મોરબીની ગીતાંજલી વિદ્યાલયમાં પ્રિ.બોર્ડ પરીક્ષા યોજાઇ ટંકારામાં હાઇબીપી બાદ મગજની નશ ફાટી જતા યુવાનનું મોત વધુ એક વખત ચક્કાજામ: મોરબીના બાયપાસ રોડે 3 સોસાયટીના લોકોએ પ્રાથમિક સુવિધા માટે રસ્તો બંધ કર્યો, તંત્ર દોડતું મોરબીમાં રાજ્યકક્ષાની બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઇ: ૧૦૦૦ જેટલા બાળ કલાકારોએ પ્રતિભાના ઓજસ પાથર્યા વાંકાનેરમાં ઘરફોડ ચોરની ઘટનાઓને અંજામ આપવાના ગુનામાં સિખલીકર ગેંગેના બે શખ્સને વડોદરાથી પકડ્યા: 7 તોલા સોનું-રોકડ કબ્જે હળવદના વાંકીયા ગામ પાસે નદીમાં બળજબરી પૂર્વક ખાનગી વીજ કંપની દ્વારા ઉભો કરાતો વીજ પોલ અટકાવવા ગ્રામજનોની માંગ તેરા તુજકો અર્પણ: હળવદમાં કરાયેલ લૂંટમાં ગયેલ રોકડા પૈકીના 5.19 લાખ રૂપિયા વેપારીને પરત કરાયા મોરબીના જોધપર નદી ગામે બીમારીથી કંટાળીને આધેડે કર્યો આપઘાત
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા AICCના ઓબ્ઝર્વરની હાજરીમાં સંવિધાન બચાવો યાત્રા યોજાઇ


SHARE













મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા AICCના ઓબ્ઝર્વરની હાજરીમાં સંવિધાન બચાવો યાત્રા યોજાઇ

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે સંવિધાન બચાવો યાત્રાનું મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું જે યાત્રામાં AICCના ઓબ્ઝર્વર બી.વી. શ્રીનિવાસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઈસ પ્રેસિડેન્ટ અને મોરબી જિલ્લા કોંગ્રેસના સહ ઓબ્ઝર્વર ડો. દિનેશ પરમાર, વાલજીભાઈ, ઝાકીર હુસૈન ચૌહાણ અને હિતેશભાઈ વોરા સહિતના હાજર રહ્યા હતા. આ તકે ડો. દિનેશભાઈ પરમારે કહ્યું હતું કે, વર્તમાન સરકાર લોકોને ગુમરાહ કરી રહી છે અને તેને ગરીબી, બેરોજગારી, મોંઘવારી સહિતના કોઈ મુદા દેખાતા નથી. આટલું જ નહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજ્યમાં કથળી ગયેલ છે. અને લોકો હેરાન છે ત્યારે સરકાર મંદિર-મસ્જિદમાંથી બહાર આવતી નથી. તેમજ દેશના સૈનિકો અને નિર્દોષ લોકોને હુમલા કરીને મારી નાખવામાં આવી રહ્યા છે. ત્યારે સરકાર શું કરી રહી છે તે સૌથી મોટો સવાલ છે. તો બી.વી. શ્રીનિવાસે કહ્યું હતું કે, વર્તમાન સરકાર અને તેના નેતાઓ સંવિધાનને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે દેશભરમાં કોંગ્રેસ પાર્ટી સંવિધાન બચાવવા રેલી યોજી રહી છે તેના ભાગ રૂપે મોરબીમાં યાત્રા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. આ રેલીને સફળ બનાવવા માટે થઈને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોટડીયા તથા કે.ડી.બાબરવા, દેવેન્દ્રસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ કંઝારીયા, લલીતભાઈ કાસુન્દ્રા, ચિરાગભાઈ રાચ્છ, ભાવેશભાઈ ભટ્ટ, યાસીનભાઈ મન્સુરી, દીપકભાઈ પરમાર સહિતના કોંગ્રેસના જિલ્લા, શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી






Latest News