મોરબીના વજેપરમાં સાર્વજનિક પ્લોટમાં કરાયેલ દબાણ દૂર કરવા મહાપાલિકામાં રજૂઆત મોરબીના મહેન્દ્રનગર ગામે આવેલ રામવાડીમાં જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા સરસ્વતી સન્માન સમારંભનું આયોજન  ​​​​​​​વાંકાનેરમાં આવેલ ડેરીમાંથી રોકડા 1.94 લાખ ભરેલ થેલાની ચોરી કરનાર આરોપી ચોરાઉ મુદામાલ સાથે ધરપકડ મોરબી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘની ટીમે નમોવનની મુલાકાત લીધી મોરબી : મિશન નવભારતના મહામંત્રી દ્વારા જન્મદિવસની પ્રેરણાદાયી ઉજવણી મોરબીમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસ નિમિતે મેદસ્વિતા મુક્તિ વિશેષ યોગ કેમ્પનું આયોજન મોરબીમાં હોમગાર્ડઝ સભ્યનું અવસાન થતાં તેમના વારસદારને ૧.૫૫ લાખની અવસાન સહાય અર્પણ કરાઈ મોરબીના બગથળા ખાતે મેગા આયુષ કેમ્પ યોજાશે
Breaking news
Morbi Today

મોરબી નજીક આરટીઓ સામે રોંગ સાઈડમાં આવેલ બાઇક કાર સાથે અથડાતા દંપતિ ખંડિત: આધેડનું મોત


SHARE













મોરબી નજીક આરટીઓ સામે રોંગ સાઈડમાં આવેલ બાઇક કાર સાથે અથડાતા દંપતિ ખંડિત: આધેડનું મોત

મોરબીના વજેપર વિસ્તારમાં રહેતા આધેડ તેઓના પત્ની સાથે બાઈક ઉપર મોરબી વાંકાનેર હાઇવે રોડ ઉપર આવેલ આરટીઓ ઓફિસ સામે રોંગ સાઈડમાં પસાર થઈ રહ્યા હતા ત્યારે સામેથી આવી રહેલ બ્રેઝા કાર સાથે તેઓનું બાઈક અથડાયું હતું જેથી અકસ્માત થયો હતો જે બનાવમાં દંપતીને ઇજા થયેલ હતી અને સારવાર દરમિયાન આધેડનું મોત નીપજયું હતું જે બનાવમાં મૃતકના પત્નીની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાણવા મળતી માહિતી પ્રમાણે મોરબી વજેપર શેરી નંબર-9 માં રહેતા ગીતાબેન વાલજીભાઈ ચાવડા (50)એ તેમના પતિ મૃતક વાલજીભાઈ રણછોડભાઈ ચાવડા (57) ની સામે મોરબી તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યુ છે કે, તેઓ પોતાના પતિના બાઈક નંબર જીજે 3 ડીઇ 1952 માં મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર આરટીઓ ઓફિસની સામેના ભાગમાં વાંકાનેર તરફ જવાના રસ્તા ઉપર રોંગ સાઈડમાં જઈ રહ્યા હતા દરમિયાન સામેથી આવી રહેલ બ્રેઝા કાર નંબર જીજે 18 ડીએચ 0008 ની સામે ફરિયાદીના પતિબાઇક અથડાવ્યૂ હતું જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો જે બનાવમાં ફરિયાદીને નાના મોટી ઈજાઓ થઈ હતી તેમજ તેના પતિને જમણા પગમાં ગંભીર ઇજા થયેલ હોવાથી તેને સારવારમાં ખસેડાયા હતા અને ચાલુ સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું જેથી અકસ્માતના આ બનાવ સંદર્ભે મૃતક આધેડના પત્નીની ફરિયાદ લઈને પોલીસે રાબેતા મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

જાહેરનામાનો ભાંગ

હળવદ તાલુકાના સુસાવાવ ગામની સીમ આવેલ વાડીએ કામ કરતાં શ્રમિકોની માહિતી પોલીસને આપવામાં આવી ન હતી અને તેના આઈડી પ્રૂફ લેવામાં આવ્યા ન હતા તેમજ મોરબી એસયોર્ડ એપ્લિકેશનમાં માહિતી રજીસ્ટર કરેલ ન હતી જેથી પ્રકાશભાઈ ઘોઘાભાઇ શીપરા (31) રહે. નવા સુંદરગઢ તાલુકો હળવદ વાળા સામે જાહેરનામા ભંગનો ગુનો નોંધી પોલીસે આગળની કાર્યવાહી કરેલ છે.




Latest News