મોરબીમાં આઇટીની ટીમનો સપાટો, બાંધકામ-સિરામિક સાથે જોડાયેલા ચાર જુદાજુદા ગ્રૂપમાંથી કરોડોની રોકડ-જવેરાત મળી: અનેક બેંક એકાઉન્ટ સીલ મોરબીના પીપળી ગામ નજીક કારખાનાના કવાર્ટરમાં ગળાફાંસો ખાઈ ગયેલ યુવાન રાજકોટ સારવારમાં ખસેડાયો હળવદના રાયસંગપુર ગામે વાડીએ ઝેરી દવા પી ગયેલ યુવાનનું સારવારમાં મોત મોરબીના લાલપર નજીક અકસ્માતમાં ઇજા પામેલા આધેડનું રાજકોટ ખાતે સારવારમાં મોત મોરબી અભયમની ટીમે પતિના ત્રાસથી એક વર્ષની દિકરીને લઈને ઘરેથી નીકળી ગયેલ મહિલાનું પતિ સાથે કરાવ્યુ મિલન મોરબીમાં રોડ ક્રોસ કરવા માટે ઉભેલા વૃદ્ધને કચડી નાખનારા કન્ટેનર ટ્રેલરના ચાલક સામે ગુનો નોંધાયો મોરબીમાં અગાઉ થયેલ ઝઘડાનો ખાર રાખીને વૃદ્ધને મારી નાખવાની ધમકી માળીયા (મી) નજીકથી 9 પાડા ભરેલ બોલેરો ગાડી સાથે બે શખ્સ પકડાયા
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને પ્રદેશિક કમિશ્નરની નોટીસ


SHARE













વાંકાનેર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને પ્રદેશિક કમિશ્નરની નોટીસ

વાંકાનેર પાલિકાની સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નો સાંભળ્યા વિના સાધારણ સભાની વિડીયોગ્રાફી ન કરીને માત્ર બે મિનીટમાં સામાન્ય સભા પૂર્ણ કરવામાં આવી હતી જેથી વિરોધપક્ષના નેતાએ કરેલ રજૂઆતને ધ્યાને લઈને હાલમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને પ્રાદેશિક કમિશ્નર કચેરીમાંથી નોટિસ આપવામાં આવેલ છે અને જવાબ સાથે તા 20 ના રોજ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.

વાંકાનેર પાલિકાના વિરોધ પક્ષના નેતા મહમદ રાઠોડ તેમજ સભ્યો જાગૃતિબેન ચૌહાણ, એકતાબેન ઝાલા, અશરફ ચૌહાણ, ફૂલસુમબેન તરીયા અને જલ્પાબેન સુરેલા દ્વારા નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરીને મ્યુનીસીપાલીટીઝ એક્ટની કલમ 258 હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી જે રજૂઆતમાં જણાવ્યુ હતું કે, ગત તા. 24 માર્ચના રોજ એજન્ડા જાહેર કરીને નિયમ મુજબ સાત દિવસ થતાં ન હતા તો પણ 29 માર્ચના રોજ સામાન્ય સભા રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ તા. 1 એપ્રિલના રોજ નવો એજન્ડા જાહેર કરીને 8 એપ્રિલે સામાન્ય સભા બોલાવી હતી તેનું વિડીયો રેકોર્ડીંગ કર્યું ન હતું અને સામાન્ય સભા બે મિનીટમાં પૂરી કરી દેવામાં આવેલ હતી. અને પાલિકાના ઉપપ્રમુખ દ્વારા એજન્ડા 1 થી 19 નું વાંચન કર્યા વગર મુદા મંજુર એવું બોલી મીટીંગ પૂરી કરી દેવામાં આવી હતી. જેથી વિપક્ષના નેતાએ કરેલ રજૂઆતને ધ્યાને લઈને પ્રાદેશિક કમિશ્નર દ્વારા વાંકાનેર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને નોટીસ આપવામાં આવી છે અને તા 20 ના રોજ 12 કલાકે પ્રાદેશિક કમિશ્નર કચેરી રાજકોટ ઝોન ખાતે લેખિત/ મૌખિક જવાબ અને જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. અને જો તેઓ ગેરહાજર રહેશો તો તેમની કોઈ રજૂઆત નથી તેમ માનીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેવું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.




Latest News