મોરબી જીલ્લામાં નર્મદાની કેનાલોમાંથી સિંચાઇનું પાણી લેવા ફોર્મ ભરો: કાંતિભાઈ અમૃતિયાની ખેડૂતોને અપીલ
મોરબીમાં ટાઇલ્સ ના માર્કેટીંગનું કામ કરતાં યુવાનનું રહસ્યમય સંજોગોમાં રાજકોટ ખાતે મોત
SHARE
મોરબીમાં ટાઇલ્સ ના માર્કેટીંગનું કામ કરતાં યુવાનનું રહસ્યમય સંજોગોમાં રાજકોટ ખાતે મોત
મોરબીના હરીપર કેરાળા ગામના દિવ્યેશ પટેલનું રહસ્યમય સંજોગોમાં રાજકોટ ખાતે મોત નીપજ્યું હતું. દિવ્યેશ દીપકભાઈ ચારોલા (25) માધાપર ચોકડીથી બેડી ચોકડી વચ્ચે ઈજાગ્રસ્ત મળ્યો હતો. જોકે તેના ખિસ્સામાંથી ઝેરી દવાની પડીકી પણ મળી હતી. તેણે ઝેરી દવા પીધાનું પણ પ્રાથમિક અનુમાન છે. ત્યારે મોતનું કારણ જાણવા પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઈ છે.
આ અંગે મળતી વિગત અનુસાર, હરિપર કેરાળા ગામનો મૂળ વતની દિવ્યેશકુમાર દિપકભાઈ ચારોલા હાલ રાજકોટના કાલાવડ રોડ પર રાણી ટાવર પાસે રૂમ રાખીને અન્ય યુવાનો સાથે રહેતો હતો. ગઈકાલે 6.45 વાગ્યાં આસપાસ એડીબી હોટેલ પાસે ઈજાગ્રસ્ત હાલતમાં પડેલ હોય કોઈ રાહદારીએ 108ને જાણ કરી હતી. દિવ્યેશને તાકિદે સારવાર અર્થે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. અહીં સારવાર દરમ્યાન તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. ગાંધીગ્રામ પોલીસને જાણ કરતા પોલીસ હોસ્પિટલ દોડી આવી હતી. યુવાનની ઓળખ મેળવવા તેના ખીસ્સા તપાસતા એક ઝેરી દવાની પડીકી મળી આવી હતી. શરીરે ઈજાના નીશાન જોવા મળ્યા હતા. પોલીસે રહસ્યમય મોત મામલે પીએમ કરાવવા તજવીજ હાથ ધરી છે. મૃતકના પરિવારજનો અને સગા સંબંધી પણ રાજકોટ દોડી આવ્યા હતા. પરિવારજનો એ જણાવી કે દિવ્ય સિરામિક ટાઇલ્સ ના માર્કેટીંગ નું કામ કરતો હતો. બે ભાઈમાં નાનો અને અપરીણીત હતો. પોલીસને પ્રાથમિક દૃષ્ટિએ ઝેરી દવા પીવાથી મોત થયાનું જણાઈ રહ્યું છે પોલીસે આ અંગે મૃત્યુનોંધમાં પણ ઉલ્લેખ કર્યો છે. જોકે મૃત્યુનું સાચું કારણ જાણવા પોલીસે મૃતદેહનું પીએમ કરાવેલ છે તેમજ વધુ તપાસ હાથ ધરેલ છે. આ શાસ્પદ યુવાનના મોતથી પરિવારમાં ભારે શોક છવાયો છે.