મોરબીના જેતપર ગામે કાલે ઉપવાસી છાવણી ખાતે રક્તદાન કેમ્પ યોજાશે: સમગ્ર ગુજરાતનાં ખેડૂતોને રક્તદાન કરવા કરાયું આહ્વાન મોરબીના ગોરખીજડીયા ગામે પ્રાથમિક શાળામાં બાળકોનો પ્રવેશોત્સવ યોજાયો ગુજરાત સહિત દેશમાં વિદ્યાર્થીઓ-યુવાઓના અવાજને બુલંદ કરવા કોંગ્રેસ દ્વારા એપ્લીકેશન લોન્ચ કરાઇ: મોરબીમાં પત્રકાર પરિષદ યોજાઇ મોરબી : ઘુંટુ ખાતેથી સગીરાનું અપહરણ-દુષ્કર્મના ગુનામાં પકડાયેલ ઈસમ જેલહવાલે મોરબીમાં રીક્ષામાં બેસાડી લૂંટ ચલાવતી ટોળકી સક્રિય...? નઝરબાગ રેલ્વે સ્ટેશનથી બેઠેલા યુવાનને નવલખી રોડે લૂંટવા પ્રયાસ : યુવાન ચાલુ રીક્ષાએ કૂદી જતા સારવારમાં વાંકાનેરના વઘાસીયા ટોલનાકા ઉપર ગ્રામજનો દ્વારા કર્યો હતો ચકકાજામ વાંકાનેર-મોરબી-દાહોદ રૂટ પર નવી એસ.ટી. બસ સેવાનો પ્રારંભ મોરબીમાં મુસ્કાન વેલ્ફેર સોસાયટી દ્વારા બાળકોના જન્મદિવસની દાનરાશિમાંથી ૧૦૦ તાડપત્રીનું વિતરણ કરાયું 
Breaking news
Morbi Today

મોરબી જિલ્લામાં કે.સી.સી. ધીરાણમાં પાંચ લાખ સુધી 0 ટકા વ્યાજનો લાભ ખેડૂતોને મળતો નથી: કિશોરભાઇ ચિખલિયાની મુખ્યમંત્રીને રજૂઆત


SHARE











મોરબી જિલ્લામાં કે.સી.સી. ધીરાણમાં પાંચ લાખ સુધી 0 ટકા વ્યાજનો લાભ ખેડૂતોને મળતો નથી: કિશોરભાઇ ચિખલિયાની મુખ્યમંત્રીને રજૂઆત

મોરબી અને રાજકોટ જીલ્લાના ખેડુતોને કે.સી.સી. ધીરાણમાં પાંચ લાખ સુધી "0" ટકા વ્યાજનો લાભ આપવામાં આવી રહ્યો નહીં કેમ કે, સરકારે કરેલ પરિપત્રની નકલ બેન્ક કે મંડળીઓમાં મળેલ નથી જેથી ખેડૂતોને તેનો લાભ મળતો નથી માટે વહેલી તકે પરિપત્રની નકલ તમામ બેન્ક અને મંડળીમાં આપવામાં આવે તેના માટે મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખએ મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે 

મોરબી જીલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ કિશોરભાઈ ચિખલીયાએ હાલમાં મુખ્યમંત્રીને લેખિતમાં રજૂઆત કરેલ છે જેમાં જણાવ્યુ છે કે, સરકાર દ્વારા સમગ્ર ભારતમાં ખેડુતોને કે.સી.સી, ધીરાણમાં ત્રણ લાખની જગ્યાએ પાંચ લાખ સુધી "૦" ટકા વ્યાજનો લાભ આપવામાં આવે છે. જેનો બજેટમાં પણ સમાવેશ કરવામાં આવેલ હતો. અને ખેડુતોને તેનો લાભ મળે તે માટે પરિપત્રો કરવામાં આવ્યા છે. પરંતુ આવા પરિપત્રો મોરબી/ રાજકોટ જીલ્લાની સરકારી-અર્ધસરકારી બેંકો, મંડળીઓને મળેલ ન હોય જેના કારણે મોરબી જીલ્લાના ખેડુતોને આ યોજનાનો લાભ મળતો નથી.

સમગ્ર ભારતના ખેડુતોને પગભર બનાવવા સરકારની આર્થિક વિકાસને વેગવંતો કરવાની યોજનાઓનો કોઈ પણ પ્રકારનો લાભ મોરબી/ રાજકોટ જીલ્લાના ખેડુતોને મળતો ન હોય, મોરબી/ રાજકોટ જીલ્લાના ખેડુતોને ક્યાંકને ક્યાંક અન્યાય થતો હોય તેવો ઘાટ જોવા મળી રહયો છે. જેથી સરકાર દ્વારા ભારતમાં ખેડુતોને કે.સી.સી. ધીરાણમાં ત્રણ લાખની જગ્યાએ પાંચ લાખ સુધી "0" ટકા વ્યાજનો લાભ મળી રહે તે માટે મોરબી/ રાજકોટ જીલ્લાની દરેક સરકારી-અર્ધસરકારી બેંક, મંડળીઓને સરકારના પરિપત્રો પુરા પાડવા તથા જે ખેડુતોએ પુરવણી ધીરાણ લીધેલ ન હોય તેવા ખેડુતોને પાંચ લાખ સુધી "૦" ટકા વ્યાજ લેખે ધીરાણ મળી શકે તેમ માટે ઘટીત કાર્યવાહી કરવાની માંગ કરેલ છે.






Latest News