મોરબી જિલ્લા પંચાયતના માજી ચેરમેને ભાજપમાંથી ટિકિટ ન મળતા કરી અપક્ષ ઉમેદવારી: તમામ બેઠકો ઉપર પક્ષ-અપક્ષ સહિત તમામ ઉમેદવારોનું સંપૂર્ણ લિસ્ટ મોરબીમાં વેપાર માટે વ્યાજે લીધેલા ૫ લાખ સામે ૭.૯૦ લાખ ચૂકવવા છતાં પઠાણી ઉઘરાણી કરનાર બે ની ધરપકડ વાંકાનેરના ચિત્રાખડા ગામે ખનીજ માફિયા ઉપર ધોંસ: 45 લાખની મશીનરી કબ્જે મોરબીમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના  ઓબ્ઝર્વર ડૉ. શ્રી સંજય જોશી અધિકારીઓ સાથે કરી સમીક્ષા બેઠક મોરબીમાં પૂર્વ મંત્રી બ્રિજેશ મેરજાના દીકરા ડૉ. પ્રશાંત મેરજાની સ્મૃતિમાં યોજાયેલા મેડિકલ કેમ્પનો 400 જેટલા દર્દીઓએ લાભ લીધો મોરબી તાલુકા પંચાયતના માજી પ્રમુખ સ્વ. નાથાભાઈની પુણ્યતિથિએ સદભાવના વૃદ્ધાશ્રમમાં ભોજન પ્રસાદ કરાવ્યો મોરબીના શનાળા ગામ નજીક બ્રેઝા ગાડીમાં આગ લાગતા કાર બળીને ખાખ મોરબીના ચેક રીર્ટન કેસમાં આરોપીને એક વર્ષની સજા: ડબલ રકમ ચૂકવવા આદેશ
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને પ્રદેશિક કમિશ્નરની નોટીસ


SHARE













વાંકાનેર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને પ્રદેશિક કમિશ્નરની નોટીસ

વાંકાનેર પાલિકાની સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નો સાંભળ્યા વિના સાધારણ સભાની વિડીયોગ્રાફી ન કરીને માત્ર બે મિનીટમાં સામાન્ય સભા પૂર્ણ કરવામાં આવી હતી જેથી વિરોધપક્ષના નેતાએ કરેલ રજૂઆતને ધ્યાને લઈને હાલમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને પ્રાદેશિક કમિશ્નર કચેરીમાંથી નોટિસ આપવામાં આવેલ છે અને જવાબ સાથે તા 20 ના રોજ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.

વાંકાનેર પાલિકાના વિરોધ પક્ષના નેતા મહમદ રાઠોડ તેમજ સભ્યો જાગૃતિબેન ચૌહાણ, એકતાબેન ઝાલા, અશરફ ચૌહાણ, ફૂલસુમબેન તરીયા અને જલ્પાબેન સુરેલા દ્વારા નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરીને મ્યુનીસીપાલીટીઝ એક્ટની કલમ 258 હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી જે રજૂઆતમાં જણાવ્યુ હતું કે, ગત તા. 24 માર્ચના રોજ એજન્ડા જાહેર કરીને નિયમ મુજબ સાત દિવસ થતાં ન હતા તો પણ 29 માર્ચના રોજ સામાન્ય સભા રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ તા. 1 એપ્રિલના રોજ નવો એજન્ડા જાહેર કરીને 8 એપ્રિલે સામાન્ય સભા બોલાવી હતી તેનું વિડીયો રેકોર્ડીંગ કર્યું ન હતું અને સામાન્ય સભા બે મિનીટમાં પૂરી કરી દેવામાં આવેલ હતી. અને પાલિકાના ઉપપ્રમુખ દ્વારા એજન્ડા 1 થી 19 નું વાંચન કર્યા વગર મુદા મંજુર એવું બોલી મીટીંગ પૂરી કરી દેવામાં આવી હતી. જેથી વિપક્ષના નેતાએ કરેલ રજૂઆતને ધ્યાને લઈને પ્રાદેશિક કમિશ્નર દ્વારા વાંકાનેર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને નોટીસ આપવામાં આવી છે અને તા 20 ના રોજ 12 કલાકે પ્રાદેશિક કમિશ્નર કચેરી રાજકોટ ઝોન ખાતે લેખિત/ મૌખિક જવાબ અને જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. અને જો તેઓ ગેરહાજર રહેશો તો તેમની કોઈ રજૂઆત નથી તેમ માનીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેવું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.






Latest News