મોરબીમાં મણીમંદિર પાસે દરગાહનું દબાણ તોડી પાડ્યું, 10 કરોડની સરકારી જમીન દબાણ મુક્ત: જેલ રોડે ટોળાએ વાહનો-પોલીસની જીપમાં કરી તોડફોડ મોરબી: પી.એમ. સ્વનીધી યોજના અંતર્ગત મહાપાલિકાની યુ.સી.ડી શાખા દ્વારા બેંકર્સ વર્કશોપ યોજાયો ગાંધીનગર ખાતે યોજાયેલ WER (ToT) વર્કશોપમાં હંસાબેન પારધી-જીજ્ઞાસાબેન મેર હાજર રહ્યા મોરબી નક્ષત્ર મલ્ટી સ્પેશીયાલિટી હોસ્પિટલ દ્વારા લાઇફ સેવિંગ માટે પોલીસ વિભાગને સીપીઆર ટ્રેનિંગ અપાઇ વાંકાનેરની પંચાસર ચોકડી ચા પીવા આવેલ દાદા-પૌત્રની સાઇકલને ટ્રક ચાલકે હડફેટે લેતા વૃદ્ધનું મોત મોરબીથી મતદાર યાદી સુધારણાનું ફોર્મ ભરવા માટે વતનમાં જઈ રહેલ આધેડ મહિલાનું માર્ગ અકસ્માતમાં મોત મોરબીમાં એક્ટિવાની ડેકીમાંથી 5 બોટલ દારૂ ઝડપાયો, આરોપીની શોધખોળ: વાંકાનેરમાં 7 બોટલ દારૂ સાથે એક પકડાયો મોરબી સાર્થક વિદ્યા મંદિર ખાતે ગીતા મહોત્સવની ઉજવણી કરાઇ: વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર-શિલ્ડથી આપીને સન્માનિત કર્યા
Breaking news
Morbi Today

મોરબીના મુસાફરો માટે રેલ્વેની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબીના મુસાફરો માટે રેલ્વેની સુવિધામાં વધારો કરવા મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી જીલ્લો બની ગયેલ છે પરંતુ આજની તારીખે અહીથી લાંબા અંતરની ટ્રેન મળતી નથી જેથી અનેક વખત ઉચ્ચ કક્ષાએ રજૂઆતો કરવામાં આવે છે તો પણ મુસાફર ટ્રેનની સુવિધામાં વધારો કરવામાં આવતો નથી જેથી અન્ન અને નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પુર્વ સલાહકાર દ્વારા આ બાબતે મુખ્યમંત્રીને રજૂઆત કરવામાં આવેલ છે.

અન્ન અને નાગરીક પુરવઠા અને ગ્રાહક સુરક્ષાના પુર્વ સલાહકાર પી.પી. જોષીએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે જેમાં જણાવ્યુ છે કે, મોરબી જીલ્લો ધણા સમયથી બની ગયેલ અને છેલ્લે મહાનગરપાલીકા પણ આપવામાં આવી છે જો કે, પ્રજાની સુવિધામા કોઈ વધારો થયેલ નથી જેમ કે રેલ્વે સુવિધા મોરબીથી કોઈને અમદાવાદ-મુંબઈ જવા માટે સીધી ટ્રેન નથી ફકત વીકલી ટ્રેન ચાલે છે આજની તારીખે મોરબીમાં બીજા રાજ્યના ઘણા લોકો રોજગારી માટે આવે છે ત્યારે તેઓને ટ્રેનની સુવિધા મળે તે માટે પેસેંજર ટ્રેન ચાલુ કરવામાં આવે તે જરૂરી છે વધુમાં તેમણે જણાવ્યુ  છે કે, અસંખ્ય વેપારીઓ અન્ય રાજયમાં અહીથી કોલસો, મીઠું અને ટાઇલ્સ ટ્રેન મારફતે લઈ જાય છે જેથી કરીને રેલવેને વર્ષે કરોડો રૂપિયાની મોરબીમાંથી આવક થાય છે પરંતુ મુસાફર માટે કોઈ સુવિધા નથી.






Latest News