મોરબી વિશ્વ હિન્દુ પરિષદ માતૃશક્તિ તથાં દુર્ગાવાહિની દ્વારા ૨૯૦ બહેન-દીકરીઓને ધ કેરલા સ્ટોરી ભાગ-૨ વિના મૂલ્યે બતાવવામાં આવી મોરબી જિલ્લાના આરોગ્ય ક્ષેત્રે સુવર્ણ સિદ્ધિ; એકસાથે જિલ્લાનાં ૮ આયુષ્માન આરોગ્ય મંદિરોને રાષ્ટ્રીય કક્ષાનું ‘NQAS’ પ્રમાણપત્ર એનાયત મોરબીની વિકાસ વિદ્યાલય ખાતે દિવ્યાંગોનું સશક્તિકરણ; ૩૦ મોટરાઈઝડ ટ્રાઈસિકલ-૬ જોયસ્ટીક વ્હીલચેરનું વિતરણ કરાયુ મોરબીમાં કલેક્ટર-મ્યુનિસિપલ કમિશનરની ઉપસ્થિતિમાં રમતગમત ક્ષેત્રે ઝળકેલી ૪૮ તેજસ્વી દીકરીઓનો સન્માન સમારોહ યોજાયો મનપાના ફાયર વિભાગે બે સરકારી કચેરી સહિત જુદીજુદી જગ્યાએ ફાયર પ્રીવેન્શનની ટ્રેનિંગ આપી ગૌમાતાને ‘રાષ્ટ્રમાતા’નો દરજ્જો અપાવવાના સંકલ્પ સાથે ભીલવાડાથી નીકળેલા યુવાનનું હળવદમાં સ્વાગત કરાયું મોરબી જિલ્લામાં આંગણવાડીની 600 બહેનોની ત્રણ દિવસની હડતાલ: ધારણા યોજીને 19 માંગણીઓ સાથે આવેદનપત્ર પાઠવ્યું મોરબી જીલ્લામાં નિરામય ચેરીટેબલ ટ્રષ્ટ, ભારતકેર અને HDFC બેંક દ્વારા પ્રોજેકટ દ્રષ્ટિ અંતર્ગત 1398 વિદ્યાર્થીઓને કરાયું ચશ્માનું વિતરણ
Breaking news
Morbi Today

હળવદના સુરવદર ગામે રહેતો યુવાન પરિણીતાને ભગાડી જતાં મહિલાના ભાઈઓ-પતિએ કર્યો હુમલો: યુવાનના કાકાની છરીનો ઘા ઝીકિને હત્યા


SHARE













હળવદના સુરવદર ગામે રહેતો યુવાન પરિણીતાને ભગાડી જતાં મહિલાના ભાઈઓ-પતિએ કર્યો હુમલો: યુવાનના કાકાની છરીનો ઘા ઝીકિને હત્યા

હળવદના સુરવદર ગામે રહેતા આધેડનો ભત્રીજો શક્તિનગર ગામે રહેતી પરણીતાને ભગાડી ગયેલ છે જેથી તે બાબતનો ખાર રાખીને પરણીતાના પતિ અને તે મહિલાના ભાઈઓ દ્વારા સુરવદર ગામે રહેતા આધેડ તેના દીકરા તેમજ દીકરી ઉપર હથિયારો સાથે હુમલો કર્યો હતો અને ત્યારે આધેડને છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા ઝીકિ દેવામાં આવેલ હતી જેથી તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પલટાયો છે અને આ બનાવની હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે જાણ કરવામાં આવતા પોલીસ ઘાટના સ્થળે પહોંચી હતી અને મૃતકના પરિવારજનની ફરિયાદ લેવા માટેની તજવીજ હાથ ધરવામાં આવેલ છે

જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના સુરવદર ગામે રહેતા ચંદુભાઈ રાઘવજીભાઈ કોળી (55) નામના વૃદ્ધને છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા મારીને તેની હત્યા કરવામાં આવેલ છે અને તેના દીકરા જયેન્દ્ર ચંદુલાલ કોળી (28) અને ચંદુભાઈની દીકરીને હુમલાખોરો દ્વારા મુંઢમાર મૂડ મારવામાં આવ્યો હતો જેથી ઈજા પામેલ વ્યક્તિઓને સારવારમાં ખસેડવામાં આવ્યા હતા અને મૃતક વ્યક્તિના મૃતદેહને જેતપર ગામે આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને હત્યાના આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને હત્યાના આ બનાવ વિષે હળવદના પીઆઇ આર.ટી. વ્યાસ સાથે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રાયધ્રા ગામની કાજલ નામની દીકરીના લગ્ન શક્તિનગર ગામે થયેલ હતા અને તે કાજલ નામની પરિણીતાને મૃતક ચંદુભાઈ કોળીનો ભત્રીજો મનોજ કરસનભાઈ ધામેચા ભગાડી ગયેલ છે જે બાબતનો ખાર રાખીને કાજલના ભાઈઓ તથા તેના પતિ દ્વારા રવિવારે સવારે પાંચેક વાગ્યાના અરસામાં છરી સહિતના હથિયાર સાથે હુમલો કર્યો હતો અને ત્યારે ચંદુભાઈ કોળીને છાતીના ભાગે છરીનો જીવલેણ ઘા માર્યો હતો જેથી તેનું મોત નીપજ્યું છે જો કે, હત્યાના આ બનાવ બાદ બીજો કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે અને મૃતક વ્યક્તિના પરિવારજનની ફરિયાદ લેવા માટે થઈને તજવીજ શરૂ કરી છે સાથોસાથ હુમલો કરીને આધેડની હત્યા કરનારા આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે.




Latest News