લાયન્સ કલબ ઓફ મોરબી સીટીના જનસેવા પ્રોજેક્ટમાં ઠંડી છાશનુ વિતરણ માળીયા (મી)માં ગળાફાંસો ખાઈ ગયેલ યુવતીનું સારવારમાં મોત મોરબી જિલ્લાના મીઠા ઉદ્યોગમાં અને નવલખી બંદરે કોલસાની હેરાફેરી માટે દોડતા વાહનોમાં ડિઝલની વ્યવસ્થા કરવા કરાઇ રજૂઆત ટંકારાના ધારાસભ્ય દુર્લભજીભાઈ દેથરીયાએ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અપનાવી આત્મનિર્ભર કૃષિ તરફ આગળ વધવા કર્યું આહવાન મોરબી જિલ્લામાં ૨૩થી ૨૫ જૂન દરમિયાન કન્યા કેળવણી મહોત્સવ-શાળા પ્રવેશોત્સવની ઉજવણી કરશે પોલીસને બાતમી આપતો હોવાની શંકા રાખીને સગા ભત્રીજા ઉપર મોરબીમાં ફાયરિંગ કરીને ઢીમ ઢાળી દીધું: કાકા સહિત 4 શખ્સ ફરાર મોરબીમાં સંતાના દીકરો ન હોવાથી ત્રાસ આપતા પતિ સહિતના સાસરિયાં સામે પરિણીતાએ નોંધાવી ફરિયાદ​​​​​​​  ટંકારાના લજાઈ નજીક ડબલ સવારી બાઇકને હડફેટે લઈને બે યુવાનોના મોત નિપજાવનાર ટ્રક ચાલક સામે ગુનો નોંધાયો
Breaking news
Morbi Today

મોરબી જીલ્લામાં નર્મદાની કેનાલોમાંથી સિંચાઇનું પાણી લેવા ફોર્મ ભરો: કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને અપીલ


SHARE











મોરબી જીલ્લામાં નર્મદાની કેનાલોમાંથી સિંચાઇનું પાણી લેવા ફોર્મ ભરો: કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને અપીલ

મોરબી જીલ્લામાં નર્મદાની ત્રણ કેનાલ આવેલ છે અને તેમાં પાણી છોડવા માટેનું આયોજન કરવામાં આવ્યું છે જો કે, ચોમાસુ પાક માટે જે ખેડૂતો નર્મદાની કેનાલમાંથી સિંચાઈ સુવિધા મેળવવા ઇચ્છતા હોય તેઓએ જરૂરી ફોર્મ ભરવાના હોય છે જોકે હજુ સુધી કોઈ ફોર્મ ભરવામાં આવેલ નથી જેથી તાત્કાલિક ફોર્મ ભરવા માટે ધારાસભ્યએ અપીલ કરી છે.

મોરબીના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાએ ખેડૂતોને અપીલ કરી છે કે, નર્મદાની માળિયા, મોરબી અને ધ્રાંગધ્રા બ્રાન્ચ કેનાલમાંથી જે ખેડૂતો સિંચાઇ માટેનું પાણી મેળવવા ઇચ્છતા હોય તેઓએ પોતાના ફોર્મ ભરવાના હોય છે જો કે, હજુ સુધી કેનાલમાંથી પાણી લેવા માટે કોઈ પણ ગામમાં ખેડૂતોએ એક પણ ફોર્મ ભર્યું નથી જેથી ખાતેદાર ખેડૂતોએ નર્મદાનું પાણી મેળવવા માટે તાત્કાલિક નર્મદાનાં અધિકારી કે કર્મચારીને ગામમાં બોલાવીને એક જ દિવસમાં એકી સાથે વધુમાં વધુ ફોર્મ ભરવા માટેનું આયોજન કરવાની જરૂર છે. અને આ કામ માટે જુદાજુદા ગામના સરપંચો, સ્થાનિક આગેવાનો અને ખેડૂત તાત્કાલિક કાર્યવાહી કરે તેવી પણ અપીલ કરેલ છે.






Latest News