યા છે. ત્યારે સરકાર શું કરી રહી છે તે સૌથી મોટો સવાલ છે. તો બી.વી. શ્રીનિવાસે કહ્યું હતું કે, વર્તમાન સરકાર અને તેના નેતાઓ સંવિધાનને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે દેશભરમાં કોંગ્રેસ પાર્ટી સંવિધાન બચાવવા રેલી યોજી રહી છે તેના ભાગ રૂપે મોરબીમાં યાત્રા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. આ રેલીને સફળ બનાવવા માટે થઈને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોટડીયા તથા કે.ડી.બાબરવા, દેવેન્દ્રસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ કંઝારીયા, લલીતભાઈ કાસુન્દ્રા, ચિરાગભાઈ રાચ્છ, ભાવેશભાઈ ભટ્ટ, યાસીનભાઈ મન્સુરી, દીપકભાઈ પરમાર સહિતના કોંગ્રેસના જિલ્લા, શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી






Latest News