મોરબીમાં સ્નેહની રાખી - સ્વાવલંબનની ડોરની થીમ પર આધારિત પ્રદર્શન-સહ-વેચાણ રાખી મેળાને રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ ખુલ્લો મુક્યો રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની હાજરીમાં મોરબી ખાતે વિભાજનની વિભીષિકા સ્મૃતિ દિવસનો કાર્યક્રમ યોજાયો ટ્રાન્સમિશન લાઇનના કામે ખેડૂતોને વળતર ચૂકવવા મોરબી કલેક્ટર કચેરી ખાતે નવી નીતિ અન્વયે પ્રથમ વખત MRC કમિટી દ્વારા ભાવ નક્કી થયા: ૪૦૦% થી પણ વધુ વળતર ચૂકવાશે મોરબી તાલુકામાં ગેસ કટિંગના ગુનામાં સંડોવાયેલ આરોપી રાજસ્થાનથી પકડાયો મોરબીના મચ્છુ-2 ડેમના દરવાજા ઉપર તિરંગા રોશનીનો શણગાર મોરબીમાં ગેરકાયદે કતલખાના બંધ કરાવીને નોનવેજની લારીઓ, દુકાન અને હોટલમાં ચેકિંગ કરવા હિન્દુ સંગઠનની માંગ મોરબી એબીવીપી દ્વારા JPSC-JSSC પેપર લીક થતાં કરાયું વિરોધ પ્રદર્શન મોરબી જિલ્લા કક્ષાનો સ્વતંત્રત પર્વની પ્રભારી મંત્રી ત્રિકમભાઈ છાંગા ની હાજરીમાં મોટા દહીસરા ગામે કરશે ઉજવણી
Breaking news
Morbi Today

મોરબી: પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલ


SHARE







મોરબી: પી.જી.વી.સી.એલ. ની લેણી રકમ ન ભરતા ગ્રાહકને ત્રણ મહિનાની જેલ

પી.જી.વી.સી.એલ દ્વારા લેણી થતી રકમ ગ્રાહક પાસેથી મેળવવા માટે દિવાની દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી જેમાં પ્રતિવાદીએ કોર્ટના સમન્સ પછી પણ રકમ નહીં ભરતા જેલમે બેસાડવા માટે વકીલે કાર્યવાહી કરી હતી અને કોર્ટે પ્રતિવાદીને ત્રણ મહીનાની જેલ અને એક દિવસના ૨૫૦ રૂપિયાનો જેલનો ખર્ચ ભરવા માટેનો હુકમ કર્યો છે.

પશ્ચિમ ગુજરાત વિજ કાં.લી. દ્વારા ટંકારા કોર્ટમાં પ્રધુમનસિંહ બહાદરસિંહ જાડેજા સામે કોર્ટના હુકમ મુજબની લેણી થતી રકમ ૫૭,૩૦૦ પુરા વસુલ મેળવવા દિવાની દરખાસ્ત નં.૦૮/૨૦૨૫ થી દરખાસ્ત દાખલ કરવામાં આવેલ હતી તે દરખાસ્તના કામે વાદી ના વકીલ મારફત પ્રધમનિસંહ બહાદુરસિંહ જાડેજાની જંગમ મિલ્કતની જપ્તીનું વોરંટ કાઢવા અરજી કરતા  કોર્ટે તેમની સામે જંગમ મિલ્કતની જપ્તી માટે વોરંટ કાઢેલ જેમાં કોર્ટના બેલીફ મારફત પ્રધુમનસિંહ બહાદુરસિંહ જાડેજાના ઘરે જંગમ મિલ્કતની જપ્તી કરવા જતા તેમના ઘરે જંગમ મિલ્કત અંગે નીલ રિપોર્ટ આવ્યો હતો જેથી વાદીના વકીલ નિકંજભાઈ પૂનમચંદભાઈ કોટક મારફત પ્રતિવાદી પ્રધમનસિંહ બહાદરસિંહ જાડેજા ની સ્થાવર મિલ્કત જપ્ત કરવા માટે સી.પી.સી.ઓ-૨૧, રૂલ-૪૧ મુજબ પ્રતિવાદી તેની સ્થાવર મિલ્કત જપ્ત કરવા માટે કોર્ટ માં જુબાની લેવા માટે અરજી કરેલ હતી જે અરજી કોર્ટે મંજુર કરેલ અને પ્રતિવાદી તે બાબતે સમન્સ/ નોટીસ પણ કોર્ટ દ્વારા બજાવવામાં આવેલ હતી પરંતુ પ્રતિવાદી પોતે જાતે કે તેમના વકીલ મારફત કોર્ટ સમક્ષ હાજર રહેલ નહી કે કોઈ રજુઆત કરેલ નહી જેથી વાદીના વકીલ નિકુંજભાઈ કોટક મારફત કોર્ટ સમક્ષ પ્રતિવાદીને "જેલ" માં બેસાડવા માટે સી.પી.સી. ઓ-૨૧, રૂલ-૪૧(૩) મુજબ ની અરજી કરેલ હતી જે અરજી કોર્ટે મંજુર રાખી પ્રતિવાદી પ્રધમનસિંહ બહાદરસિંહ જાડેજાને ત્રણ મહીનાની જેલનો તથા વાદીને એક દિવસના રૂા.૨૫૦ નો જેલનો ખર્ચ ભરવા માટેનો હુકમ ટંકારાના જજ એસ.જી.શૈખ સાહેબ દ્વારા કરવામાં આવેલ છે. આ કેસમાં વાદીના વકીલ તરીકે નિકુંજભાઈ પુનમચંદભાઈ કોટક રોકાયેલા હતા.






Latest News