માળીયા મીયાણાના નાના દહીસરા ગામે મંદિરમાંથી ચાંદીના 13 છતરની ચોરી વાંકાનેરમાં ડબલ સવારી બાઇકને કાર ચાલકે હડફેટ લેતા અકસ્માત બંને ઇજાગ્રસ્તનો સારવારમાં મોરબીમાં જાહેરમાં જુગાર રમતા બે મહિલા સહિત કુલ પાંચ વ્યક્તિ પકડાયા હળવદના જુના દેવળીયા ગામે ઝૂંપડામાંથી દારૂની નાની મોટી 985 બોટલ દારૂ સાથે એક પકડાયો, દારૂ આપનારની શોધખોળ મોરબીમાં બોગસ ડૉક્યુમેન્ટ આધારે સીમકાર્ડ વેચવાના ગુનામાં પકડાયેલ ૫ આરોપીઓનો નિર્દોષ છુટકારો મોરબી મહાપાલિકામાંથી વિવિધ દાખલા કઢાવવા માટે ઝોન વાઈઝ કામગીરી શરૂ કરવા કોંગ્રેસની માંગ રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીના અધ્યક્ષ સ્થાને મોરબીમાં સિરામિક સહિતના એસો.ના આગેવાનોની બેઠક મળી મોરબીના નમો વનની વન-પર્યાવરણ મંત્રી કાંતિભાઈ અમૃતિયાની હાજરીમાં રાજ્યમંત્રી પ્રવિણભાઈ માળીએ મુલાકાત લીધી
Breaking news
Morbi Today

વાંકાનેર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને પ્રદેશિક કમિશ્નરની નોટીસ


SHARE











વાંકાનેર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને પ્રદેશિક કમિશ્નરની નોટીસ

વાંકાનેર પાલિકાની સામાન્ય સભામાં પ્રજાના પ્રશ્નો સાંભળ્યા વિના સાધારણ સભાની વિડીયોગ્રાફી ન કરીને માત્ર બે મિનીટમાં સામાન્ય સભા પૂર્ણ કરવામાં આવી હતી જેથી વિરોધપક્ષના નેતાએ કરેલ રજૂઆતને ધ્યાને લઈને હાલમાં પાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને પ્રાદેશિક કમિશ્નર કચેરીમાંથી નોટિસ આપવામાં આવેલ છે અને જવાબ સાથે તા 20 ના રોજ હાજર રહેવા જણાવવામાં આવ્યું છે.

વાંકાનેર પાલિકાના વિરોધ પક્ષના નેતા મહમદ રાઠોડ તેમજ સભ્યો જાગૃતિબેન ચૌહાણ, એકતાબેન ઝાલા, અશરફ ચૌહાણ, ફૂલસુમબેન તરીયા અને જલ્પાબેન સુરેલા દ્વારા નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નરને લેખિતમાં રજૂઆત કરીને મ્યુનીસીપાલીટીઝ એક્ટની કલમ 258 હેઠળ કાર્યવાહી કરવાની માંગ કરી હતી જે રજૂઆતમાં જણાવ્યુ હતું કે, ગત તા. 24 માર્ચના રોજ એજન્ડા જાહેર કરીને નિયમ મુજબ સાત દિવસ થતાં ન હતા તો પણ 29 માર્ચના રોજ સામાન્ય સભા રદ કરવામાં આવી હતી. ત્યાર બાદ તા. 1 એપ્રિલના રોજ નવો એજન્ડા જાહેર કરીને 8 એપ્રિલે સામાન્ય સભા બોલાવી હતી તેનું વિડીયો રેકોર્ડીંગ કર્યું ન હતું અને સામાન્ય સભા બે મિનીટમાં પૂરી કરી દેવામાં આવેલ હતી. અને પાલિકાના ઉપપ્રમુખ દ્વારા એજન્ડા 1 થી 19 નું વાંચન કર્યા વગર મુદા મંજુર એવું બોલી મીટીંગ પૂરી કરી દેવામાં આવી હતી. જેથી વિપક્ષના નેતાએ કરેલ રજૂઆતને ધ્યાને લઈને પ્રાદેશિક કમિશ્નર દ્વારા વાંકાનેર પાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ અને ચીફ ઓફિસરને નોટીસ આપવામાં આવી છે અને તા 20 ના રોજ 12 કલાકે પ્રાદેશિક કમિશ્નર કચેરી રાજકોટ ઝોન ખાતે લેખિત/ મૌખિક જવાબ અને જરૂરી આધાર પુરાવા સાથે હાજર રહેવા જણાવવામાં આવ્યું છે. અને જો તેઓ ગેરહાજર રહેશો તો તેમની કોઈ રજૂઆત નથી તેમ માનીને આગળની કાર્યવાહી કરવામાં આવશે. તેવું સૂત્રો પાસેથી જાણવા મળેલ છે.






Latest News