મોરબીમાં દેણું વધી જતા ગુમ થયેલુ દંપતિ હેમખેમ ઘેર પરત ફર્યું, વજેપર, શનાળા, સિપાઈવાસ, પંચાસર રોડ પરથી દારૂ ઝડપાયો મોરબી કબીર ટેકરીમાં સસ્તા અનાજની દુકાન બંધ થતા સ્થાનિકોને રીક્ષા ભાડા ખર્ચી દુર જવું પડે છે લોકોની હાલાકી અંગે કોર્પોરેટરે કરી જિલ્લા કલેકટરને રજુઆત ભારતમાં મુસ્લિમોની વસ્તી અટકાવવા ત્રીજુ સંતાન થાય તો સરકારી અનાજ, શાળામાં પ્રવેશ, મેડિકલ સારવાર, બેંક લોન અને વોટ આપવાનો અધિકાર બંધ કરો: પ્રવીણ તોગડિયા મોરબી શહેર ભાજપમાં ઉપપ્રમુખ-મંત્રીઓની વરણી કરાઇ મોરબીના ખાનપર ગામે ઘરના ફળિયામાં પડી જતાં ઇજા પામેલા યુવાનનું મોત: સાપર નજીક કારખાનામાં ઇલેક્ટ્રીક શૉટ લગતા યુવાનનું મોત મોરબીની અણીયારી ચોકડી પાસે 2 ભેંસ-2 પાડાને કતલખાને લઈએ જતી બોલેરો સાથે બે શખ્સને ગૌરક્ષકોએ પકડ્યા વાંકાનેરના જોધપર ગામે છોકરાઓના રમવા બાબતે મહિલા અને તેની દીકરીને 4 મહિલા સહિત 6 લોકોએ માર માર્યો આજે તો તું બચી ગયો હવે ભેગો થઈશ તો પાડી દેશું: વાંકનેરના રાજાવડલા ગામે યુવાનને તેના બે ભાઈ-ભાભીઓએ આપી ધમકી
Breaking news
Morbi Today

મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા AICCના ઓબ્ઝર્વરની હાજરીમાં સંવિધાન બચાવો યાત્રા યોજાઇ


SHARE







મોરબી જિલ્લા કોંગ્રેસ દ્વારા AICCના ઓબ્ઝર્વરની હાજરીમાં સંવિધાન બચાવો યાત્રા યોજાઇ

મોરબી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા સોમવારે સંવિધાન બચાવો યાત્રાનું મોરબીમાં આયોજન કરવામાં આવ્યું હતું જે યાત્રામાં AICCના ઓબ્ઝર્વર બી.વી. શ્રીનિવાસ, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના વાઈસ પ્રેસિડેન્ટ અને મોરબી જિલ્લા કોંગ્રેસના સહ ઓબ્ઝર્વર ડો. દિનેશ પરમાર, વાલજીભાઈ, ઝાકીર હુસૈન ચૌહાણ અને હિતેશભાઈ વોરા સહિતના હાજર રહ્યા હતા. આ તકે ડો. દિનેશભાઈ પરમારે કહ્યું હતું કે, વર્તમાન સરકાર લોકોને ગુમરાહ કરી રહી છે અને તેને ગરીબી, બેરોજગારી, મોંઘવારી સહિતના કોઈ મુદા દેખાતા નથી. આટલું જ નહીં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ રાજ્યમાં કથળી ગયેલ છે. અને લોકો હેરાન છે ત્યારે સરકાર મંદિર-મસ્જિદમાંથી બહાર આવતી નથી. તેમજ દેશના સૈનિકો અને નિર્દોષ લોકોને હુમલા કરીને મારી નાખવામાં આવી રહ્યા છે. ત્યારે સરકાર શું કરી રહી છે તે સૌથી મોટો સવાલ છે. તો બી.વી. શ્રીનિવાસે કહ્યું હતું કે, વર્તમાન સરકાર અને તેના નેતાઓ સંવિધાનને ખતમ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. ત્યારે દેશભરમાં કોંગ્રેસ પાર્ટી સંવિધાન બચાવવા રેલી યોજી રહી છે તેના ભાગ રૂપે મોરબીમાં યાત્રા યોજાઇ હતી જેમાં મોટી સંખ્યામાં લોકો આવ્યા હતા. આ રેલીને સફળ બનાવવા માટે થઈને મોરબી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા, શહેર કોંગ્રેસના પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજા, તાલુકા કોંગ્રેસના પ્રમુખ વિજયભાઈ કોટડીયા તથા કે.ડી.બાબરવા, દેવેન્દ્રસિંહ જાડેજા, લક્ષ્મણભાઈ કંઝારીયા, લલીતભાઈ કાસુન્દ્રા, ચિરાગભાઈ રાચ્છ, ભાવેશભાઈ ભટ્ટ, યાસીનભાઈ મન્સુરી, દીપકભાઈ પરમાર સહિતના કોંગ્રેસના જિલ્લા, શહેર અને તાલુકા કોંગ્રેસના આગેવાનો હોદ્દેદારો અને કાર્યકર્તાઓએ જહેમત ઉઠાવી હતી






Latest News