માળીયા (મી)ના બગસરા ગામે તળાવની બાજુમાં નીલ ગાયનો શિકાર મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતાં બે દિવસમાં સિરામિકના 100 કારખાના બંધ, રાજ્યના મુખ્યમંત્રી પણ ઉદ્યોગ માટે ચિંતિત, મદદ માટે તૈયારી દર્શાવી: મનોજભાઈ એરાવાડિયા મોરબીમાં પ્રોપેન ગેસ ન મળતા સિરામિક કારખાનાઓ બંધ : શ્રમિકોને રહેવા-રાશનની વ્યવસ્થા કરાવતા કારખાનેદારો-કોન્ટ્રાકટરો મોરબી સિરામિક યુનિટમાં ઇલેક્ટ્રીક શોર્ટ લાગતા યુવાનનું મોત મોરબીમાં કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ અંતર્ગત સોઓરડીના લોકોની વ્યથાને સાંભળી મોરબી જિલ્લામાં ભાજપના હોદ્દેદારોની નિમણૂંકમાં ચુવાળીયા કોળી સમાજને થયેલા અન્યાયના મુદ્દે પ્રદેશ અધ્યક્ષને રજૂઆત મોરબી નજીક અકસ્માતે કેનાલમાં પડી જવાથી પાણીમાં ડૂબી જતાં યુવાનનું મોત વાંકાનેરના જામસર ગામે વાડીએ તૂટીને જમીન ઉપર પડેલા વીજ વાયર ઉપર પગ આવી જતાં શોર્ટ લાગવાથી આધેડનું મોત
Breaking news
Morbi Today

મોરબીમાં રહેતા બે વૃદ્ધ સાથે પેકેજ ટુર એર ટિકિટ બુકિંગના નામે 7.71 લાખની છેતરપીંડીના ગુનામાં એકની ધરપકડ


SHARE













મોરબીમાં રહેતા બે વૃદ્ધ સાથે પેકેજ ટુર એર ટિકિટ બુકિંગના નામે 7.71 લાખની છેતરપીંડીના ગુનામાં એકની ધરપકડ

મોરબીમાં રહેતા વૃદ્ધ સહિત બે વ્યક્તિને લગ્ન પ્રસંગમાં અમેરિકા જવું હતું જેથી અમદાવાદની વૈશાલી ટુરીઝમ પ્રા. લિ. માં તેઓએ પેકેજ ટુર એર ટિકિટ બુક કરાવી હતી જેના માટે વૃદ્ધ સહિત બે વ્યક્તિએ 7,71,213 રૂપિયા આપ્યા હતા જોકે ફરિયાદી કે સાહેદની ટિકિટ બુક ન કરાવીને તે બંને સાથે છેતરપિંડી કરવામાં આવેલ હતી જેની ફરિયાદ નોંધાયેલ હતી તેના આધારે પોલીસે એક આરોપીની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરેલ છે.

મોરબીના રવાપર રોડે આવેલ પટેલ સોસાયટીમાં રહેતા રમેશભાઈ બાલુભાઈ ઉઘરેજા (70) નામના વૃદ્ધે મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે મહર્ષિભાઈ પ્રવીણભાઈ દવે અને ભાવિકાબેન મહર્ષિભાઈ દવે રહે. બંને એ-402 સુકુન રેસીડેન્સી જેકે પાર્ક બસ સ્ટોપ સામે ચંદ્રોલા ગોતા રોડ અમદાવાદ વાળાની સામે છેતરપિંડીની ફરિયાદ નોંધાવેલ હતી જેમાં જણાવ્યું હતું કે, ફરિયાદીને તથા સાહેદ વસંતભાઈ અંબાલાલ પટેલને અમેરિકા ખાતે લગ્ન પ્રસંગમાં જવું હતું જેથી આરોપીઓની વૈશાલી ટુરીઝમ પ્રા.લિ. નામની પેઢી મારફતે વૃદ્ધને વિશ્વાસમાં લેવામાં આવેલ હતા અને કપટભરી રીતે એર ટીકીટ ઇલેકટ્રોનીક માધ્યમથી બનાવી પેકજ ટુર અને એર ટીકીઝ બુક મળી રૂપીયા 7,71,213 બુકીંગના નામે મેળવી લીધા હતા અને ટીકીટ બુક કરી ઓન હોલ્ડથી ટીકીટ મોકલી ટીકીટ કન્ફર્મ નહી કરી ફરિયાદી તથા સાહેદ સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી કરવામાં આવેલ હતી જેથી વૃદ્ધ દ્વારા એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરવામાં આવી હતી જે ગુનામાં પોલીસે આરોપી  મહર્ષિભાઈ પ્રવીણભાઈ દવે (43) રહે. સી-6, 303 શ્રીફળ એપાર્ટમેંટ ગોતા રોડ અમદાવાદ વાળાની ધરપકડ કરી હતી અને આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના એક દિવસના રિમાન્ડ મેળવ્યા હતા.








Latest News