માળીયા (મી) નજીક ટ્રકમાં સૂતેલા ક્લીનરનું નિદ્રાધીન અવસ્થમાં હાર્ટ એટેકથી મોત આ ખેતર અમારું છે, ખાલી કરી દો તેવું કહીને હળવદના મયાપુર ગામે દંપતીને 6 શખ્સોએ માર માર્યો હળવદના ચરાડવા ગામે મોડી રાત સુધી મોબાઈલ જોતી બહેનને ભાઈએ ઠપકો આપતા કર્યો આપઘાત મોરબીના નવા સાદુળકા ગામેથી ગુમા થયેલ યુવાનની મચ્છુ નદીમાંથી કોહવાઈ ગયેલ હાલતમાં લાશ મળી વાંકાનેરમાં ઘરમાંથી દારૂની 22 બોટલ સાથે આરોપીની ધરપકડ હળવદના માનસર ગામે જેટકોના સબ સ્ટેશનમાં કાર્યપાલક ઇજનેરને લાઈન ઇન્સ્પેક્ટર થપ્પડ મારી ! વ્યાજંકવાદ : મોરબીના યુવાનને 60 ટકાના વ્યાજે લીધેલ 9 લાખ સામે 7.02 લાખ ચૂકવી દીધા છતાં 9 લાખની ઉઘરાણી યથાવત ! મોરબીમાં ઘરેથી નીકળી ગયેલી મહિલાનું પતિ સાથે મિલન કરાવતી મોરબી જિલ્લા 181 અભયમ ટીમ
Breaking news
Morbi Today

હળવદના કડીયાણા ગામથી માતા પિતા લોકિકે ગયા હોય દાદા સાથે ખેતરે ગયેલા બે બાળકોના વોકળાના પાણીમાં ડૂબી જવાથી મોત


SHARE













હળવદના કડીયાણા ગામથી માતા પિતા લોકિકે ગયા હોય દાદા સાથે ખેતરે ગયેલા બે બાળકોના વોકળાના પાણીમાં ડૂબી જવાથી મોત

હળવદના કડીયાણા ગામેથી માતા પિતા લોકિકે ગયેલ હોય બે બાળકો તેના દાદા સાથે ખેતરે ગયા હતા અને ત્યાં ખેતરની બાજુમાં આવેલ વોકળામાં બંને બાળક ન્હાવા માટે ગયા હતા ત્યારે તે બંને બાળકના પાણીમાં ડૂબી ગયા હતા જેથી ઘટના સ્થળે જ તે બંનેના મોત નીપજયાં હતા ત્યાર બાદ પાણીમાંથી તેને મૃતદેહને બહાર કાઢીને પીએમ માટે લઈ ગયા હતા અને આ બનાવની હળવદ તાલુકા પોલીસને જાણ કરવામાં આવી હતી.

હળવદ તાલુકાનાં કડિયાણા ગામે રહેતા મુન્નાભાઈ રાતડીયાનો 13 વર્ષનો દીકરો આદિત્ય અને મુકેશભાઈ રતાડીયાનો 9 વર્ષનો દીકરો પ્રિન્સ ગામની નજીક ખેતરની બાજુમાં આવેલ વોકળામાં ન્હાવા માટે આજે સવારે ગયા હતા ત્યારે કોઈ કારણોસર તે બંને બાળકો પાણીમાં ડૂબી ગયા હતા જેથી તે બંનેના પાણીમાં ડૂબી જવાથી મોત નીપજયાં હતા અને ગામના લોકોને બંને બાળકના મૃતદેહને પાણીમાંથી બહાર કાઢ્યા હતા અને ત્યાર બાદ તે બાળકોના બોડીને પીએમ માટે હળવદની સરકરી હોસ્પિટલે લઈને આવ્યા હતા.

વધુમાં હળવદ તાલુકાનાં પીઆઇ આર.ટી. વ્યાસ પાસેથી મળતી માહિતી મુજબ મૃતક બંને બાળકોના માતા પિતા લોકિકે ગયા હતા જેથી તે બંને બાળક તેના દાદાની સાથે ખેતરે ગયા હતા અને દરમ્યાન બંને બાળકો વોકળામાં ન્હાવા જતા ત્યાં પાણીમાં ડૂબી જવાથી તે બંને બાળકોના મોત થયેલ છે. હાલમાં હળવદ તાલુકા પોલીસે બનાવની નોંધ કરીને આગળની કાર્યવાહી કરેલ છે અને નાના એવા ગામમાં એક જ પરિવારના બે માસૂમ બાળકોનું પાણીમાં ડૂબી જવાથી મોત થયેલ હોવાથી રાતડીયા પરિવાર અને કડિયાણા ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.






Latest News