મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા અધ્યક્ષ જયંતીભાઈ રાજકોટીયાના હસ્તે ધ્વજવંદન, નાની બરાર ગામમાં સરપંચ દ્વારા વિદ્યાર્થીઓને સ્ટેશનરી કીટનું વિતરણ મોરબી નવયુગ ગ્રૂપ ઓફ એજ્યુકેશનમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઇ: મુસ્કાન વેલફેર સોસાયટીનું વહીવટી તંત્રએ કર્યું સન્માન મોરબી જીલ્લામાં દારૂના ગુનામાં સંડોવાયેલા 3 આરોપી પાસા હેઠળ જુદીજુદી જેલમાં ધકેલાયા વધુ એક વખત બેદરકારી: હળવદના ખેતરડી ગામે જૂની પાણીની ટાંકી તોડતા સમયે નવી પાણીની ટાંકી સાથે અથડાઇ હળવદના વેગડવાવ ગામે MRC કમિટી બાદ ખેડૂતોને વીજપોલ-કોરિડોર સામે મળ્યું 3થી 4 ગણું વળતર: કલકેટર સ્વપ્નિલ ખરે મોરબી છાત્રાલય રોડ ખાતેથી ૯ બોટલ દારૂ પકડાઈ, ત્રણ સામે ફરિયાદ મોરબીની માધાપરવાડી શાળામાં બ્રહ્માકુમારી દ્વારા નશા મુક્ત અભિયાનનો કાર્યક્રમ યોજાયો મોરબી જિલ્લાના મોટા દહીસરા ગામે આન, બાન અને શાનથી પ્રભારી મંત્રીના હસ્તે તિરંગો આકાશમાં લહેરાવીને સલામી આપાઈ
Breaking news
Morbi Today

મોરબીમાં અપહરણ કરીને સગીરા સાથે દુષ્કર્મ આચારનાર આરોપીની ધરપકડ


SHARE







મોરબીમાં અપહરણ કરીને સગીરા સાથે દુષ્કર્મ આચારનાર આરોપીની ધરપકડ

મોરબીના નવલખી ઓવર બ્રિજ પાસેથી વાંકાનેરના ભોજપરા ગામના પરિવારની સગીરવયની દીકરીનું અપહરણ કરવામાં આવ્યું હતું અને તેણીની ઈચ્છા વિરુદ્ધ તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હોય હાલ ભોગ બનેલ સગીરાના પિતા દ્વારા ફરિયાદ કરવામાં આવતા એ ડિવિઝન પોલીસે બે સામે ગુનો નોંધીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.

વાંકાનેરના ભોજપરા ગામે રહેતા પરિવારની સોળ વર્ષની સગીર વયની દીકરીનું મોરબીના નવલખી બ્રિજ નીચેથી ગત તા.22/3/25 ના સવારના દસેક વાગ્યાના અરસામાં અપહરણ કરવામાં આવ્યું હતું અને તેની સાથે દુષ્કર્મ આચરવામાં આવ્યું હતુ. આ સંદર્ભે ભોગ બનનાર સગીરાના પિતાએ મોરબી એ ડિવિઝનમાં ધમ્મરનાથ રૂમાલનાથ પઢીયાર અને જાનનાથ સોરમનાથ બંને રહે. મકનસર વાળાની સામે ફરિયાદ નોંધાવી હતી. જેમાં જણાવ્યુ હતું કે, ધમ્મરનાથ અને જાનનાથ દ્વારા ફરિયાદીની દીકરીનું મોરબીથી અપહરણ કર્યું હતું. અને ત્યાર બાદ ફરિયાદીની  સગીર દીકરી સાથે ધમ્મરનાથ પઢિયારએ દુષ્કર્મ આચર્યું હતું જે ગુનામાં આરોપીઓને પકડવા માટે ચક્રોગતિમાન કરેલ છે. અને ગુનામાં એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ આર.એસ.પટેલ અને તેની ટીમે આરોપી વિસાનાથ ઉર્ફે ધમ્મરનાથ રૂમાલનાથ પઢીયાર (23) રહે. મકનસર વાળાની ધરપકડ કરેલ છે. અને બીજા આરોપીને પકડવા માટે તજવીજ ચાલી રહી છે.

અકસ્માતમાં ઇજા

ટંકારા તાલુકાના નાના રામપર ગામે રહેતા યશવંતભાઈ માવજીભાઈ રાણવા નામના વ્યક્તિને રાજપર ગામ નજીક અકસ્માતના બનાવમાં ઈજા થવાથી તે બેભાન થઈ ગયેલ હોય તેને બેભાન હાલતમાં મોરબીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈને આવ્યા હતા અને ત્યાં તેને સારવાર આપીને આ બનાવની મોરબી તાલુકા પોલીસને જાણ કરતા પોલીસે બનાવની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

બાઇક સ્લીપ

વાંકાનેરના દીઘલિયા ગામે રહેતા રીનીબેન હુસેનભાઇ શેરસીયા (30) નામના મહિલા બાઇકમાં બેસીને જતા હતા ત્યારે બાઈક સ્લીપ થયું હતું અને તે બનાવમાં મહિલાને ઇજા થવાથી ઇજા પામેલ મહિલાને સારવાર માટે મોરબીની હોસ્પિટલે લઈને આવ્યા હતા અને આ બનાવની હોસ્પિટલ મારફતે પોલીસને જાણ કરવામાં આવી હતી.






Latest News