મોરબીના જેતપર રોડ ઉપર બાઈક સ્લીપ થતા યુવાનનું મોત મોરબી ગ્રાહકસુરક્ષા મંડળે ગ્રાહકને વિમા કંપની પાસેથી ૩.૪૬ લાખનો ચેક અપાવ્યો મોરબી નજીક આવેલ આર્યતેજ ઇન્સ્ટિટ્યૂટ ખાતે જિલ્લા કક્ષાનો IIC જાગૃતિનો કાર્યક્રમ યોજાયો હળવદના જુના દેવળીયા ગામે વાડીના સેઢે જુગાર રમતા 6 શખ્સ પકડાયા મોરબીના જાંબુડીયા નજીક ટ્રક ટ્રેલરના ચાલકે બાઇકને ઠોકર મારતા યુવાનનું મોત મોરબીમાં ઘરમાં થયેલ ઘરેણાંની ચોરીની શંકા રાખીને પતિએ પત્નીને એસિડ નાખીને મારી નાખવાની આપી ધમકી મોરબી અને માળીયામાં દારૂની ચાર રેડ: 5 બોટલ દારૂ, 13 બીયરના ટીન અને 900 લિટર આથો ઝડપાયો મોરબીમાં આર્ટ ઓફ લિવિંગ પરીવાર દ્વારા યોગા લેવલ-2 શિબિરનું આયોજન
Breaking news
Morbi Today

મોરબીના મુસાફરો માટે રેલ્વેની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE

















મોરબીના મુસાફરો માટે રેલ્વેની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જીલ્લો બની ગયેલ છે પરંતુ આજની તારીખે અહીથી લાંબા અંતરની ટ્રેન મળતી નથી જેથી અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવે છે તો પણ મુસાફર ટ્રેનની સુવિધામાં વધારો કરવામાં આવતો નથી જેથી અન્ન અને નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પુર્વ સલાહકાર દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

અન્ન અને નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પુર્વ સલાહકાર પી.પી. જોષીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લો ધણા સમયથી બની ગયેલ અને છેલ્લે મહાનગરપાલીકા પણ આપવામાં આવી છે જો કે, પ્રજાની સુવિધામા કોઈ વધારો થયેલ નથી જેમ કે રેલ્વે સુવિધા મોરબીથી કોઈને અમદાવાદ-મુંબઈ જવા માટે સીધી ટ્રેન નથી ફકત વીકલી ટ્રેન ચાલે છે આજની તારીખે મોરબીમાં બીજા રાજ્યના ઘણા લોકો રોજગારી માટે આવે છે ત્યારે તેઓને ટ્રેનની સુવિધા મળે તે માટે પેસેંજર ટ્રેન ચાલુ કરવામાં આવે તે જરૂરી છે વધુમાં તેમણે જણાવ્યુ  છે કે, અસંખ્ય વેપારીઓ અન્ય રાજયમાં અહીથી કોલસો, મીઠું અને ટાઇલ્સ ટ્રેન મારફતે લઈ જાય છે જેથી કરીને રેલવેને વર્ષે કરોડો રૂપિયાની મોરબીમાંથી આવક થાય છે પરંતુ મુસાફર માટે કોઈ સુવિધા નથી.




Latest News